SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ હવે યોગ અને કષાયની વાત કરીએ. યોગ :– મન, વચન અને કાયાના યોગથી આત્મપ્રદેશોમાં કંપન થાય છે. જીવ છેક ચૌદમા `ગુણસ્થાનકે પહોંચે ત્યારે જ યોગનો નિરોધ કરે છે. ત્યાં જીવ સૂક્ષ્મ અને બાદર બધા જ યોગોનો નિરોધ કરે છે અને માટે જ ત્યાં એક પણ કાર્યણવર્ગણા આત્મા પર ચોંટતી નથી. કંપન છે ત્યાં સુધી જ કર્મનો બંધ છે. હા, રાગ-દ્વેષ વગરના યોગ હોય તો ખાલી શાતાવેદનીયકર્મ બંધાય. માટે કેવલીને પણ બંધ છે. તેમને રાગ-દ્વેષ તથા ચારઘાતીકર્મો ગયાં છે, પણ યોગ હોવાના કારણે કંપન થવાથી બંધ થાય છે અને શાતાવેદનીય કર્મ બંધાય છે. કેવળીને પહેલા સમયે કર્મનો બંધ થાય, બીજા સમયે તે કર્મ ભોગવાઇ જાય અને ત્રીજા સમયે તે ખરી જાય. જ્યારે આપણને કર્મ બંધાય છે તેમાં મુખ્ય કારણ રાગ-દ્વેષ છે. જેટલી રાગ-દ્વેષની માત્રા તીવ્ર તેટલો કર્મબંધ પણ તીવ્ર. જ્યાં ચંચળતા છે ત્યાં કાર્પણવર્ગણા ચોંટશે. માટે જ કહ્યું છે કે મુનિ સ્થિર રહે. મુનિ જો વગર કારણે શરીર પણ હલાવે, તો તેના ૐઉત્તરગુણની ખામી છે તેમ ગણાય. આત્મામાં પરિણામની ચંચળતા રાગ-દ્વેષથી થાય છે. આ મન-વચન-કાયાની ચંચળતા છોડવી પડે. તે નહીં છોડવાના કારણે જ આપણે કોટાકોટી સાગરોપમ(એક સાગરોપમ= ૧૦ કોટાકોટી પલ્યોપમ) સંસારભ્રમણ કરાવે તેવાં કર્મો બાંધીએ છીએ. હવે યોગ છે ત્યાં સુધી TMલેશ્યા છે. કેવળીને પણ ઊંચા પ્રકારની શુક્લલેશ્યા હોય છે. જ્યાં ચંચળતા ત્યાં લેશ્મા ખરી જ. ચૌદમા ગુણસ્થાનકે શરીર છે, પણ કોઇ ક્રિયા થતી નથી. જીવ ત્યાં મન-વચન-કાયાના સૂક્ષ્મ ને બાદર બધા જ યોગ અટકાવી દે છે. જો કે પઋજુસૂત્રનય કે જે વર્તમાનને જ માનનારો છે તેના મતે તો ધર્મ, નિર્વાણના પૂર્વ સમયે જ થાય છે. ૪ (૧) ગુણસ્થાનક : આત્મશુદ્ધિની ક્રમબદ્ધ વધતી જતી કક્ષાઓ. તે ચૌદ છે. નામ માટે જુઓ પરિશિષ્ટX-૧. (૨) ઘાતીઓં અને અઘાતીઓં : આત્માના મૂળગુણ - અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્યનો ઘાત કરનાર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મ તે ઘાતીકર્મ કહેવાય અને તેનાથી વિપરીત કે જે જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરનારાં નથી તેવા વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ તે અધાતીકર્મ. (૩) ઉત્તરગુણ સાધુને પાંચ મહાવ્રત (પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન(ચોરી) વિરમણ,બ્રહ્મચર્યનું પાલન અને પરિગ્રહ વિરમણ) અને શ્રાવકને પાંચ અણુવ્રત (સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન વિરમણ, સ્થૂલ બ્રહ્મચર્ય : સ્વદારાસંતોષ અને પરસ્ત્રીગમન વિરમણવ્રત તથા સ્થૂલ પરિગ્રહપરિમાણ વ્રત) એ મૂળવ્રતોરૂપ મૂળગુણને પુષ્ટ કરે-અતિશય કરે તેવા ગુણો તે ઉત્તરગુણો. દા.ત. દશવિધ યતિધર્મ- સમિતિ-ગુપ્તિ આદિ સાધુને ઉત્તરગુણ અને ગુણવ્રત અને શિક્ષાવ્રત તે શ્રાવકને માટે ઉત્તરગુણ. (૪) લેશ્યા ઃ મનોયોગના પરિણામ જે આઠે કર્મના રસબંધનું મૂળ કારણ છે. સંક્ષિપ્ત નોંધ માટે જુઓ પરિશિષ્ટ ૨. (૫) ઋજુસૂત્રનય : અતીત અને અનાગત કાળને છોડીને અને વક્રતાના પરિત્યાગપૂર્વક (ઋજુ=સરળતાથી) વર્તમાનકાળને લક્ષમાં રાખી પ્રતિપાદન કરનાર દષ્ટિકોણ. Jain Education International : For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy