SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ આશ્રવ અને અનુબંધ કર્મો પણ આત્મબળ સામે ટકી નહીં શકે. નીચલી અવસ્થામાં જે કર્મો તમને દબાવી દે, તે જ કર્મો ઉપલી અવસ્થામાં આત્માને સહાય કરે. તીર્થકરને કેવળજ્ઞાન થયા પછી અશાતાને શાતામાં સંક્રાંત થવું જ પડે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પછી પણ તેજોલેશ્યાને કારણે છ-છ મહિના સુધી લોહીના ઝાડા આદિ થયું, તે તો અચ્છે છે. બહારનાં નિમિત્ત પ્રબળ છે. તેણે તેજોવેશ્યા કેવી છોડી છે? માટે શરીર સહન ન કરી શક્યું. આ અચ્છેરાં બધાં વ્યવહારનયથી છે. જે Rarely (ક્વચિત) જ થાય છે અથવા જેનો અપરિચિત(અજ્ઞાત) કાર્યકારણભાવ હોય, તે જ અચ્છેરામાં જાય. તે અનંતા તીર્થકરોમાં કોઈકને જ થાય. બાકી તો બધું કાર્યમાત્ર કારણ ઉપર જ છે. પ્રભુ મહાવીરને બહારનું પ્રબળ નિમિત્ત મળ્યું છે, અને તેના કારણે અશાતાવેદનીયકર્મ આત્મા પર હતું તે શાતાવેદનીયમાં સંક્રાંત ન થયું, ને ઉદયમાં આવ્યું. અનંતા તીર્થકરમાં કોઇકને જ આવું થાય, માટે અચ્છેરું થયું તેમ કહ્યું છે. નિશ્ચયનયથી કોઈ અચ્છેરું જ નથી. નિશ્ચયનયથી તો જગતનું કોઈપણ કાર્ય તેના કારણથી જ છે. તેના મતે તો કાર્યકારણભાવ વગર કાર્ય શક્ય જ નથી. એક કારણ જે માને તેમાં મિથ્યાત્વ છે, કારણના સમવાયમાં જ સમકિત છે. જેમ કહે ને કે ઈશ્વરને મન થાય તેમ બધું કરે. તો પછી મારે(જીવ) તો બેઠા જ રહેવાનું ને? આ સૂત્રને જે એકાંત માને તે મિથ્યાત્વી હોય. વ્યવહારથી પ્રભુ યોગક્ષેમ કરનારા છે, તેમ નિશ્ચયનયથી પ્રભુ યોગક્ષેમ કરનારા નથી; પણ બેઉ નયની તેમના સંદર્ભમાં દલીલ સાચી છે. તે Law of relativity(સાપેક્ષવાદના સિદ્ધાંત) ઉપર આધારિત છે. આપણે ત્યાં વ્યવહારથી યોગક્ષેમનો જે પ્રકાર છે અને વૈદિક ધર્મનો યોગક્ષેમનો જે પ્રકાર છે, તેના fundamental(પાયા)માં તફાવત છે. વ્યવહારનયનું આ વિધાન પ્રથમ દૃષ્ટિએ ભલે સમાન દેખાય, પણ ultimately (આખરે) તેવું નથી, નહિતર નિશ્ચયનય ઊડી જાય. માટે નિશ્ચયનયથી આત્મા જ આત્માનું કલ્યાણ કરે છે, તેથી જ પુરુષાર્થવાદ બતાવ્યો છે, ઉપાદાન મૂક્યું છે; અને વ્યવહારનયથી પ્રભુ યોગક્ષેમ કરનારા છે, માટે ભક્તિમાર્ગમૂક્યો છે. વ્યવહારનયનિમિત્ત માને છે. આપણે ત્યાં તીર્થની જે વાત આવે છે, તેમાં પણ વ્યવહારનયથી લોકમાં ખ્યાત છે તે તીર્થ છે; જ્યારે નિશ્ચયનયથી જે આત્મા છે તે જ તીર્થ છે. આપણે ત્યાં કેટલી Clarity (સ્પષ્ટતા) છે ! પૂ. શ્રી હરિભદ્રસૂરિ નયવાદથી પ્રભાવિત થયેલા છે, માટે કહે છે કે જેણે સ્યાદ્વાદ બતાડ્યો છે તે જ સર્વજ્ઞ છે, અને જે સર્વજ્ઞ છે તે જ જિન છે; બીજા બધા સંતો છે, ઋષિ છે, પણ સર્વજ્ઞ નહીં. માટે એક બાજુ ભગવાન યોગક્ષેમ કરે છે તે માન્યતાને પુષ્ટ કરવા કહે છે કે, ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy