SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૩૧ સાહેબજી:- તેને ભવનિર્વેદ થયો છે કે નહિ તેના ઉપરથી. નિર્વેદ(સંસારનાં સુખો પ્રત્યે કંટાળો) થયો છે કે નહિ તે કેવી રીતે ખબર પડે ? તો કહે છે કે તેને સંસારનાં ભૌતિક સુખો પ્રત્યે દ્વેષ થાય. તેને થાય કે આના પાપે જ મારી આ દશા થઇ છે, મેં અત્યાર સુધી હજામત કરી. અત્યાર સુધી તમને ભૌતિક સુખો ઉપર રાગ થતો હતો, તેના ઉપર તમને હવે દ્વેષ થવાનો શરૂ થાય, અને આમ નિર્વેદમાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. સભાઃ- ભૌતિક સુખો પ્રત્યે દ્વેષ થાય કે તેના રાગ પર દ્વેષ થાય ? સાહેબજીઃ- તે નિશ્ચયનયની વાત છે. પરંતુ જે સાધનથી કુટાયા હોઇએ તે સાધન ઉપર દ્વેષ થાય તે પણ યોગ્ય છે, તે પણ જરૂરી છે. ધર્મ કરવામાં જે કિલ્લા છે તે ભેદવા જ મુશ્કેલ છે. તમારા સ્વરૂપની મૂળ પ્રતીતિ જ સોળે કષાયોએ ભેગા થઇને Seal(કુંઠીત) કરી દીધી છે, અને મિથ્યાત્વમોહનીયે ભૌતિક સુખોમાં અને તેને ઓળખવામાં તમારામાં ભ્રમ ઊભો કરી દીધો છે. અમે કહીએ તેનાથી તમારો અનુભવ ઊંધો ચાલે છે. તમને આઇસ્ક્રીમમાં જ મજા આવે છે ને ? તે તમારી પ્રતીતિ મિથ્યાત્વજનિત છે. ભૌતિક સુખની ધરી ૫૨ જ સંસાર ફરી રહ્યો છે. ભવનિર્વેદથી વૈરાગ્ય એ સ્વરૂપવૈરાગ્ય છે. સ્વરૂપવૈરાગ્યથી જ ધર્મની શરૂઆત છે. હેતુવૈરાગ્ય અને અનુબંધવૈરાગ્ય પણ જો સ્વરૂપવૈરાગ્ય હોય તો જ કામના છે, અન્યથા નહિ. નિશ્ચયથી સ્વરૂપવૈરાગ્ય એ જ મોક્ષનું કારણ બને છે. ધર્મ ક૨વો એ સહેલી વાત નથી. તાત્ત્વિક ધર્મ આવે તો ઠેકાણું પડી જાય. પણ તમે તો, કાં તો ધર્મ કરો જ નહિ અને કરો તો કેવો કરો ? કોઇ જીવદયા કરે તેને અમે કહીએ કે, ભાઇ ! આ જીવદયા એ તારા આત્માની દયા માટે છે, અને જેને પોતાના આત્માની પડી ન હોય તેની જીવદયાની કોઇ કિંમત નથી, તે તો નાટક છે. આપણો મોક્ષમાર્ગ એકદમ Intact(અડીખમ) છે. તેને બરાબર પકડી લો તો ઠેકાણું પડી જાય. પૂ. આચાર્ય શ્રી સિદ્ધર્ષિગણિ જણાવે છે કે ત્રિકાલાબાધિત ધર્મ એક જ છે. માત્ર બાલજીવો તેનો ભેદ કરી કરીને જુએ છે. જિનશાસનમાં તે પૂર્ણ છે, બીજે ઠેકાણે તેના અંશો છે. મોટે ભાગે પાયો જ નથી, તેવો ધર્મ કરીને ભલે પુણ્ય બાંધી લે, પણ પાયાની ખામી હોવાના કારણે તેના ફળમાં પાછો પ્રશ્ન આવીને ઊભો જ રહેવાનો. પાપાનુબંધીપાપવાળા જીવો આ સંસારમાં કેટલા ? ઢગલાબંધ. જેઓ અત્યારે પાપોનાં ફળસ્વરૂપે દુઃખ ભોગવતા હોય, પાછા તે ભોગવતી વખતે પાપના પક્ષપાતના કારણે ફરીથી નવાં કર્મો બાંધી પાછા દુર્ગતિઓમાં જાય, તેઓ ક્યારે ઊંચા આવે ? તેમની ગતિઓ એવી થાય કે જ્યાં તેમની વિપરીત પરિસ્થિતિના કારણે અને સામગ્રીના અભાવે તે અમુક પાપો બાંધી જ ન શકે, તેમ કરતાં કરતાં ઘણો કાળ વહી જાય ત્યારે પાછો થોડો ઉપર આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy