SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ આશ્રવ અને અનુબંધ અનાદિકાળની વાસનાને લીધે ગમે છે, વાસનાને બહેકાવે છે, ભૌતિક ગુણ-દોષની પરખ નહિ છતાં આકર્ષણ છે; તેમ અહીં તત્ત્વની સમજ ન હોય પણ અંદરથી ધર્મ ગમે તે ઓઘથી રૂચિ છે. પણ આવી રીતની રુચિવાળો હોય મુગ્ધદશામાં, પછી આગળ વધતાં વિકાસ થાય. આમ, ઓઘદશાવાળાને વિશેષ બોધ નથી, સમજ વગરનું ધર્મનું ખેંચાણ હોય છે. મહારાજ કહે છે માટે ગમે છે. અંદરથી ભદ્રક પરિણામી હોય, અંદરથી ધર્મ કરવાનું સારું લાગે તે ઓઘથી રુચિ કહેવાય. આવી રીતે ઘણા ઓઘથી સંસાર છોડીને દીક્ષા લેતા હોય છે અને પછી શ્રુતજ્ઞાનની સહાય વડે ઓધશ્રદ્ધાને તત્ત્વશ્રદ્ધામાં ફેરવી શકે છે. સભા- આ ખેચાણમાં પૂર્વકૃત સાધના કારણરૂપ હશે? સાહેબજી:- હા, જન્માન્તરમાં જેણે જે રીતની આરાધના કરી હોય તે રીતનું તેને ખેંચાણ હોય એવું પણ બને છે. તમે સંસારની સાધના કરી છે ખરું ને? માટે તમને સંસારનું ખેંચાણ છે. Driving force(પ્રેરક બળ)થી સાધના કરતાં કરતાં પરલોક સિધાયા તો શુરિન શ્રીમતાં દેવો ભ્રષ્ટ: પ્રજ્ઞા” (પૂર્વભવમાં આયુષ્ય પૂર્ણ થતાં યોગ સાધના જેની અપર્ણ છે તેવા યોગભ્રષ્ટ જીવો પવિત્ર શ્રીમંતોના ઘરમાં ઉત્પન્ન થાય છે.) જયાં ધર્મની વિપુલ સાધનસામગ્રી ઉપલબ્ધ હોય. યોગસાધનાની તાકાત ઘણી છે. જેમ ભગવાન યોગની સાધના કરે છે તે યોગની તાકાત કેટલી? ભાવધર્મનું સાક્ષાત્ ફળ તત્કાળ ચિત્તપ્રસાદ અને પરંપરાએ મોક્ષ અને આનુષંગિકપણે પુણ્યાનુબંધી પુણ્ય. ચિત્તપ્રસાદ ભાવથી મળે છે, કેવળ દ્રવ્યથી નહિ. પરિણામથી ચિત્તપ્રસાદ આવે છે. માટે શાસ્ત્રમાં લખ્યું “સામાયિક તે આત્મા” અને “આત્મા એ સામાયિક” મિથ્યાત્વી અંદરથી Bind(આંધળો) છે, જયારે સમકિતીને આંતરચક્ષુ ખુલ્લાં છે. જેને વિષયકષાયમાં પીડાનો અનુભવ ન થાય, તે નિયમા મિથ્યાત્વી છે. પૂ.આ. શ્રીહરિભદ્રસૂરિજી લખે છે કે જે યોગમાર્ગ પર ગોઠવાય છે, તે જ્યાં સુધી મોક્ષે ન પહોંચે ત્યાં સુધી તેની તમામ જવાબદારી ધર્મલઈ લે છે. ભૌતિક ક્ષેત્રમાં તેને ક્યાં જન્મ આપવો, કેવી સામગ્રી મેળવી આપવી, વગેરે બધી જવાબદારી ધર્મ લઈ લે છે. માટે લખ્યું, જે ધર્મના શરણે જાય છે તેને અન્ય કોઈના શરણની જરૂર નથી. નિશ્ચયનયથી તો કોઈ પણ ભૌતિક વસ્તુની પ્રાપ્તિ પણ કર્મને જ આધીન છે. ધર્મમાં તાકાત કેટલી છે ! બધે પાછો કાર્યકારણભાવ છે, તર્કબદ્ધ છે, પદાર્થવિજ્ઞાનના નિયમ પ્રમાણે છે. આત્મા, આત્માનું સ્વરૂપ, તેનાં લિંગો, તેનાં લક્ષણો, આ બધાનું વર્ણન દ્રવ્યાનુયોગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy