SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ આશ્રવ તત્ત્વ હેય(છોડવા યોગ્ય) છે, ઉપાદેય(આચરવા યોગ્ય) નથી. આ સંસાર આશ્રવ તત્ત્વના કારણે જ અનાદિથી ચાલી રહ્યો છે. આશ્રવ શું છે? સંસારમાં અનંતી વર્ગણાઓ પૈકી જીવ આઠ વર્ગણા ગ્રહણ કરે છે. આ કર્મનું બાહ્યદષ્ટિથી મૂળ કાર્મણવર્ગણા છે. અજ્ઞાન-રાગ-દ્વેષ તે આંતરિક મૂળ છે. જુનાં કર્મોથી રાગ-દ્વેષ થાય, ને વળી તેનાથી નવાં કર્મો બંધાય છે. અનાદિની આ ઘટમાળ છે. જે છે તે છે. હવે તેમાંથી આપણે છૂટવાનું છે. જૂનાં કર્મો આપણને રાગ-દ્વેષનાં નિમિત્ત આપે છે. પાછા કષાયથાય એટલે તે વખતે નવાં કર્મો બંધાય છે. This is a vicious circle. (આ વિષચક્ર છે.) આ ચક્રાવામાંથી છૂટવા માટે તત્ત્વનું જ્ઞાન જરૂરી છે. “તત્ત્વજ્ઞાનતિમોક્ષ:'. નવ તત્ત્વનું સંક્ષેપથી કે વિસ્તારથી જ્ઞાન તે તત્ત્વજ્ઞાન છે. કાશ્મણવર્ગણા ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલી છે. તે લોકસ્થિતિ છે. જે કુદરતના નિયમ છે તેમાં કોઈ ફેરફાર કરી શકતું નથી, તીર્થકરો પણ નહીં. જ્યાં પરસ્પર ઉપઘાત(અથડામણ) છે ત્યાં space(અવકાશ)નો પ્રશ્ન છે, યાને કે જ્યાં પરસ્પર ઉપધાત હોય ત્યાં, એક જગ્યા પર એક વસ્તુ હોય તો તે જ જગ્યા પર બીજી વસ્તુ રહી ન શકે. સિદ્ધશિલા ઉપર સિદ્ધના જીવોને પરસ્પર ઉપઘાત નથી, તેથી એક જ આકાશપ્રદેશ ઉપર ત્યાં અનેક સિદ્ધોના જીવોના આત્મપ્રદેશ રહી શકે છે, અવગાહના (ઊંચાઈ) એક જ ક્ષેત્ર ઉપર છે. જ્યાં એક જીવ રહી શકે ત્યાં જ બીજો, ત્યાં જ ત્રીજો, એમ અનંત પણ રહી શકે. માટે સિદ્ધશિલાના એક આકાશપ્રદેશ ઉપર અનંતા સિદ્ધોના આત્મપ્રદેશો રહી શકે છે. તે બધાને પરસ્પર ઉપઘાત નથી, અર્થાત્ શુદ્ધ જીવદ્રવ્યને બીજા દ્રવ્યનો ઉપઘાત નથી. જયાં બાદર પરિણામ છે ત્યાં જ ઉપઘાતના કારણે અવકાશનો પ્રશ્ન છે. અચિત્તમહાત્કંધ(જીવરહિત પુદ્ગલોનો સ્કંધ, ધર્માસ્તિકાય વગેરે) સૂક્ષ્મ પરિણામી છે. તે જયાં હોય તે જગ્યા પર મકાન પણ બની શકે છે, તેમાંથી ગાડી પણ પસાર થઈ શકે, કશો જ વાંધો ન આવે; કારણ કે તે સૂક્ષ્મ પરિણામી દ્રવ્ય છે. જીવ જ્ઞાનાત્મક છે, પ્રકાશાત્મક છે. તેથી મોક્ષમાં, જયોતિમાં જ્યોતિ મળી જાય તેમ, એક જ આકાશપ્રદેશ ઉપર અનંતા સિદ્ધોના આત્મપ્રદેશો રહી શકે છે. સિદ્ધના જીવો રહે છે ત્યાં જ કાર્મણવર્ગણાઓ અને બીજી વર્ગણાઓ પણ છે, છતાં તે બધી વર્ગણાઓ ત્યાં (૧) વર્ગણા પુદ્ગલયા પુલોનો સમૂહ, તે વર્ગણા તરીકે ઓળખાય છે. જગતમાં ૨૬ પ્રકારની વર્ગણાઓ છે તેમાંની ૮ પ્રકારની વર્ગણાને આત્મા પ્રહણ કરે છે, જેના સંક્ષિપ્ત વિવરણ માટે જુઓ પરિશિષ્ટ-૧. (૨) કષાય ? જુઓ પરિશિષ્ટ - પ. (૩) લોકસ્થિતિઃ ચૌદ રાજલોકમાં અમુક કાર્યો અમુક ચોક્કસ નિયમને અનુસરીને ચાલે છે એવો અનિવારણીય નિયમ તે લોકસ્થિતિ. (૪) બાદરપૂલ, જે જગા રોકે છે અને જે ઇંદ્રિયથી ગ્રાહ્ય છે તે બાદરનો પ્રતિસ્પર્ધી શબ્દ તે સૂક્ષ્મ એટલે અનેક પરમાણુ ભેગા થાય તો પણ જે ઇંદ્રિયથી ગ્રાહ્ય થતું નથી તે, જે અછઘ, અદાહ્ય અને અભેદ્ય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy