SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ આશ્રવ અને અનુબંધ કહે, અને ગુરુને એમ લાગે કે તેનો દીકરો શાસનને કામ લાગે તેમ છે, અને ગુરુ માંગે તો તે આપે પણ ખરો. ગુરુ એટલે શું? ઠગ્યા કોને? જેની પાસે જઈને શુદ્ધિકરણ કરવાના છો, તેમને જ ઊઠાં ભણાવવાનાં ને ? જેને આલોચના લેવાની હોય તેને જો યોગ્ય ગુરુ ન મળે, તો બાર બાર વર્ષ સુધી Wai(પ્રતીક્ષા) કરવાનું લખ્યું છે. આલોચના એ સામાન્ય વસ્તુ નથી. બધું જેમ હોય તેમ વર્ણન કરવું પડે. બીજાના નામે વાત કરવી તે માયા થઈ ગણાય. આવી રીતે પ્રાયશ્ચિત્ત નથી લેવાનાં. પ્રાયશ્ચિત્ત કોની પાસે લેવાનું, તેનું પણ વર્ણન આવે છે. જ્યાં સુધી પ્રાયશ્ચિત્ત શુદ્ધ રીતે લેવાની તૈયારી ન થાય, ત્યાં સુધી બેઠો રહે. તે માટે પોતાના આત્માને તૈયાર કરે. જયારે એવી કબૂલાત કરવાની તૈયારી થાય, ત્યારે જ પ્રાયશ્ચિત્ત લેવાનું છે. ઠગીને પ્રાયશ્ચિત્ત લે તેના કરતાં, જે ઠગવાનું છોડી પોતે નિખાલસ બનવાની તૈયારી કરતો હોય તે સારો. માયાથી પ્રાયશ્ચિત્તની પદ્ધતિ ખોટી છે. પ્રામાણિકતાની બહુ કિંમત છે. અપ્રામાણિકતા ધર્મના ફળને ન્યૂન કરે છે. પ્રાયશ્ચિત્તમાં અપ્રામાણિકતા ન જ ચાલે. આયુર્વેદમાં લખ્યું છે કે વૈદ્ય પાસે કોઈ બાબત છુપાવવી નહિ, નહિતર એનું નિદાન ખોટું પડશે અને દવાઓ અવળી અસર કરે, અને રોગ વકરે એવું પણ બને. વૈદ્ય પાસે ભૌતિક બાબતોમાં કોઇપણ બાબત છુપાવાય નહિ, એમ સાથે આયુર્વેદમાં તે પણ લખ્યું છે કે તમારા Character(ચારિત્ર્ય)ની બાબતમાં પૂછે તો પણ તમારે દીલ ખોલીને જણાવવું પડે. તેમ અહીં પણ જે ભાવથી, જે લેગ્યાથી, જે અધ્યવસાયથી, જે પરિણામથી, જે સંયોગોમાં પાપ કર્યું હોય તે બધું પ્રગટ કરીને પ્રાયશ્ચિત્ત લેવું. ધર્મમાં પાયો પ્રામાણિકતા છે. આચાર્યના જીવનમાં સ્વસાધના ગૌણ હોય છે, પણ બીજા જીવોને પંચાચારમાં સ્થિર કરવાનું પ્રધાન હોય છે. “સૂરિની Degree હોદા)વાળાની તે વિશેષ જવાબદારી છે. સભા- બ્રહ્મદત્ત ચક્રવર્તીમાં નિદાનનો શો અર્થ લેવાનો? સાહેબજી:-બુદ્ધિ ભ્રષ્ટ થઇ છે. અત્યાર સુધીની જે ધર્મઆરાધના કરી, તેના ફળસ્વરૂપે સ્ત્રીરત્નની માંગણી કરી. તેનું આ નિદાન એ નિદાનશલ્ય બન્યું છે. સુકૃત કર્યા પછી બુદ્ધિ ભ્રષ્ટ થાય અને તેના ફળરૂપે ભોગની માંગણી કરે એટલે તે નિદાન, નિદાનશલ્ય થઈ જાય. જેટલી આશયની અશુદ્ધિ એટલી જણાવવી પડે. બ્રહ્મદત્ત. અને દ્રૌપદી બેમાં એકને નિદાનશલ્ય છે અને બીજાને નિદાન છે. પૂ. આ.શ્રીહરિભદ્રસૂરિજી જણાવે છે કે સંવેગની(મોક્ષના તીવ્ર અભિલાષની) હાજરીમાં જે ભૌતિક સુખની માંગણી કરાય છે તેને નિદાન કહી શકાય, નિદાનશલ્ય ન કહી શકાય. નિદાનશલ્યવાળાને તેના પ્રભાવે જયારે તે(જનું નિયાણું કર્યું હોય તે) મળે, ત્યારે તે જીવ ભોગમાં પડી જવાનો, તેને તે વખતે ધર્મ નહિ ગમે. મિથ્યાત્વની હાજરીમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy