SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ આશ્રવ અને અનુબંધ ફેરફાર કરે કે અશુભને શુભમાં ફેરવી નાંખે. ઘણીવાર તેની શક્તિ કરતાં વધારે કર્મનો બોજો આવે તો તે પણ સહન ન કરી શકે તેવું પણ બને. તે બળવાન કર્મો તેને પાડી પણ દે. સમકિતીનું જો પતન થાય તો સમજવાનું કે તે કર્મના કારણે જ છે. આમ તો તે કર્મોની સામે Struggle(સંઘર્ષ) કર્યા જ કરે, લડત આપ્યા જ કરે, પણ કર્મ પ્રબળ હોય તો તે તેને પણ પછાડી દે. સમકિતી પણ સંસારમાં તો શત્રુના ઘરમાં જ બેઠો છે ને? તેને જાગ્રત રહેવું જ પડે. પ્રમાદ ન ચાલે. સમકિતી પડે તો તેની પાસે રહેલ સમ્યક્વમોહનીયનું મિથ્યાત્વમોહનીયમાં પરિણમન થાય. એટલે શું થાય ? મેળવેલું બધું જાય ને? તમે પણ શત્રુના ઘરમાં બેઠા છો, માટે તમે જરા નબળા પડો એટલે કર્મ હલ્લો કરે. તમે ઢીલા પડશો તો કર્મ તમારા માથે ચડી બેસશે. આમેય કર્મને મૂર્ખ માણસો વધુ પસંદ છે. તત્ત્વના અજ્ઞાનથી જ સંસાર જીવે છે. તમે ભૌતિક ક્ષેત્રે ગમે તેટલા પારંગત થયા હોય, વિધવિધ ક્ષેત્રે Specialisation (વિશેષજ્ઞતા-વિશેષતા) પ્રાપ્ત કર્યું હોય, જેમ કે કોઇ સી.એ. થયો, કોઇ સી.એસ. થયો, કોઈ ડૉક્ટર થયો હોય, કોઈ એંજીનીયર, કોઈ કોઈ વિષયમાં પી.એચ.ડી. વગેરે થયા હોય, પણ બ્રહ્મજ્ઞાન-આત્મજ્ઞાન સિવાય તે બધું નિરર્થક છે. આર્યરક્ષિતની માતા તેને શું કહે છે? “તારી આ ૧૪ વિદ્યાનું ફળ તો દુર્ગતિગામી છે.” આ વાક્ય કોણ બોલી શકે? તેની માતા સમક્તિી છે, માટે તેને આ સત્ય સમજાય છે. સમકિતી માતા તેના દિકરાને ખવડાવે, પીવડાવે તે બધું તે માતા માટે મોક્ષનું કારણ છે. અધિકારીભેદથી ફળભેદ છે. સમકિતીનો તમામ ધર્મ મોક્ષગામી હોય છે. તેની રુચિ કેવી હોય? સમકિત પામવાના ત્રણ તબક્કા છે : (૧) પહેલાં તમને તત્ત્વની રુચિ થવી જોઈએ, પછી (૨) તત્ત્વનિર્ણય થાય અને પછી (૩) તત્ત્વનો પક્ષપાત થાય, તો સમકિત આવે. સભા- અમને ઓળથી રુચિ છે. સાહેબજી – ઓઘથી રુચિ છે, પણ સામે કર્મનું બળ કેટલું છે તે જોવું પડે. સમકિતી પણ જો જરા નબળો પડે તો તે કર્મ તેને ફેંકી દે તેમ છે. તો પછી તે વખતે તમારી ઓઘની રુચિ સામે કર્મ શું ના કરી શકે? તમને કષાયો મિત્ર લાગે છે, પણ કષાયો તો ચોર છે. સભા- ઓઘથી રુચિ એટલે? સાહેબજી:- જેમ શાસ્ત્રીય નૃત્ય ચાલતું હોય તો તે ઘણાને ગમે, પણ તે સમજે કાંઇ નહિ. જેમ તમને પોપ મ્યુઝીક ગમતું હોય છે, પણ તેમાં સમજ કેટલાને પડે? કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy