SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ આશ્રવ અને અનુબંધ ચારિત્રના પ્રભાવે ભાવિમાં પાંચ પતિ મળો. તે તેનું નિયાણું આ દ્રૌપદીના ભાવમાં ઉદયમાં આવ્યું છે. દ્રૌપદીના ભાવમાં કાંઈ તેને પહેલેથી પાંચ પતિ કરવાની ઇચ્છા નહોતી. સ્વયંવરમાં પસંદગી તો તેણે એકની જ કરેલી અને વરમાળા પણ એકના જ કંઠમાં પહેરાવેલી, પરંતુ પૂર્વના કરેલા નિયાણાના પ્રભાવે પાંચેના કંઠમાં વરમાળા આવે છે અને તે રીતે તે પાંચ પાંડવોની પત્ની બનેલી. જ્ઞાની ભગવંતો કહે છે કે, તું બીજાનું હિત કે અહિત જે પણ કંઈ કરે છે, તે તારા આત્મામાં જ થાય છે. આ રીતે પણ વિચાર કરીને તૈયાર થાઓ તો પાંચેક વર્ષે પણ તમારું ઠેકાણું પડે. તમારે આ પ્રકૃતિ પુરુષાર્થથી ઘડવાની છે. પહેલાં તો તમને તમારા ધર્મની વાતોની Appeal(અસર) થવી જોઇએ. Appealનો અર્થ શું? કે જે તમારામાં પરિવર્તન લાવે તે જ. અપીલ થાય તો પુણ્યાનુબંધી પાપ, પુણ્યાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય આમ, ચારે ભેદે જે બધો ધર્મ-અધર્મબતાવ્યો છે, હેતુ સ્વરૂપ-અનુબંધની જે વિચારધારા મૂકી છે, તે બધું અક્કલથી વિચારવાનું ચાલુ થાય; અને તે બેસતું જાય એટલે ખબર પડે કે શાસ્ત્રકારોએ કેટલું ઊંડાણથી બધું બતાવ્યું છે! હવે અપુનબંધકને કર્મની લઘુતા એવી થઈ જાય છે કે, તેને ફુરણા જ એવી થાય અને સાથે સામગ્રી પણ એવી જ મળે કે જેથી પ્રાયઃ કરીને તે ધીરે ધીરે આગળ વધતો જાય. દ્વાદશાંગીના ઉપદેશને લાયક કોણ? તો કહે વ્યવહારનયથી અપુનબંધક અને નિશ્ચયનયથી 'પટુબુદ્ધિવાળો સમકિતી. સભા - ગુણ સેવતા હોઈએ ત્યારે પણ કષાયો આવી જાય અને કર્મબંધ કરાવે ? સાહેબજી:- હા, કષાયો એવા છે કે પહેલાં તો તે તમને ધર્મ જ ન કરવા દે. તમે છટકીને ધર્મ કરો તો તે તમારા ધર્મને વિકૃત કરી નાંખે. નિદાનબુદ્ધિ આનુષંગિકહશે તો તે ધર્મને નબળો કરે અને જો તે મુખ્યરૂપે હશે તો ધર્મથી ભ્રષ્ટ કરે. દા.ત. દાન કરે અને તેને માનકપાય આનુષંગિકપણે ઘૂસે તો તેના ધર્મને નબળો કરે. પાંચમા ગુણસ્થાનક સુધી માનકષાય સંભવિત છે. આમ, કષાયો તમને ધર્મ કરવા જ ન દે, ધર્મ કરો તો તે તમારા ધર્મને કાં વિકૃત કરે કાં નબળો કરે; અને કર્યા પછી ધ્યાન ન રાખો તો પણ દાટ વાળી દે. શાસ્ત્રમાં કષાયોને પિશાચ(રાક્ષસ)ની ઉપમા આપી છે, અગ્નિની ઉપમા આપી છે. વિષયોથી કર્મબંધ થાય પણ ખરો અને ન પણ થાય, દા.ત. અપ્રમત્ત મુનિઓને વિષયો કર્મબંધ (૧) પટુબુદ્ધિ શીધ્ર બુદ્ધિવાળો, સાનમાં સમજે તેવો, સહેજ વાતની શરૂઆત થાય અને આખી વાત સમજી જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy