SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ આશ્રવ અને અનુબંધ કરાવી શકતા નથી. વિષયોથી કર્મબંધ એ વ્યવહારનયનું વચન છે, જ્યારે નિશ્ચયનય કહે છે કષાયોથી કર્મબંધ છે. એટલે એનો અર્થ એ થયો કે કષાયો ઉદયમાં આવે એટલે કર્મબંધ થાય જ. સભા - વિષયો સેવતાં આસક્તિ હોય છે, પણ કપાયો ન હોય તો? સાહેબજી:- તમે જે આસક્તિ બોલ્યા તે કપાય જ છે. આસક્તિ એટલે તીવ્ર રાગ, અને રાગ-દ્વેષમાંથી જ કષાયો પેદા થાય છે. ઇન્દ્રિયોના વિષયોનું આકર્ષણ-આસક્તિલોભ પડ્યાં છે, તેમાંથી નોકષાય અને કષાયોનો ઉદય થાય છે. અપુનબંધક પાસે વિષયોની તીવ્ર આસક્તિનો ત્યાગ માંગ્યો છે, સમકિતી પાસે વિષયોની આસક્તિમાત્રનો ત્યાગ માંગ્યો છે, જ્યારે મુનિ પાસે વિષયોમાં રતિ-અરતિનો ત્યાગ માંગ્યો છે. યોગની દષ્ટિ માટે મિથ્યાત્વમોહનીયના ઉત્કૃષ્ટ રસનો નાશ માંગ્યો છે. ધર્મમાં ચાર પ્રકારે શુદ્ધિ માંગી છે.આશયશુદ્ધિ, નિદાનશુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ. આ બધાની જેટલે અંશે ત્રુટિ તેટલું ફળ ત્રુટક મળે. તમારો ધર્મ Defective (ખામીવાળો) તો તેનું ફળ પણ Defective, બધું કાર્યકારણભાવ સાથે છે. માટે સ્વરૂપથી ગુણ હશે પણ આશય અશુદ્ધ હશે, તો તે સાનુબંધ નહિ બને. સાનુબંધ ગુણો જ મોક્ષનું કારણ છે, નિરનુબંધ નહિ. સભાઃ- આશયશુદ્ધિ હોય તો અનુબંધ અશુદ્ધ હોઇ શકે ? સાહેબજી:- તત્ત્વથી આશયશુદ્ધિ ન આવે ત્યાં સુધી અનુબંધ પાપનો પડવાનો. તમારી કક્ષામાં પણ તમે આવી રીતે પડતા અવળા અનુબંધને મંદ તો જરૂર કરી શકો. ઓઘથી આશયશુદ્ધિ આવી હોય તેને પણ અનુબંધ પાપનો પડે, પણ તે તેનો અનુબંધ મંદ પડશે. અનુબંધ શું ચીજ છે? તું વર્તમાનમાં જે કર્મ બાંધે છે તે કર્મમાં ભવિષ્યમાં જે કર્મ બંધાવવાની પ્રજનનશક્તિ પડી છે તે અનુબંધ છે. કર્મ બંધાવવાની તાકાત જો પ્રબળ પડી હોય તો તે તમારી હૂસ કાઢી નાંખશે, પણ જો મંદ હશે તો તમે તેની સામે થોડું Struggling(સંઘર્ષ) કરશો તો સારું કરાવી શકશો. માટે અપુનબંધકમાં જેટલો વિવેક હશે તે પ્રમાણે તે કરી શકશે. કારણ આ ભૂમિકામાં બીજો કોઈ વિકલ્પ નથી. જીવનું અને સામગ્રીનું બળ કામ કરે તો અશુભ અનુબંધનું પણ થોડું ઠેકાણું પડી શકે, અશુભ અનુબંધ મંદ થઈ શકે. સભા- સમકિતીનું પણ પતન થાય? તે અનુબંધમાં ફેરફાર કરી શકે ? સાહેબજી:- સમકિતી અનુબંધમાં ફેરફાર કરી શકે. સમકિતી અનુબંધમાં એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy