SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૪૧ સભા- મુગ્ધ જીવો બ્રાન્તિથી કોઈ ક્ષતિયુક્ત ધર્મ કરે તો તે તેનો ધર્મ કેવો? સાહેબજી:- કરે છે તેનો તેને આગ્રહ છે કે નહિ? કષાયપરિણામ તેમાં ભળેલો છે? જે અનભિનિવિષ્ટ મુગ્ધ છે તે ખોટું કરે તો પણ તે મુગ્ધ છે, તે તેનો Plus-point(જમા પાસું) છે. મુગ્ધ જીવ કેવો હોય તો કહે છે કે એકદમ સરળતે ૫૦ વર્ષથી અમુક રીતે ધર્મ કરતો હોય, પણ તેને સમજાવવામાં આવે કે તેમાં આટલી ક્ષતિ છે, તો તે તરત સુધારી લેવા તૈયાર હોય. તમે કેવા છો? તમને ખબર પડે પછી પણ તમે સાચી વાતનો સ્વીકાર કરો ખરા? જયારે મુગ્ધ તો સ્વીકાર કરે કે “મારી ભૂલ થઈ ગઈ છે.” મુગ્ધને ભ્રાન્ત કરવામાં આવ્યો હોય માટે તે તે રીતે કરે છે, માટે ત્યાં દોષ તો ભ્રાન્ત કરનારનો માન્યો છે. અમે તમારી પાસે ગુણનું સેવન માંગીએ અને તેનું પરિણામ(ફળ) પણ બરાબર જોઇએ. જેમ કે ધર્મ સારી રીતે કર્યો હોય પણ કર્યા પછી જો નિદાન-નિયાણું અવળું કરો તો તે સેવેલ ધર્મનું ફળ અવળું મળે છે. તે મુગ્ધ જીવે ભલે ક્ષતિયુક્ત ધર્મનું સેવન કર્યું હોય, પણ તેનો સ્વભાવ સરળ હોવાના કારણે સુગુરુનો યોગ થતાં તે બધી બગડેલી બાજી સુધારી લેવાનો. માટે બધું અધ્યવસાય પર આધાર રાખે છે. ધર્મમાં બોલબાલા અધ્યવસાયની જ છે. યોગની પૂર્વસેવા કે જેનાથી જીવ યોગમાર્ગને પામે છે, તેમાં પણ પરિપુવિજય માંગ્યો છે. શ્રી હરિભદ્રસૂરિએ લખ્યું કે વ્યવહારનયથી સકામનિર્જરા અપુનબંધકથી ચાલુ થાય છે અને પુણ્યાનુબંધી પુણ્ય પણ ત્યાંથી જ ચાલુ થાય છે. અપુનબંધક અવસ્થાવાળો જીવ એમ ને એમ બેઠો હોય તો પણ તેની વિચારધારા કેવી હોય ! તે એકાન્તમાં પડેલ હોય પણ તેની વિચારણા અનેકાન્ત તરફની હોય, માટે તે સમકિત તરફ જઈ રહ્યો છે. ખોટામાં પણ તેને સાચા તરફ જવાની ઇચ્છા છે. જે આગ્રહથી એકાન્તને પકડે છે તેને મહામોહનો ઉદય છે, તેને નિયમા મિથ્યાત્વ છે; જયારે અનેકાન્ત તરફની રુચિવાળો જીવ સમકિત તરફ જઈ રહ્યો છે. યોગની દષ્ટિમાં કાંઈ આપમેળે અવાતું નથી. શ્રી હરિભદ્રસૂરિજીએ લખ્યું કે, અન્ય ધર્મમાં જે વાત જે નયથી સાચી હોય તેનો તે નયથી જે સ્વીકાર કરતો નથી, તે તીર્થની આશાતના કરે છે. જયાં Negative approach (નકારાત્મક અભિગમ) હોય ત્યાં તે રીતે, અને જયાં Positive approach (હકારાત્મક અભિગમ) હોય ત્યાં તે રીતે જોવાનું આવે. ત્યાં દેખાતી સમતામાં પણ મિથ્યાત્વ હોય છે. ભગવાને લખ્યું કે વ્યવહારનયથી પ્રશસ્ત રાગ, પ્રશસ્ત દ્વષ પણ મોક્ષનું કારણ છે. જે (૧) પરિપુવિજયઃ કામ, ક્રોધ, લોભ, માન, મદ(મત્સર) અને અસૂયા(ઇર્ષા). આત્માના આ છ દુશ્મનો ઉપર વિજય તે પરિપુવિજય. (૨) યોગની દૃષ્ટિ શાસ્ત્રોમાં યોગની આઠ દૃષ્ટિની વાત આવે છે. તેના નામ: મિત્રા, તારા, બલા, દીકા, સ્થિર, કાંતા, પ્રભા, પરા. વિશેષ માહિતી માટે પ.પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા.નું યોગદષ્ટિસમુચ્ચય' પુસ્તક જોવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy