SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૫૯ કોનો યોગક્ષેમ કરે છે ? તો કહે છે કે જેનામાં નિર્વેદ ઉત્પન્ન થયેલ છે તેવા જીવોનો યોગક્ષેમ કરે છે, અપુનર્બંધકથી ૧૨મા ગુણસ્થાનક સુધીના જીવોનો યોગક્ષેમ કરે છે. તેમનાથી ઉપલા ગુણસ્થાનકવાળાને યોગક્ષેમની જરૂર નથી, અને અપુનર્બંધકથી નીચેની ભૂમિકાવાળા યોગક્ષેમ ઝીલવાની લાયકાત ધરાવતા નથી. માટે “અભયદયાણું”, “ચખ્ખુદયાણું” વગેરે કોને . લાગુ પડે ? અપુનબંધક અને તેની ઉપરની અવસ્થાવાળાને જ ભગવાન અભયઆદિ દેનારા છે. આ સંસારમાં કંઇ સાર નથી, સંસારનાં ભૌતિક સુખો પર Negative approach (નકારાત્મક અભિગમ), તેમાં કંટાળો અને તેમાં સ્વરૂપથી દુઃખનું ભાન થાય, તેને તત્ત્વથી નિર્વેદ છે તેમ કહેવાય. ભૌતિક સુખથી મન ખસી જાય, વિમુખ થઇ જાય તે જ નિર્વેદ છે. ભૌતિકતામાંથી તમારી સર્વસ્વની બુદ્ધિ હટે તે નિર્વેદની શરૂઆત છે, તે તબક્કાથી સાચા ધર્મની શરૂઆત વ્યવહારનયથી છે. નિશ્ચયનયથી નિરુપાષિક દશાથી ધર્મ ચાલુ થાય છે. સમકિતીને નિરુપાધિક દશાનો ધર્મ છે પણ અધ્યાત્મ નથી. અધ્યાત્મ એ આત્મરમણતા સ્વરૂપ છે અને આત્મરમણતા તે ચારિત્રનો ગુણ છે. પહેલાં આ વાત બેસવી જોઇએ કે તમે આટલો ધર્મ કરો છો, જેમ કે દર્શન, પૂજા, દાન, શીયળ તે બધું જે સંજ્ઞાપ્રેરિત છે, તે અમારે તો નિર્વેદપ્રેરિત જોઇએ. જેના પાયામાં નિર્વેદ છે અને તે નિર્વેદથી ફલિત થયેલ જે ધર્મજિજ્ઞાસા છે, તે જ મોક્ષનું કારણ બનશે. અનુબંધમાં ફેરફાર કરવા નિશ્ચયનયની દૃષ્ટિએ સમકિતની ભૂમિકા જોઇએ, વ્યવહારનયથી અપુનર્બંધકની અવસ્થાથી જેટલી તેની તત્ત્વરુચિ બદલાય-વધે, તેટલે અંશે તે ફેરફાર કરી શકે. વ્યવહારનયથી પણ ધર્મ પરિણામસાધક-પરિણામ પેદા કરે તેવો હોવો જોઇએ. આપણે ત્યાં એકે એક પરિણામનું કેટલું પૃથક્કરણ કરીને બતાવ્યું છે ! નિશ્ચયનયથી ધર્મ પરિણતિરૂપ છે. અજ્ઞાનીઓની ક્રિયા ચિત્તનું શોધન કરી શકતી નથી. ચિત્તશુદ્ધિનું કારણ ન બને તેવી ક્રિયા ધર્મ બનતી નથી. નિશ્ચયનયથી ચિત્તનું મૂળથી સંશોધન(શુદ્ધિ) તે ધર્મ છે, જ્યારે વ્યવહારનયથી તે શુદ્ધિસાધક ક્રિયાઓ તે ધર્મ છે. નિશ્ચયનય કાર્યને મહત્ત્વ આપે છે, દા.ત. કોઇપણ જગ્યાએ રાગ-દ્વેષ કરો તો કર્મબંધ થાય; જ્યારે વ્યવહારનય કારણમાં કાર્યનો ઉપચાર કરીને કારણને મહત્ત્વ આપે છે, તે કાર્યનું Root cause(મૂળ કારણ) શું છે તેને પકડે છે. તે તો પૂછે ભાઇ, એનો બાપ કોણ છે? કર્મબંધમાં કારણરૂપ જે જે છે તે બધું છોડવાનું કહે. કહે, દ્રવ્યથી છોડો, ક્ષેત્રથી છોડો, કાળથી છોડો અને તત્કાલ છોડી ન શકો તો પહેલાં સંક્ષેપ કરો. ત્યાં જ તમને બધા પ્રશ્નો ઊભા થાય છે. તમને છોડવું કશું ગમતું નથી. તમે તો Comfort(સગવડ-સુખચેન) ઇચ્છો ને ? તમને તો Conven Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy