SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૨૧ થઈ જાય તેમ છે. અમે તમને વાસક્ષેપ નાંખતાં એમ બોલીએ છીએ કે “સંસારનો પાર પામ,” નહિ કે સંસારમાં ઘૂસ. હવે તમને સંસારથી પાર પામવાનું કહીએ એટલે તમારે દીક્ષા લેવાની આવે, કે જે દીક્ષા વગર મોક્ષ નથી. પણ જો આ બધું તમે સમજો તો બધા ભાગી જાઓ ને? કોઈ વાસક્ષેપ નંખાવવા આવે ખરો? પણ અત્યારે તો આના માટે લાઇનો લાગે છે, તેમ કહેવાય ને? અને તેના જ કારણે અમારો સ્વાધ્યાય ગયો છે. નહિતર જૈન શાસ્ત્રો તો દરિયો છે દરિયો. અમારું તો માથું ડોલી જાય છે. હેતુ-સ્વરૂપઅનુબંધથી કેટલું બધું તર્કબદ્ધ રીતે બતાડ્યું છે! કહેવું પડે શું વાત છે ! ભગવાને શું ધર્મ સમજાવ્યો છે ! હેતુવાદનો મૂળ Base(પાયો) logic(તક) છે. પંચાસ્તિકાયની વાતો બતાવી, નયવાદ બતાડ્યો, સાત નય બતાવ્યા, તેમાં પદાર્થ વિજ્ઞાનની દષ્ટિએ વિચારીએ તો આખી દુનિયા સમાઈ જાય છે. આખા જગતને તેમાં સાંકળી લીધું છે. છેલ્લો એવંભૂતનય છે, તે છેલ્લો વિકલ્પ છે. આ બધું Realise થતું (સમજાતું) જાય, આ બધાની જેમ શ્રદ્ધા થતી જાય તેમ જીવ સમકિત પામતો જાય. માટે કહ્યું છે કે સમકિત કાં ગુરુગમથી પામે અથવા શ્રુતના બળથી પામે. આ પામવામાં જ ખરી કસોટી છે. આમરાજાએ ૫૦ વર્ષ સુધી બપ્પભટ્ટસૂરિજીને સાંભળ્યા પછી ક્ષયોપશમ થયો અને તેઓ સમકિતને પામ્યા છે. આ જ રાધાવેધ છે. તમને શેમાં રસ છે? વાસક્ષેપ નંખાવવામાં જ રસ ને? હું તો દીક્ષા લીધી ત્યારથી આ વાસક્ષેપથી થાકી ગયો છું. હું કહું છું ભાઈ, આ વાસક્ષેપમાં તારે જોઇએ છે તેવું કાંઈ નથી. આ તો ચારિત્ર માટે છે. વાસક્ષેપ તો મોક્ષ મેળવવા નંખાવવાનો છે. વિચારજો, તમે કેટલા સંસારથી રૂઢ થઇ ગયા છો? તમારે ખરેખર મોક્ષે જવું છે? તો ધર્મ સાધુ પાસે છે. પણ તમને તો ધર્મથી પણ મેળવવો છે સંસાર. સંસાર સાવદ્ય છે, જ્યારે સાધુજીવન તો નિરવદ્ય છે, માટે સાધુ તેમાં પડે નહિ. તેથી અમારો ઉપયોગ ક્યાં કરવાનો? જો હું અર્થ-કામની વાત કરું તો અહીં ટોળાં ઊભરાય અને મોક્ષની વાત કરું તો બધા પાછા ભાગી જાય. તમારે તો Two in one(એકની પાસેથી બે) જોઇએ ને? બૌદ્ધશાસ્ત્રમાં લખ્યું કે ધર્મગુરુઓ બેઉમાં કામ કરે. પણ આપણે ત્યાં Two in one છે જ નહિ. Exclusively religion(એકમાત્ર ધર્મ) માટે, Singularly (એકવચનમાં) કહું છું. દલાઈલામાની જેમ બંનેમાં રહેવાની વાત નથી કરતો. તમે અમારી ભક્તિ પણ કેમ કરો છો ? ક્યા Ground(વર્તન, વ્યવહાર, મંતવ્ય કે નિરૂપણની ભૂમિકા) પર કરો છો તેના પર બંધનો આધાર છે. સભા- સામે પાત્રમાં શું જુએ? સાહેબજી:-ભક્તિ કરવાવાળો જીવ જુએ કે સામે પાત્ર અયોગ્ય તો નથી ને? નહિતર મિથ્યાત્વમોહનીય બંધાય. એક ઉત્સુત્ર ભાપણ અને બીજું માર્ગવિરુદ્ધ પ્રવૃત્તિ, બંનેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy