SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ આશ્રવ અને અનુબંધ આમ તમે માત્ર ગુણનું સેવન કરી લો તો તે શુભ યોગ છે, પણ તે પાસું ગૌણ છે; તેનું અંતિમ ફળ શું આવશે તે જોવાનું છે. જીવદયા કરે તેને શાતાવેદનીયકર્મ બંધાય તો ખરું, પણ તે તો ભૌતિક ફળ છે. પણ ધર્મક્રિયામાં જો કદાગ્રહ ભળી ગયો હોય, તો સંસારનો અનુબંધ પડ્યા કરશે. માટે અમારે તેને કહેવું પડે કે ભાઇ, તું જીવદયા પાળે છે, ભક્તિ કરે છે, તેમાં પ્રભુએ કહ્યા પ્રમાણે હેતુ-સ્વરૂપ બરાબર હોય તો પણ તારા અનુબંધનું શું? સભા- બેસતા વર્ષે સાડા પાંચમાં પૂજા કરે છે તે બરાબર ? સાહેબજી:- સ્વરૂપથી અવિધિ છે. તમને શું કહીએ? બેસતા વર્ષે તમારે કેટલી હો-હા હોય છે? તમે ધર્મ કરો તેટલામાત્રથી અમે રાજી થઇએ તેવું નથી. ધર્મમાં હેતુ-સ્વરૂપ-અનુબંધ ત્રણે અગત્યના છે. ત્રણેયની શુદ્ધિ આવશ્યક અથવા આવશ્યકલક્ષી છે. તેવો ધર્મ જમાર્ગ તરફ લઈ જઈ શકે. તેવા જીવનો ધર્મ એકાંતમાંથી અનેકાન્ત તરફ જાય. તેને Quantity (જથ્થા) કરતાં Quality(ગુણવત્તા)માં જ રસ પડે અને તે પણ At every facer(દરેક પાસાએ). મોક્ષ સુધી તેનો કાર્યકારણભાવ ટકવો જોઇએ. ભગવાને મોક્ષમાર્ગમાં આડખીલીરૂપ બધાં ભયસ્થાનો બતાવ્યાં છે. બાકી સંસારાનુબંધી ધર્મથી ક્યારેય આત્મકલ્યાણ સંભવિત નથી. જીવે ગુણોનું સેવન ઘણી વખત કર્યું છે. પણ અહીં તો પૂછશે શું કામ કર્યું છે? અને તેના પર જ બધો આધાર છે. સાચો ગુણ તો કેવી વસ્તુ છે? જે એક પછી એક ગુણ માંગશે. માટે સ્વરૂપથી પણ ગુણ કોને ગમે? સમકિતીને, કેમ કે ગુણ સુખ આપે છે અને દોષ દુઃખ આપે છે તેવી ૧૦૦ ટકા પ્રતીતિ તેને જ હોય છે. નિશ્ચયનયથી સ્વરૂપથી ગુણ સમકિતીને જ છે, દોષ તેને પીડે છે. ભગવાન મહાવીરના જીવે છઠ્ઠા ગુણસ્થાનકનો ભાવથી કરેલ ધર્મ નિદાન કરી ધોઇ નાખ્યો ત્યારે નિયાણાના પ્રભાવે વાસુદેવ બન્યા અને અનેક આરંભસમારંભ અને પાપાચરણ કરી સાતમી નરકે જવું પડ્યું. ધર્મે વાસુદેવ બનાવ્યા પણ પરિણામ શું આવ્યું? સાતમી નરક, દુઃખ, દુઃખને મહાદુઃખ. આમ, ભગવાને પોતે પણ થાપ ખાધી તો કુટાણા છે. આપણે ત્યાં જે Cosmic order (વૈશ્વિક વ્યવસ્થા) છે, તેમાં ભગવાન ખુદ પણ કોઇ ફેરફાર કરી શકતા નથી. ભગવાન પણ છ વસ્તુમાં અસમર્થ છે. અન્ય કેટલાંક દર્શનોમાં ભગવાન સૃષ્ટિના સર્જક છે તેવી માન્યતા છે. તેઓ માને છે કે જ્યારે ઈશ્વરની કૃપા થાય ત્યારે જ ઉદ્ધાર થાય. આ બાબત ઉપર આપણે ત્યાં શ્રી હરિભદ્રસૂરિજીએ ઊંડાણથી ચર્ચાઓ કરી છે. પણ આ દાર્શનિક વિષય છે, તેની અત્યારે આપણે ચર્ચા નહીં કરીએ. (૧) ભગવાન પણ છ બાબતમાં અસમર્થ તેના નામ માટે જુઓ પરિશિષ્ટ-X-૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy