SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૫૩ બાંધેલા અશુભ અનુબંધોને શુભ કરી શકે છે. સમકિતી આત્માની રુચિમાં અને બુદ્ધિમાં ફેરફાર થયો હોય છે. અનુબંધમાં ફેરફાર કરવા અંદરનું ખરેખરું હૃદયપરિવર્તન માંગ્યું છે, ખાલી કોરી અનુમોદનાથી ન પતે, “કરે તેને ધન છે, ધન છે’’ તેમ હાથ જોડી બોલ્યા કરો તેથી ન વળે. આમ, મૂળમાંથી બુદ્ધિ ફરે અને Scope(અવકાશ) મળે તેમ, જેનામાં જેટલી શક્તિ હોય તેટલો તે કર્મમાં ફેરફાર કરી શકે છે. જો આત્મા પરિશુદ્ધ આજ્ઞાયોગમાં સ્થિર રહી શકે તો, ભયાનક અશુભ કર્મોનેનરકમાં લઇ જાય તેવાં, મિથ્યાત્વ પમાડી દે તેવાં કર્મોને-તે ઠેકાણે પાડી દે, તેમાં ફેરફાર કરી નાંખે. કર્મ બાંધ્યા પછી ભોગવવાં જ પડે, તે તો વૈદિકધર્મનું સૂત્ર છે; આપણે ત્યાં તો કહ્યું છે કે પ્રદેશોદયથી ભોગવવું પડે, વિપાકોદયથી ભોગવવું જ પડે તેવો નિયમ નહિ. કર્મને જો સંક્રાંત કરી દે, દા.ત. અશાતાવેદનીયકર્મને શાતાવેદનીયકર્મમાં સંક્રાંત કરી દે, તો પેલા (અશાતાવેદનીય)ને ન તો પ્રદેશોદયથી ભોગવવું પડે કે ન તો વિપાકોદયથી. આઠે કર્મમાં ફેરફાર અંગે આપણે ત્યાં ખૂબ લખાણ છે. તેને સમજો તો કર્મસત્તા સામે બાજી રમતાં આવડી જશે. પણ તેના માટે આખો જુદો વિષય લઇ ચર્ચા કરવી પડે. સભા:- પ્રદેશોદયમાં શું થાય ? સાહેબજી:- પ્રદેશોદયમાં યત્કિંચિત્ માલિન્ય હોય. જેમ કે તમે કારેલાંનો રસ પીઓ કે કરિયાતું પીઓ તો શું થાય ? રુવાંટાં ઊભાં કરી દે તેટલું તે કડવું લાગે. જ્યારે તમે તેને જરા સળી પર લઇને ચાખો તો કાંઇ રુવાંટાં ખડાં થાય ? ના, યત્કિંચિત્ કટુ લાગે. તેમ પ્રદેશોદયમાં અશુભ અનુભવ ખૂબ ઓછો કરાવે. જો કર્મમાં ફેરફાર થઇ જ ન શકતો હોય, તો કરણ-બરણ બધાં નકામાં થઇ જાય. કર્મ પુદ્ગલ છે, માટે જે પરિણામથી બંધાયાં છે તેનાથી વિપરીત પરિણામો કરો એટલે તેમાં ફેરફાર થાય જ. માટે પરિણામ શીખવીએ છીએ. તમે “અશુભમાંથી નિવર્તન અને શુભમાં પ્રવર્તન પામો તે ધર્મ” એવું વ્યવહારનયથી સૂત્ર છે. અશુભમાંથી નિવર્તન એ પણ ધર્મ, જયારે “શુદ્ધમાં પ્રવર્તન તે જ ધર્મ” તે નિશ્ચયનયનું સૂત્ર છે. વ્યવહારનયસાપેક્ષ એવા નિશ્ચયનયને સેવો. તમને પ્રવર્તન અને નિવર્તનની આ જે વાતો અમે કરીએ છીએ, તે તમારા આત્મકલ્યાણને સામે રાખીને કરીએ છીએ; કાંઇ નવરા બેઠા છીએ એટલે વાતો કરીએ છીએ તેમ નથી. પૂ. શ્રી હરિભદ્રસૂરિ કહે છે કે “ધર્મ પછી, પહેલાં તું સંજ્ઞામાંથી નિવર્તન પામ.’’ ધર્મ જોઇએ છે ખરો, પણ સંજ્ઞામાંથી ફલિત થયેલો ધર્મ જોઇતો નથી. જે ધર્મ કરો તેનું મુખ્ય પ્રેરક બળ શું છે, તે જોવું પડે. જો સંજ્ઞામાંથી ફલિત થયેલો ધર્મ હશે, તો તેને લાભ નહીં પણ ઊલટાનું નુકસાન થશે. સંજ્ઞા હોય અને સાથે ગુણનું સેવન ન હોય, તો વિનયરત્નની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy