SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ આશ્રવ અને અનુબંધ પ્રાવચનિક હોય તેને જે જગ્યાએ જે રીતે જેનું ખંડન કરવું પડે, તે કરવું જ પડે. પ્રવચનકારને દુશ્મન ના હોય તેવું બની શકે જ નહિ, પણ પ્રાવનિકને તેની પ્રત્યે ભાવદયા-કરુણા જ હોય. જે સદ્ગુરુ પ્રત્યે દ્વેષી હોય તેના પ્રતિ ભગવાનના ભક્તને દ્વેષ હોય જ, ભક્ત માટે તે ગુણ છે. જેને સંસારમાં સન્માર્ગની સ્થાપના કરવી હોય તેને તો વિરોધ વચ્ચે જ જીવવાનું આવે. તે લડત આપ્યા કરે અને સ્થાપના કર્યા કરે. તેણે સિંહની જેમ જીવવું પડે. માર્ગની સ્થાપના કરવી તેમાં કાંઇ લાડવા ખાવાના નથી, પણ જુત્તાં ખાવાની તૈયારી રાખવી પડે. ખુદ ભગવાનની પણ પાખંડીઓ રોજ ઠેકડી ઉડાડતા હતા, છતાં ભગવાને બધાનું ખંડન કર્યું છે. માટે અમારે પણ સન્માર્ગની સ્થાપના કરવી હોય તો અમારે જંગની વચમાં જ જીવવાનું આવે. ધર્મક્રિયામાં પ્રભુએ જ પાંચ ભેદ શું કામ કરી આપ્યા ? ખાલી ધર્મ કરો એમ ન કહ્યું, પણ આવો ધર્મ કરો તો વિષક્રિયા થશે, આવો ધર્મ કરો તો ગરલક્રિયા થશે અને આવો ધર્મ કરો તો સંમૂકિમક્રિયા થશે તેમ કહ્યું. આ ત્રણે પ્રકારના ધર્મ સંસારનું કારણ બનશે. માટે આવી ક્રિયાને બંધ કરવાનો પણ પ્રભુનો જ આદેશ છે. તદ્ભુતુ અને અમૃતક્રિયાનો જ આગ્રહ રાખવાનો કહ્યો છે. જેને સાધના કરવી છે તેને ચોક્કસ માર્ગ બતાવવા ભગવાન કરુણાબુદ્ધિથી કહે છે. સાધનાના ત્રણ કિલ્લા ભેદવાના છે. (૧) વિષયકષાયનો પહેલો કિલ્લો, (૨) અન્ય ધર્મના પાંખડીઓ-સંન્યાસીઓનો બીજો અને (૩) સ્વધર્મમાં યાને કે અહીં રહેલા, ભગવાને બતાવેલા સાધુના વેશમાં રહેલા પાખંડીઓનો ત્રીજો કિલ્લો છે. જે આ ત્રણેય કિલ્લાનું ઉલ્લંધન કરે તે જ મોક્ષે જાય છે. ભગવાને પોતાના સાધુઓનો પણ બચાવ નથી કર્યો. માટે તમે એમ તો કહેતા જ નહિ કે સાહેબ, અમને કાંઇ ખબર પડે નહિ, અમે કાંઇ જાણીએ નહિ. તમે સંસારમાં આમ કહો તો ચાલે ખરું ? માટે આ ક્ષેત્રમાં પણ તમારે તૈયાર થવું પડે. બધું જાણવું પડે, ઓળખતાં પણ આવડવું જોઇએ. સભાઃ– સાહેબજી ! અમારાથી તટસ્થ નથી રહેવાતું સાહેબજી:- “દષ્ટિરાગ દૃઢ બંધન બાંધ્યો...'' જીવ ત્યાંથી નીકળી યાને ત્રણ કિલ્લા ભેદી દૃષ્ટિરાગમાં ફસાઇ જાય છે. સભા:- દૃષ્ટિરાગનું લક્ષણ શું ? સાહેબજી:- જેના પ્રત્યે દષ્ટિરાગ હોય તેનામાં ખામી હોય છતાં તેને તે ખામી દેખાય (૧) પ્રાવચનિક : વર્તમાન શ્રુતના અર્થના પારગામી અને તેનું યથાર્થ રીતે લોકો સમક્ષ રજુ કરવાની શક્તિ ધરાવનાર મહાત્મા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy