SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ આશ્રવ અને અનુબંધ આપણે આગળ વિચારી ગયા કે એક ના કહેશે કે, હિંસા થાય છે માટે કર્મબંધ છે; જયારે બીજો નય કહેશે કે, હિંસા ન થાય છતાં પણ કર્મબંધ છે. શાસ્ત્રમાં બધી વાતો આવશે. અપ્રમત્ત મુનિને પરદ્રવ્યની પદ્રવ્ય પર અસર નથી, જ્યારે પ્રમત્ત મુનિને પરદ્રવ્યની પદ્રવ્ય ઉપર અસર છે. હમણાં એવું ફરફરિયું આવ્યું છે કે, તીર્થના ઉદ્ધારાદિ કરતાં સાધર્મિકભક્તિમાં વધારે લાભ છે. એક બાજુ બધો ધર્મ અને બીજી બાજુ આ ધર્મ. આ અવળે માર્ગે ચઢાવવાની વાત છે. આવી પ્રરૂપણા કરનાર ભયંકર પાપના ભાગીદાર થવાના. આ તો અપવાદસૂત્ર છે. શાસ્ત્રમાં તો બધા નયપૂર્વકનાં વાક્ય મળશે. જે તે વાક્યને જે તે સંદર્ભમાં જ લાગુ કરાય. “સ્થાને વિનિયોગ” કહ્યું છે. ગમે તે સૂત્ર ગમે ત્યાં ન લગાડાય.આ સૂત્ર ઉત્સર્ગથી નથી. સામાન્ય સંજોગોમાં તે લાગુ ન પડે. આ સૂત્રનો એટલો પ્રચાર કરવા માંડ્યો છે કે, સામાન્ય માણસ પણ ઉત્સર્ગથી તેની વાત કરતો થઇ ગયો છે અને તીર્થકર, જ્ઞાન, મુનિ આદિની આશાતના કરે છે. આગળ સોનામહોરનો દાખલો આપ્યો, તે દાખલો લઈને જો હું વહોરવા જાઉં તો શું થાય? શાસ્ત્રમાં બધું હોય, તો પણ બધાને યથાસ્થાને લગાડવાનું છે. જૈનશાસ્ત્રમાં નયવાદ સિવાય વાત જ નથી. તમે સુધરો તો ઠેકાણું પડે તેમ છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું કે “મUT થો”. જિનાજ્ઞા એ જ ધર્મ છે, બાકી બધો અધર્મ છે. જિનાજ્ઞા જ સમજવા જેવી છે. પદાર્થ, વાક્યર્થ, ઐદંપર્યાર્થઃ સર્વ નયોનો નિચોડ આ જ છે. આજ્ઞા એ જ સર્વસ્વ છે. માટે “ II " કહ્યું. તમે બધા High Intellectual Standard(ઊંચા બૌદ્ધિક ધોરણ) વાળા છો. મને લાગે છે કે તમે જો રસ લેતા થાઓ તો ઠેકાણું પડે તેમ છે. તમને બધાને “સાધુ પાસે ભૌતિક લાભ માટે જવું નહીં.” તેવું વ્રત ઉચ્ચરાવવા જેવું છે. ભૌતિકતામાં તમારે તમારું ફોડી લેવાનું, સાધુઓને તેમાં ભેળવવા નહીં. તેમ દ્રવ્યસ્તવ એ પણ શ્રાવકનું કર્તવ્ય છે, તે સાધુનું કામ નથી. હા, પણ શ્રાવક માટે તે ફરજીયાત છે, યથાશક્તિ કરવું જ પડે. તેમાં તમે તમારા કર્તવ્યથી ભ્રષ્ટ થાઓ તે પણ ન ચાલે. ભૌતિકમાં-વ્યવહારિક અભ્યાસમાં તમે કેટલાં વર્ષો આપ્યાં છે? કેટલો ભોગ આપ્યો છે? તેમ અહીં કરવાનું ચાલુ કરો તો કામ થઈ જાય તેમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy