SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ આશ્રવ અને અનુબંધ સાહેબજી:- જેમ કે પુણ્યશાળી ગુરુની નિશ્રા પસંદ કરી તપાદિ ધર્માનુષ્ઠાનોનું સેવન કરે, જેમ જીવ દીક્ષા લે તે વખતે વિચાર કરે કે, જો પુણ્યશાળી ગુરુ પાસે દીક્ષા લઉં, તો આહાર-પાણી, વસ્ત્ર-પાત્ર આદિની જોરદાર અનુકૂળતા મળશે. આમ આ રીતે પ્રેરાઈને કરાતો ધર્મ સંજ્ઞામાંથી ફલિત થયેલો ગણાય. સભા- સંપ્રતિરાજાના દૃષ્ટાંતમાં તેમ થયેલું? સાહેબજી:- ના, તેના ગુરુ પૂર્વધર હતા. તેમનો નિયમ અમને લાગુ ના પડે. આ વાતનો ખુલાસો આપ્યો છે. સંપ્રતિના જીવને તેનો ધર્મ વાસ્તવમાં સંસારાનુબંધી નથી થયો. તેમના ગુરુએ ઉપયોગ મૂકીને જોયું છે. જો તે ધર્મ (ચારિત્ર) સંસારાનુબંધી થવાનો હોત તો તેને દીક્ષા ન આપે; પણ તેમને જણાયું છે કે આ જીવ સારો છે, તેને હું આ રીતે Treat કરીશ(દીક્ષા આપીશો તો તેના પરિણામમાં ફેરફાર થશે. આ સંજ્ઞાથી લીધેલી પ્રવજયા તેના આત્મકલ્યાણના કારણરૂપે પરિવર્તન પામી છે. તેણે અનુબંધમાં ફેરફાર કર્યા છે. આપણે ત્યાં જૂનાં બાંધેલ કર્મમાં ફેરફાર થઇ શકે છે તેમ કહ્યું છે. કર્મ બંધાય છે ત્યારથી જ તે પરિવર્તનીય હોય છે. All possibilities are there(તેમાં બધી શક્યતાઓ છે), તેમાં ફેરફારનો Scope (અવકાશ) છે. અમારે ત્યાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજીએ બંધ અને અનુબંધમાં ફેરફાર કેમ કરવા તેની આખી પદ્ધતિ બતાવી છે. જૂના બાંધેલા કર્મબંધ અને તેના અનુબંધમાં ફેરફાર થઇ શકે છે, માટે જ અમે તમને કહીએ છીએ કે ખરાબમાંથી વિરક્ત થાઓ, પાછા પડો, અને સારામાં પ્રવૃત્ત થાઓ. રુચિ પર અનુબંધનો આધાર છે. માટે રુચિ ફરે તો અનુબંધમાં ફેરફાર થાય છે. પુણ્યાનુબંધી બાંધેલું પુણ્ય પાપાનુબંધી પણ થઈ જાય. જેમ બ્રહ્મદત્ત ચક્રવર્તીના જીવે પૂર્વભવના સંભૂતિ મુનિના ભવમાં, કે જેઓ ભાવથી છઠ્ઠા ગુણસ્થાનકે પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે; પછી ચક્રવર્તીની સ્ત્રી દ્વારા તેમને થતા વંદન વખતે તેના માથાના વાળની એક લટનો સ્પર્શ થતાં આકર્ષણથી, હેય-ઉપાદેયની બુદ્ધિમાં ફેરફાર થાય છે; પછી મિથ્યાત્વશલ્યથી રુચિ વિપરીત થતાં પરિણામે પોતે બાંધેલા શુભ અનુબંધ અશુભ બન્યા છે. આવી જ રીતે અશુભ અનુબંધને શુભમાં પણ ફેરવી શકાય છે; પણ તમે ફેરફાર કરો તો થાય. જેમ કે આ મકાનમાં તમે કાંઈ ફેરફાર કરો તો થાય, નહિતર ૧૦૦ વર્ષે જેવું છે તેવું નાશ પામે. તમે મકાનમાં તો Renovation (નવીનીકરણ) કરાવે જ જાઓ ને ! મકાન પણ પુદ્ગલ છે અને કર્મ પણ પુદ્ગલ છે. કર્મ પણ બંધાય ત્યારથી જ એવું હોય છે કે તેમાં ઘણા ફેરફાર સંભવિત હોય. અનેક ફેરફારનો Scope already(અગાઉથી અવકાશ) તેમાં પડ્યો જ હોય છે. માટે જ સમકિતી આત્મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy