SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ આશ્રવ અને અનુબંધ નિયાણું તેને દ્રૌપદીના ભવમાં ઉદયમાં આવ્યું છે અને તે પાંચ પાંડવોની પત્ની બની છે. પણ દ્રૌપદીનું આ નિદાન એ નિદાનશલ્ય નથી બન્યું, કારણ કે નિદાન વખતે પણ તેની હેય-ઉપાદેયની બુદ્ધિ જાગ્રત હતી. સભા- નિદાનની વ્યાખ્યા શું? સાહેબજી:- નિદાન એટલે તમે કરેલા ધર્મના ફળ તરીકે ભૌતિક માંગણી કરો તે નિદાનમાં જાય, અને તે વખતે જો તમે હેય-ઉપાદેયબુદ્ધિથી ભ્રષ્ટ થયેલા હો, તો તે મિથ્યાત્વમાં જાય. સંવેગની હાજરીમાં જે ભૌતિક સુખની માંગણી છે તે નિદાનમાં જાય. હેય-ઉપાદેયની બુદ્ધિ જાગ્રત હોય તો તે નિદાનશલ્ય ન કહેવાય. બ્રહ્મદત્ત ચક્રવર્તીને નિદાનશલ્ય છે, જયારે દ્રૌપદીને ખાલી નિદાન છે. બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પૂર્વભવમાં દીક્ષાકાળમાં અતિ દુષ્કર એવું તપ આરાયેલ છે. તેવા વખતે સનકુમાર ચક્રવર્તીની પત્ની વંદન કરે છે ત્યારે, તેને તેના માથાની લટના વાળનો સ્પર્શ થઇ જાય છે. તેમાંથી તેમને વિકાર પેદા થાય છે અને બુદ્ધિથી ભ્રષ્ટ થાય છે, અને પછી નિદાન કરે છે કે મારા આ તપના પ્રભાવે મને ભાવિમાં ચક્રવર્તીપણું મળે, જેથી હું પણ આવી પત્નીનો સ્વામી બનું. (ચક્રવર્તીની પત્નીનાં દેહના એક એક અંગ અત્યંત કામુક હોય છે. તેના વાળના સ્પર્શથી પણ વિકાર સંભવી શકે, જો આત્મા જાગ્રત ન હોય તો). સભા-અમારે દોષ (ક્રોધ) કાઢવા માટે ગુણ(ક્ષમા)નું સેવન કરાય? સાહેબજી:- હા, તમારે દોષો કાઢવા ગુણનું સેવન કરાય; પણ પાછું જોવું પડે કે દોષો કેમ કાઢવા છે? જેમ કે ક્રોધ શું કામ કાઢવો છે? Heart attack (હૃદયનો હુમલો) ન આવે માટે? ધાતુક્ષયના રોગથી પીડાતા દર્દીને બ્રહ્મચર્ય પાળવું જોઇએ માટે તે પાળે, તો તેણે ધર્મ કર્યો ન કહેવાય; જેમ તમે ધંધામાં ચાર કલાક ભૂખ્યા રહો માટે તમારે તપધર્મ થયો તેમ ન કહેવાય. આમ તો તમે સંસારમાં કેટલું વેઠો છો? માટે દરેક ગુણસેવનમાં તપાસો કે તે હેતુથી-સ્વરૂપથી-અનુબંધથી કઈ રીતે છે? ખાલી હેતુથી કે સ્વરૂપથી ગુણનું સેવન હોય તો તે ગુણનું સેવન સંસારાનુબંધી થશે. જેમ જીવદયા પાળો, ભગવદ્ભક્તિના પરિણામ હોય, પણ શાસ્ત્રકાર પૂછે કે અનુબંધ શું છે? મોક્ષ સાથે કાર્યકારણભાવ છે? કાર્ય અને કારણ એકબીજા સાથે જોડાયેલાં છે, નક્કી જ છે કે આમ કરો તો આમ જ થાય. અહીંયાં કોઇનું રાજ ચાલતું નથી. ભગવાન મહાવીરે પણ કહ્યું કે મેં પણ નિદાન ખોટું કર્યું તો મારે પણ તેના ફળરૂપે સાતમી નરક સુધી જવું પડ્યું. પહેલાં વાસુદેવ થયો, પણ પછી શું? સાતમી નરક જ ને ? આમ જ ને? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy