SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ આશ્રવ અને અનુબંધ સાહેબજી:- ખોટા વિચારો ફેંકી દેવાના અને તેની વિરુદ્ધના સારા વિચારો કર્યા કરવાના. સભા- ઓઘ શ્રદ્ધા ક્યારે મળે ? સાહેબજી:-સાતે કર્મની સ્થિતિ અંતઃકોટાકોટી પ્રમાણ મર્યાદિત થઈ હોય ત્યારે જો તે જગ્યાએ પાછો Stagnant(સ્થિર) થઇ જાય તો આગળ ન વધી શકે. પણ જો તે ત્યાં Active(સક્રિય) રહે તો આગળ વધી શકે. તમે બધી ઊંચી વાતો સાંભળો-સમજો તેનો વાંધો નથી, પરંતુ તે સાંભળી-સમજી તમારે નક્કી કરવાનું કે તમે કઈ કક્ષામાં છો? તમારી કક્ષામાં તમારા માટે શું આવશ્યક છે? તે ગુરુ પાસેથી સમજયા પછી, તેમાં આવતાં જે ઉચિત કર્મ-કાર્યો હોય તે કરવા તત્પર હો, તો તે ભૂમિકાથી આગળ વધી શકો. પોતાની ભૂમિકામાં આવતાં ઉચિત કાર્યો કરવા જે હંમેશાં તત્પર હોય, તે કર્મઠ કહેવાય. અપુનબંધક બનવા ઓઘથી ધર્મ કરવાનો. 'પૂર્વસેવારૂપે તમામ ક્ષેત્રે જવાબદારી અદા કરવી પડશે. દરેક કક્ષામાં ઔચિત્યપાલન જોઇએ. ચરમાવર્ત, અપુનબંધક, સમકિતી, મુનિ દરેકમાં ઔચિત્ય જુદાં જુદાં. ઔચિત્ય એ પ્રધાન છે. એક બાજુ એક હજાર ગુણ મૂકો અને એક બાજુ ઔચિત્ય મૂકો તો ઔચિત્ય ચઢી જાય. ઔચિત્ય વિનાનો ગુણ, દર્શનાચાર વિનાનો જ છે. ઋષિમુનિઓ તેમને સલાહ આપે છે કે આગળ કેવી રીતે વધવું. તેઓ કાંઇ રાજકારણી નથી. તેમને તો તમારા કલ્યાણની જ ઝંખના છે. જીવો પાપ બાંધીને આવ્યા હોય, અહીં તે પાપનાં ફળ ભોગવે અને જીવનનિર્વાહમાં પાછા એવાં નવાં પાપ બાંધવાના કે પાછા ભાવિમાં તેના વિપાકે દુર્ગતિમાં જવાના. આવા જીવો અત્યારે દુ:ખી અને ભવાંતરમાં પણ દુ:ખી. તેમને દુઃખની જ પરંપરા ચાલે. માટે ભગવાન કહે છે, ભાઈ ! સાવધાન થઈ જા, જાગૃત થઈ જા. માટે જ અમારે ત્યાં એક પુણ્યાનુબંધી પુણ્યને જ ઉપાદેય કહ્યું છે. તમને પણ તે જ ફાવે તેમ છે. પણ તે બાંધવા માટે તમારી પાસે બીજ છે ખરું? અમારે ત્યાં કહ્યું કે સકામનિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્ય એ નિર્વેદ આવે ત્યારે જ આવે. બાકી મોટે ભાગે તમારી ઊંધે માર્ગે ગતિ છે, આકાંક્ષા સાથેનો જ ધર્મ હોય છે. વૈરાગ્યનું ઉત્પત્તિસ્થાનષ છે, અને દ્વેષનું ઉત્પત્તિસ્થાન સંસારનું વિજ્ઞાન છે. સંસારના સ્વરૂપનું જીવને વિજ્ઞાન થાય એટલે સંસારનાં ભૌતિક સુખો પ્રત્યે એને દ્વેષ ઉત્પન્ન થાય. સભા:- સંસારના સ્વરૂપનું વિજ્ઞાન થયું છે કે કેમ તે કેવી રીતે ખબર પડે? (૧) પૂર્વસેવા યોગમાર્ગને પ્રાપ્ત કરવાની લાયકાત કેળવવા માટે જીવ દ્વારા કરાતો વિશેષ પુરુષાર્થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy