SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૩૩ સભા - આર્તધ્યાનના સંકલ્પ-વિકલ્પમાં શુભ લેગ્યા કેવી રીતે સંભવે? સાહેબજી:-એક ખરાબ વિચાર આવે એટલા માત્રથી લેશ્યા બગડી જાય છે તેમ નથી બનતું. લશ્યાને Purify(શુદ્ધ) કરવા માટે મૈત્રીભાવના આદિ ચાર ભાવનાને આત્મસાત કરી લે તેની વેશ્યા શુભ રહી શકે. સભા - લેડ્યા એટલે શું? સાહેબજી:- લેશ્યા સમજાવવા આખો વિષય લેવો પડે. જરા ધરપત રાખો. અમે તેની ઉપર આખું પુસ્તક બહાર પાડવાના છીએ. પણ તમારે તેનો અભ્યાસ કરવો પડશે, ભણવું પડશે. તે પુસ્તક સોફા ઉપર પડ્યા પડ્યા ટેસથી વાંચવાનું નહિ હોય. તે સમજવા મહેનત કરવી પડશે. હવે આપણે ત્યાં જૈન સંઘ મોટે ભાગે Educated(શિક્ષિત) થઇ ગયો છે. Intellectual growth(બૌદ્ધિક વિકાસ) ઘણો છે. તમારા બાપ-દાદાની મિલકતના વારસદાર તો તમે આપોઆપ થઈ જવાના છે, પરંતુ આ જ્ઞાનનો વારસો તમને મળે તે માટે આ બધાં પુસ્તકના પ્રકાશનનું કામ અમે ઉપાડ્યું છે. વ્યાખ્યાન જે આપે છે તે જ ફળનો ભોક્તા. નિશ્ચયનયથી કર્તૃત્વ અને ભોસ્તૃત્વ એકાધિકરણ છે. માટે જ અમે વ્યાખ્યાન આપતાં નિશ્ચયનય સામે રાખીTempo(ઉત્સાહ) ટકાવી રાખીએ છીએ. તમે પામો તો ભલે પણ હું તો ફળ પામું જ છું. પાયામાં બે વાત જોઇએ, એક તો જે સારું હોય તેનો સ્વીકાર કરવાનો-સદણા કરવાની અને બીજું શક્ય હોય તેનું પાલન કરવાનું. તેનાથી જ કલ્યાણ છે. આ બે વસ્તુ પાયામાં જરૂરી છે. પહેલાં આપણે ત્યાં શું હતું? આત્મકલ્યાણના આશયથી ધર્માચાર્યો પાસે બધા જતા અને તેમની પાસે ભણે. ધર્મનું વેપારીકરણ કોણે કર્યું? તો કહે બ્રિટીશરોએ. તમારે ધર્મ પામવો હોય તો મહેનત કરવી પડે. હવે તો બધા એવા થઈ ગયા કે તેને પણ એક Careerની line(કારકિર્દીના ક્ષેત્ર) તરીકે જુએ છે. પૈસા કમાવાના દૃષ્ટિકોણથી જુએ છે, એટલે પાયામાં જ ખામી આવી. તેવાઓને ક્યારેય ક્ષયોપશમ થાય જ નહિ. પાયામાં જ આશયશુદ્ધિ જોઈએ. અમે ભણ્યા, અત્યાર સુધી ભણાવ્યું, તેમાં કોઈ જગ્યાએ ક્યારેય કોઈ ભૌતિ.. અપેક્ષા નથી રાખી. એટલે જ અમે આજે આ લેવલે પહોંચ્યા છીએ. આ વસ્તુ પાયામાં હતી, એટલે સાચો ક્ષયોપશમ થયો છે. હું પચ્ચીસ વર્ષનો હતો ત્યારે ભણાવવા માટે મને અમેરિકાની સેંટ યુનિવર્સિટીમાં મોકલવાની વાત હતી. તો મેં કહ્યું મારે ભણતરની સામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy