SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૩૭ સભા માટે બધામાં અનુબંધ સૌથી મહત્ત્વનો ? સાહેબજી:- હા, હેતુ-સ્વરૂપ-અનુબંધ બધામાં Top Priority (સૌથી વધારે અગત્યતાક્રમ)માં અનુબંધ છે. અનુબંધમાં આશયશુદ્ધિની Demand(માગણી) છે. ધર્મમાં હેતુ-સ્વરૂપ અને અનુબંધ ત્રણેની શુદ્ધિ આવશ્યક છે. અનવ્યવસિત કે સંમૂચ્છિમની જેમ કોઈ જીવ ધર્મક્રિયા કરતો હોય, તેનાં પણ સ્વરૂપ અને હેતુ સાચાં હોઇ શકે, તે પણ જયણા પરિપૂર્ણ પાળતો હોય, ભગવાને જે પ્રકારની જયણા પાળવાની કહી છે તે પ્રમાણે પાળતો હોય, તેમાં કોઈ ફેર ન હોય; જેમ કે પુષ્પપૂજામાં ફૂલને વીંધવાને બદલે ગુંથીને જ ચઢાવતો હોય, નહાવામાં પાણી ઓછું ઢોળતો હોય, વગેરે બધું As it is(જેમ કહ્યું હોય તેમ જ) બરાબર કરતો હોય, તો આમ સ્વરૂપથી બધું બરાબર જ લાગે; પણ જો અનુબંધ ખોટો હશે તો તેનો ધર્મ સંસારાનુબંધી થવાનો. એવો ધર્મ અભ્યદયનું કારણ બને, કે જેનાથી અલ્પકાળ ભૌતિક સુખ અને દીર્ઘકાળ ભૌતિક દુઃખ મળે. આવી રીતે મળતાં ભૌતિક સુખ-સામગ્રી તો વિષ સમાન છે. નિશ્ચયનય તો ખાલી સારી ક્રિયા કરી લો માટે પુણ્યબંધ નથી માનતો, પણ ક્રિયાની સાથે ગુણનું સેવન હોય તો જ તે તો પુણ્યબંધ માને છે. દા.ત. કોઈ વ્યક્તિ જીવદયામાં લાખ રૂપિયા આપે છે, ત્યારે તેનું હૃદય દયાળુ હોય તો તેને સાક્ષાત્ જીવદયાના પરિણામ છે, અને આમ ગુણનું સેવન કરતો હોય તો તેને બંધ પુણ્યનો પડશે; પરંતુ તેમાં જો તેનો આશય મલિન હશે તો પાછો કરેલો ધર્મ, સેવેલો ગુણ સંસારાનુબંધી થવાનો. મહાપુરૂષોને તમને સંસારાનુબંધી ધર્મથી વિમુખ કરવા છે. માટે કહે છે, સંસાર સાથે જેનો કાર્યકારણભાવ હોય તેવા ધર્મમાં ન ગોઠવાતાં, મોક્ષ સાથે જેને કાર્યકારણભાવ છે તેવા ધર્મમાં ગોઠવાઓ. તમે તપ કરતા હો, જીવદયાનું પાલન કરતા હો, શીલ પાળતા હો, દાન કરતા હો, આમ દયા-ઉદારતા વગેરે ગુણોનું સેવન કરતા હો, તો પણ અમે પૂછીએ ભાઈ, આ ગુણોનું સેવન શેના માટે કરે છે? કેવી રીતે કરે છે? જિનાજ્ઞા પ્રમાણે કરે છે? જિનાજ્ઞા પ્રમાણે કરવાની ભાવના-ઇચ્છા છે કે નહિ? તે તપાસવું પડે. જિનાજ્ઞા શું છે તે બતાવવાની અમારી ફરજ છે. અમે તે બતાવીએ તેમ છતાં તે જો ખોટું કરે તો તેને નુકસાન થાય. તેમાં અમારી જવાબદારી નથી. પણ હું જો પ્રતિપાદન સાચું ન કરું તો તે મારો દોષ છે. જે સાચા માર્ગની પ્રરૂપણા કરે છે તેનો તે પ્રરૂપણાથી સંસાર ઘટે છે. જે સન્માર્ગને ધક્કો પહોંચાડે અને ઉન્માર્ગને સ્થાપે છે તેણે દીર્ઘકાળ માટે એકેન્દ્રિયમાં જવાની તૈયારી રાખવાની, તેમ શાસકારોએ લખ્યું છે. માટે માર્ગની સ્થાપના કરવી, તે ઉપદેશકની જવાબદારી છે. જે શાસ્ત્ર ભણીને તૈયાર થયા છે તેણે તો આ જ કરવાનું છે, તેનો દર્શનાચાર આ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy