SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧ ૧ સ્થળ : નવરંગપુરા ઉપાશ્રય, અમદાવાદ. તા. ૧૨-૭-૯૮, રવિવાર, અષાઢ વદ-૩ અનંત ઉપકારી, અનંત જ્ઞાની શ્રી તીર્થંકર ૫૨માત્માઓ, જગતના સધળા જીવો આ દુ:ખમય સંસારમાંથી મુક્ત બની, અનંત સુખમય એવા મોક્ષ સુખને પ્રાપ્ત કરે, એટલા માટે, ધર્મતીર્થની સ્થાપના કરે છે. “તત્ત્વાર્થસૂત્ર” એ ચારે ફીરકામાં માન્ય છે. તે જૈનશાસનનું હૃદય છે, ગાગરમાં સાગર સમાવીને મૂક્યો છે. એક એક અધ્યાયમાં(પ્રકરણમાં) નાનાં નાનાં સૂત્રો રચી તેનો સંગ્રહ કરી આ ગ્રંથ બનાવ્યો ત્યારે પૂર્વી વિદ્યમાન હતાં. તત્ત્વાર્થસૂત્રના રચિયતા પૂ. ઉમાસ્વાતિ મહારાજ છે. તેઓશ્રીના શિષ્ય શ્રીશ્યામાચાર્ય કે જેઓ પૂર્વધર હતા, તેમણે “પ્રજ્ઞાપના સૂત્ર(આગમગ્રંથ)” ઉપાંગ બનાવ્યું છે. તત્ત્વાર્થસૂત્ર ઉપર સૌથી મોટી “ગંધહસ્તી” ટીકા ૮૪૦૦૦ શ્લોક પ્રમાણ રચાઇ છે. અહીંયાં આપણે આખા “તત્ત્વાર્થસૂત્ર”નું વિવરણ ન કરતાં માત્ર છઠ્ઠા અધ્યાયને સ્પર્શ કરીશું. Jain Education International આપણા મન, વચન અને કાયાના યોગ(પ્રવૃત્તિ) કર્મનો řઆશ્રવ કરનારા છે. જે વિચારો, જે બોલો કે જે ચેષ્ટા કરો તેની સામે નિયમા(ચોક્કસ) કર્મબંધ છે; પછી તે શુભ હોય કે અશુભ તે જુદી વાત. તો આની સામે Precautionary steps યાને સાવચેતીરૂપ પગલાં લેવા જેવું તમને જરૂરી લાગે છે ? આપણો કર્મવાદ Natural justice (કુદરતી ન્યાય) ઉપર રચાયેલો છે. (૧) ચાર ફીરકા : શ્રી મહાવીરસ્વામી ભગવાનના નિર્વાણ બાદ શાસનમાં મૂળ શ્વેતાંબર શાખામાંથી જુદાજુદા સમયે (૧) દિગંબર (૨) સ્થાનકવાસી અને (૩) તેરાપંથી એમ ત્રણ પંથ નીકળ્યા, વર્તમાનમાં લોકો આ ચારેને સાથે મળીને જૈનધર્મના ચાર ફીરકા તરીકે ઓળખે છે. (૨) પૂર્વે : જૈન દર્શનનાં અમુક શાસ્ત્રો પૂર્વ તરીકે ઓળખાય છે. પૂર્વ ૧૪ છે. (આગમોના બારમા અંગમાં આવેલ શાસ્ત્રો) (૩) ઉપાંગ : ઉપાંગ નામના ૧૨ આગમ ગ્રંથો છે. ૪૫ આગમોમાં ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦ પયક્ષાસૂત્ર, ૬ છેદસૂત્ર, ૪ મૂળસૂત્ર, ૧ અનુયોગસૂત્ર અને ૧ નંદીસૂત્ર છે. (૪) આશ્રવ : મકાનમાં ખુલ્લાં બારી-બારણાંને કારણે જેમ કચરો ભરાય, તેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ આદિના કારણે જીવમાં શુભાશુભ કર્મનું આવવું તે આશ્રવ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy