SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૨૯ સમકિતીદર્શનસતકનો ક્ષયોપશમ કરી, એ Stage(કક્ષા) સુધી પહોંચ્યો છે. તેની પણ જે ખામી હોય તે જણાવી છે. સમકિતના પણ અનેક વિકલ્પો જણાવ્યા છે. સામાન્યથી સમકિતી સદાચારી હોય, પછી કોઇક અપવાદ પણ નીકળે જે પાપ કરે. તેને ભાવિમાં તેનું ફળ ભોગવવું પડે, પછી ગમે તે કક્ષાનો જીવ હોય તો પણ. વિપરીત રીતે કરેલા ધર્મનાં ફળ ઉદયમાં આવે ત્યારે તેને ખબર પાડે અને પાછો નીચે પછાડે. કર્મની સામે લડી શકે તે જ ટકે, બાકી ગમે તેવાને તે પછાડે. અગિયારમા ગુણસ્થાનકવાળાને પણ પછાડી છેક નિગોદમાં લઈ જાય. માટે કર્મ સામે લડો. સાચો સાધક હંમેશાં યોદ્ધો જ હોય.ભૂલ કરી તો ફળ ભોગવવું જ પડે. હું અત્યારે સાધુપણું લઈને બેઠો હોઉં તો અહિંસાદિ પાળવું જ પડે, અને તેમ છતાં મને દેવલોક આદિ સુખોની ઇચ્છાસળવળાટ થતો હોય, તો લખ્યું છે કે તે ચાર પ્રકારના અપધ્યાનમાંના એક અપધ્યાનનો પ્રકાર છે. તમે આલોક-પરલોકના ભૌતિક સુખની ઇચ્છાથી ધર્મ ન કરતા. શ્રી હરિભદ્રસૂરિજી જણાવે છે કે પંચાચાર મોક્ષનું કારણ ખરું, પણ ક્યારે? માથું સીધું હોય તો જ. પંચાચાર નિરીદતાપૂર્વક પળાતા હોય તો જ તે મોક્ષનું કારણ બને, અન્યથા નહિ. શરૂમાં તમે ઓઘથી તો સમંજસવૃત્તિનો ધર્મ ચાલુ કરો, પછી તાત્ત્વિક સમંજસવૃત્તિનો ધર્મ આવશે, કે જે આલોક-પરલોકની ઇચ્છા વગરનો છે. આલોક-પરલોકના ભૌતિક સુખોથી નિવર્તન તે જ વિરતિ છે. તમે વિરતિ પામવા માટે ધર્મ કરો. ભૌતિક સુખની ઇચ્છા નીકળી જાય તેવી ભાવનાથી શરૂઆત કરવાની. ભગવાનને કહો કે “તારી ભક્તિના બદલામાં કાંઇ જોઇતું નથી, આલોક-પરલોકનાં સુખોથી નિવર્તન ઈચ્છું . માત્ર મોક્ષ જ જોઇએ છે. તે મળે તેવું કાંઈક કરો.” આટલું ઓઘથી કરે તે પણ માર્ગસ્થ છે તેમ ગણાય. તેમાં આગળ વધે તો તત્ત્વથી માર્ગ પર આવે. પ્રયત્ન કરતો રહે એટલે ઠેકાણું પડે, એટલે કે Right track (સાચા માર્ગ પર આવી જશે. તમારો ધર્મ મોક્ષ સાથે Connected (સંબંધિત) કરવા આ બધી મહેનત છે. ઓઘમાં પણ આશયશુદ્ધિ વગેરે લાવે. તે ન આવે ત્યાં સુધી તે મોક્ષ સાથે સંબંધિત ધર્મ બનતો જ નથી. આ બધી તો પાછી વ્યવહારનયની વાતો છે. નિશ્ચયનયથી તો મોક્ષ સાધક ધર્મ સમકિતી અને તેની ઉપરની કક્ષાના જીવો જ કરી શકે. એક એક બાબતમાં આટલું પીંજણ કરી કરી Penetrate(સૂક્ષ્મ રીતે ઊંડા ઊતરવું તે) કરી કરીને બતાવ્યું છે. સભા- ઓઘથી આશયઅશુદ્ધિ કાઢવી હોય તો શું કરવું? (૧) દશનસપ્તક : અનંતાનુબંધીના ચાર કષાયો તથા મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત મોહનીય તે સાત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy