SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૨૭ જ નિયાણશલ્ય સંભવે. નિયાણશલ્યવાળો છેક ઉપર ચડેલો પણ પતનપરિણામી થાય, ત્યારે જો વચ્ચે બ્રેક મારે તો જુદી વાત, નહિતર છેક ભોંયતળિયે પહોંચી જાય. તહેતુ અને અમૃતક્રિયા જ ઉપાદેય છે. તહેતુ ક્રિયા કરી શકવા માટે જીવ ઓછામાં ઓછો ચરમાવર્તકાળમાં તો આવેલો હોવો જ જોઈએ. વિષક્રિયા, ગરલક્રિયા અને સંમૂચ્છિમક્રિયા એ ત્રણે તો સંસારાનુબંધી છે. તેવી ક્રિયારૂપ ધર્મ એ હેય છે. તેનાથી તમારો છૂટકારો થાય અને તમારો સંસાર કપાય તેવા તમારા અંદરથી ભાવો ગોઠવવા જોઈએ, તો વર્તમાનકાળમાં તહેતુરૂપ ક્રિયા ન હોય તો પણ તે તેના કારણરૂપ બને; અન્યથા મન-વચન-કાયાના યોગો શુભ હોય તોય ફળરૂપે સંસાર આવે, ગુણના સેવનનું ફળ પણ સંસારવૃદ્ધિ બને. જો શુદ્ધિ ન હોય તો તેનામાં કાં તો પરલોકની અપેક્ષા પડી હોય, અથવા પ્રણિધાનનું સેવન ન હોય, યા શાસ્ત્રસાપેક્ષતા ન હોય. શાસ્ત્રસાપેક્ષતા એ ઊંચો ગુણ બતાવ્યો છે. જો તે હશે તો તે સાચી ક્રિયાનું કારણ બનશે, તે વિના વિધિનિરપેક્ષતા આવશે, જે મોટો અવગુણ છે. વિધિનિરપેક્ષતાવાળાની ક્રિયા નિષ્ફળ જવાની. સંમૂચ્છિમક્રિયા તો અકામનિર્જરાનું કારણ બને, તેનાથી પુણ્ય બંધાય, જેનાથી તુચ્છ પ્રકારનાં ભૌતિક સુખો મળે; પણ અનુબંધ પાપનો હોવાથી સંસારવૃદ્ધિ કરવાના. વિષક્રિયા પહેલી મૂકી, તે તત્કાળ સચિત્તનું હરણ કરે છે. બીજી ગરલક્રિયા, જે ભાવિમાં સચિત્તનું હરણ કરશે, અને ત્રીજામાં સંમૂચ્છિમક્રિયા આ ત્રણેય ખરાબ છે. પહેલી ઉત્કૃષ્ટથી ખરાબ, બીજી મધ્યમથી ખરાબ અને ત્રીજી જાન્યથી ખરાબ; આમ ત્રણેય ખરાબ, એક પણ સારી નથી. સભા- કુલાચારથી ધર્મ કરતો હોય તો? સાહેબજી:- તેનું માથું જોવું પડે. ૧૫ વર્ષનો થાય એટલે અમારે તેવાને તત્ત્વથી ધર્મ સમજાવવાનો. કુલાચારથી ધર્મ, એ તો અપરિપક્વ માટે છે. જેને સંસારમાં તમે પરિપક્વ તરીકે ગણો છે, તેને તો ગુણ-દોષની પરખથી-સમજથી ધર્મ કરવાનું કહ્યું છે. અમારે સમજાવવાનું છે, તેણે સમજવાનું. ન સમજે તો કલ્યાણથી વંચિત રહે. ધર્મ જો અર્થ અને કામ માટે પણ કરવાનો હોય, તો પછી ધર્મક્રિયાનું પાંચ પ્રકારમાં વિભાજન શું કામ કરે? વિભાજનનું પ્રયોજન શું? સામાન્યથી અર્થ-કામ માટે ધર્મ નથી કરવાનો, હેય-ઉપાદેયની બાબતમાં અજ્ઞાન ન ચાલે. અજ્ઞાનતાથી પણ હેયને ઉપાદેય માને તો સમકિત ચાલ્યું જાય. સાક્ષાત્ ગુણનું સેવન હોય પરંતુ આશય અશુદ્ધ હોય તો તેનાથી પુણ્યબંધ છે, પણ મારક છે. ગુણના સેવનથી પુણ્યબંધ થાય છે. જો ગુણનું સેવન જ ન હોય તો પુણ્યનો બંધ પણ ન થાય. આશય અશુદ્ધ હોય તો સંસારનો બંધ ઊભો જ રહેવાનો. આ જૈન ધર્મ એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy