SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૧ આશ્રવ અને અનુબંધ વ્યવહારનયના ગુણો નિશ્ચયનય ન માને, પણ બેઉ નય ગુણ તો સાનુબંધ જ માંગશે, કારણ નિરનુબંધ ગુણ તો આવીને ભાગી જશે. વ્યવહારનય પ્રાથમિક કક્ષાનો છે. તદન સ્કૂલ ઉપચરિત વ્યવહારનય કહેશે કે સાત ક્ષેત્રમાં આપેલું દાન મોક્ષનું કારણ છે. સાત ક્ષેત્ર સુપાત્ર છે અને સુપાત્રદાન મોક્ષનું કારણ છે, જેમ કે આયંબિલ ખાતામાં દાન આપો તો પુણ્યબંધ માને. આનાથી વધારે આ નયની Range(કક્ષા-પહોંચ) નથી, એટલે તે ઉપચરિત વ્યવહારનય છે. આ નય તો દર્શાવેલા કારણમાં જીવને આગળ લઈ જવાની સંભાવના હોય એટલે તેને તેમાં ગોઠવી દે. જયારે તેથી ઉપરનો શુદ્ધવ્યવહાર નય તો પૂછે કે, જીવ દાન કરે છે પણ તે ભૂમિકાએ અપુનબંધક અવસ્થાને પામેલો છે? દાન સાથે પ્રશમાદિ-વિવેક વગેરે ગુણો ભળેલા છે કે નહીં? જીવ આ અવસ્થા અને ગુણોને પામેલો હોય તો જ શુદ્ધવ્યવહારનય તે દાનથી પુણ્યાનુબંધી પુણ્ય માને. ક્રિયામાં પ્રથમ ભળે તો જ અપુનબંધક જીવો પુણ્યાનુબંધી પુણ્ય બાંધી શકે. આમ શુદ્ધવ્યવહારનય પુણ્યાનુબંધી પુણ્ય અપુનબંધકદશાથી માને છે, સાથે શુદ્ધવ્યવહારનય પરિણામ પણ માંગે છે. દ્રવ્યદાન કરતાં પણ વિવેક ગુણ છે કે નહિ? જેટલા અંશે વિવેક તેટલા અંશે તાત્ત્વિક પક્ષપાત, જેટલો તાત્ત્વિક પક્ષપાત તેટલે અંશે રુચિ આવશે અને જેટલા અંશે રુચિ આવશે તેટલા અંશે પુણ્યાનુબંધી પુણ્ય બંધાશે. શુદ્ધવ્યવહારનયતો Mater of fact(હકીકતમાં કે વાસ્તવમાં, શું છે, તે જુએ; જયારે ઉપચરિત વ્યવહારનયસંભાવનાને પણ સ્વીકારે. સભા:- તે (ઉપચરિત વ્યવહારનય) ભલો નય છે. સાહેબજી:- હા, તમને ફાવે તેવી છે. માટે જ તમને જૈન કહીએ છીએ ને ! વ્યવહારનયના પણ અસંખ્ય ભેદો છે. ધર્મમાં મન-વચન-કાયાના શુભયોગ હોય, છતાં પણ તે સંસારાનુબંધી હોઈ શકે. શુભયોગમાં આમ તો ગુણનું સેવન છે, છતાં તે સંસારાનુબંધી બની શકે. એકના એક ગુણનું સેવન સંસારાનુબંધી અને મોક્ષાનુબંધી બન્ને રૂપે પરિણમવાની સંભાવના ધરાવે છે. જો સંજ્ઞામાંથી ઉત્પન્ન થયેલો ગુણ હોય, યાને કે જો સંજ્ઞાએ ગુણનું સેવન કરવા પ્રેરિત કર્યો હોય, તો તે સંજ્ઞામાંથી ફલિત થયેલ ગુણ સંસારાનુબંધી થશે. આમ સગુણ પણ જો વિપરીત સંદર્ભમાં ગોઠવાયેલા હોય, તો તે સંસારાનુબંધી બને. દા.ત. આહાર સંજ્ઞાથી પ્રેરાઈ ધર્મ આદરે. સભા - આહારસંજ્ઞાની કઈ રીતે ખબર પડે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy