SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૩૯ પરંતુ વ્યવહારનયથી શું? નિશ્ચયનયથી શું? વગેરે, બધું સમજો તો ખબર પડે કે આપણો ધર્મ અને બીજા ધર્મો વચ્ચે કેટલો ફરક છે. આપણે ત્યાં બધું તર્કબદ્ધ રીતે વર્ણન છે. પ્રભુ કહે છે કે હું અન્ય ધર્મસ્થાપકોથી જુદો છું. હેતુવાદની (તર્કથી સિદ્ધ કરી શકાય તેવી) વાત છે, તે હેતુવાદની રીતે બતાવું છું. માટે તમે જે ગુણ સેવો છો તે શેમાં પરિણામ પામશે તેની વાત કરો. આમ તો શુભયોગ તે ધર્મ છે; પણ તે દયા, પરોપકાર, ઉદારતા, વગેરે ગુણો સેવો છો તે તમને ક્યાં લઇ જનારા છે? તે જોવું પડે. શુભયોગરૂપ ધર્મ પણ સંસારાનુબંધી અને મોક્ષાનુબંધી, એમ બે પ્રકારે છે. નિશ્ચયનયના મતે તો જે ધર્મ અભ્યદય જ આપીને વિરત થઇ જાય તે ધર્મ, ધર્મ નથી. અભ્યદયને ધર્મનું ફળ માનનાર વ્યવહારનય છે, જયારે નિશ્ચયનય તો જે ધર્મથી મોક્ષફળ મળે તેને જ ધર્મ માને છે. માટે જેનાથી મોક્ષફળ ન મળે તેવા ધર્મને ધર્મ તરીકે નિશ્ચયનય સ્વીકારતો નથી. સ્વરૂપથી અને હેતુથી જરાપણ આંચ ન આવે તે રીતે ધર્મ કરતો હોય, પણ જો તે ધર્મ અનુબંધથી ખોટો હોય તો તે સંસારાનુબંધી થયો. આવો ધર્મ કરનારને જોઈને લોકો મોંમાં આંગળાં નાખી જાય, પણ તેના અનુબંધની શી હાલત છે? માટે ધર્મ કરતી વખતે આશયશુદ્ધિની મહત્તા છે અને ધર્મ કર્યા પછી નિદાનશુદ્ધિની મહત્તા છે. સભા- ધર્મ કરતાં દરેક વખતે આશય યાદ કરવાનો? સાહેબજી:- આ અધ્યવસાય અંદર પડેલો જ જોઈએ. વ્યક્તપણે ન પણ હોય પણ અવ્યક્તપણે પડેલો તો જોઇએ જ. પણ આ અધ્યવસાયવાળાને પછીથી પણ ગમે ત્યારે સંસાર ન જ ગમતો હોય. તમારી જેમ ખાલી બોલવાથી ન ચાલે, હેય-ઉપાદેયની બુદ્ધિ જોઈએ. ક્યારેક જીવને કેવાંક નિમિત્તો મળતાં કોઇ વસ્તુ ગમી જાય અને અનુપયુક્ત બની જાય તો પાછો પડે. માટે વિવેક જોઇએ, જાગ્રતિ જોઇએ. ધર્મ કર્યા પછી પણ નિદાનશુદ્ધિ જાળવવાની છે. Psychological setback(માનસિક પ્રગતિમાં વિન) અને વિપરીત કર્મ બંને ભેગાં થાય ત્યારે પણ અંદરથી જાગ્રત રહે તે બચી શકે. જેમ કે સીગારેટ પીનારા ખુવાર થાય, પણ સીગરેટ પીવી તે ખોટું છે તેમ માને છે; છોડવા જેવી માને તો તેમાં હેયબુદ્ધિ પડી હોવાના કારણે તે શલ્ય ન બને; ભલે તે હેયને છોડી નથી શકતો અને ઉપાદેયને આવરી પણ ન શકતો હોય, પણ બુદ્ધિ ઠેકાણે હોવી જોઈએ. દ્રૌપદીના કિસ્સામાં શું બન્યું છે? પૂર્વભવમાં તેણે દીક્ષા લીધેલી છે. ચારિત્ર પાળી રહ્યાં છે. ત્યાં કોઈ સ્ત્રીને પાંચ પુરુષ દ્વારા સેવાતી જુએ છે અને તે નિમિત્તને પામી, વિકાર ખોટો માનવા છતાં વિકાર જાગ્રત થઈ જાય છે, અને પોતે કરેલા ધર્મના ફળરૂપે ભાવિમાં પાંચ પતિની ઇચ્છા કરે છે. આ કરેલું A-10. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy