SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ આશ્રવ અને અનુબંધ તા.૧૧-૧-૯૮ રવિવાર, આસો વદ ૭. અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓ, જગતના જીવમાત્ર આ દુઃખમય સંસારમાંથી મુક્ત બની અનંત સુખમય મોક્ષસુખને પ્રાપ્ત કરે એ માટે, ધર્મતીર્થની સ્થાપના કરે છે. જીવે સંસારના શુભ યોગો અનંતીવાર સેવ્યા છે, પરંતુ તે પણ તેના કલ્યાણનું કારણ બની શક્યા નથી. મન-વચન-કાયાથી ગુણોનું સેવન ઘણીવાર કર્યું છે, છતાં પણ તેના પ્રભાવે તેણે પુણ્યનો બંધ કર્યો છે, પરંતુ અનુબંધ તો પાપનો જ કર્યો છે. જીવ ક્યારેક ક્યારેક શુભયોગો-ગુણોનું સેવન કરી લે, તેનાથી થોડોક સમય સુખ ભોગવી આવે, અને પાછો સંસારમાં રખડતો રહે; કારણ કે શુભયોગોમાં કાં તો પહેલેથી તેના આશયની અશુદ્ધિ છે, અથવા સંમૂચ્છિમની જેમ કર્યું છે, અથવા પાછળથી નિદાનઅશુદ્ધિ છે. સંમૂછિમની જેમ કરતો હોય તેનો આશય શુદ્ધ પણ નથી અને અશુદ્ધ પણ નથી. તેનાથી અકામનિર્જરા થાય, પરંતુ તેનાથી સંસાર તો ઊભો જ રહે. સંમૂચ્છિમક્રિયા તે ગરલક્રિયા કે વિષક્રિયા જેટલી નિમ્ન નથી, પરંતુ તેમાં પણ સંસાર તો કપાતો નથી. જેનામાં માર્ગસાપેક્ષતા હોય તેને ગુરુની નિશ્રાએ ધર્મ કરવાનું મન હોય. તહેતુ અને અમૃતક્રિયા એ બે જ ક્રિયાનું ઉપાદેય તરીકે વિધાન છે. તે સિવાયની ક્રિયા સંસારાનુબંધી જ થાય. બ્રહ્મદત્ત ચક્રવર્તીને આગલા ભવમાં સ્ત્રીરત્નનું નિમિત્ત મળ્યું, તેના કારણે તેમણે પોતે સેવેલા ધર્મનું નિદાન-નિયાણું કર્યું, જેના કારણે જે ધર્મ મોક્ષનું કારણ બનવાનો હતો તે સંસારાનુબંધી થઇ ગયો. આમ, ધર્મ કર્યા પછી પણ ધર્મથી ભ્રષ્ટ થાય તો અનુબંધ ફરી જાય. સભા:- સંમૂરિછમક્રિયામાં અનુબંધ અશુભ કેમ પડે? સાહેબજી:- શાસ્ત્રકારોએ સંમૂચ્છિમક્રિયાનો નિષેધ કર્યો છે. તે રીતે ધર્મ કરે એટલે અસમંજસવૃત્તિથી ધર્મ કર્યો ગણાય, જેની ખતવણી અશુભમાં જ થાય. તેને માર્ગસાપેક્ષતા નથી, પણ માર્ગનિરપેક્ષતા છે. માર્ગનિરપેક્ષતા જયાં સુધી પડી હોય ત્યાં સુધી સંસારાનુબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy