SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ આશ્રવ અને અનુબંધ ગુણો દ્વારા જ અનુમોદના કરાય. અમારે સાધુની ઘણી મર્યાદાઓ છે. તમારે આ બધું જાણવું જોઇએ. મારે શું Environment(પર્યાવરણ) ઉપર બોલવાનું છે ? તમે ઝાડ રોપો તેમાં વનસ્પતિકાય, પૃથ્વીકાય, અપ્લાય બધા જીવોનું શું કરવું છે ? Deforestation (વનવિનાશ) થયું છે તેનું Afforestation(વનીકરણ) કરો તેમ મારાથી ન કહેવાય. તેમાં મને ભેળવવા માંગતા હો તો પછી મને સાધુ રાખવો છે કે તમારા ભેગો લેવો છે? આ બધો ભૌતિક વિષય છે. માટે અમે જાણતા હોઇએ તો પણ અમારાથી બોલાય નહિ. અમારે બોલવાનું શું ? અને શું નહિ બોલવાનું ?, તેનાં ધારા-ધોરણ છે. તે ન જાળવીએ તો -વચન-કાયાથી અમે સાફ થઇ જઇશું. અમને લાગે છે કે આ લોકો બહુહુ બગડી રહ્યા છે, પણ અમારાથી બધામાં પડાય નહિ. તમે સુધરો તેમ તો છો જ નહિ. જો હું એમ બોલું કે છાણિયા ખાતરથી પકવેલા અનાજથી શારીરિક દૃષ્ટિએ લાભ થાય અને કૃત્રિમ ખાતરથી પકવેલા અનાજથી શારીરિક રોગોની સંભાવના છે, તે બાબત સાચી હોવા છતાં, તમને લાભ કરનારી હોવા છતાં, મારાથી તેમ ન બોલાય. તમારા શારીરિક, ભૌતિક લાભાલાભની જાણકારી આપી, તે બાબતોમાં તમને પ્રવૃત્ત કરવાનું કામ અમારું નથી. બહુ બહુ તો આ કૃત્રિમ ખાતર ખેતીમાં જે નાંખે છે તે બહુ હિંસાવાળું છે, જ્યારે પેલું ઓછી હિંસાવાળું છે, એમ, હજી હિંસા-અહિંસાનો દૃષ્ટિકોણ આપીએ. છાણના ખાતરથી પકવેલા અનાજના શારીરિક દૃષ્ટિએ ઘણા ગુણો છે, માટે તે વાપરો કે તેને સ્થાન આપો, તેવું સાવદ્ય વચન અમારાથી કહેવાય નહિ. છાણિયા ખાતરમાં પણ હિંસા તો છે, પણ (Overall (સમગ્ર રીતે) જોઇએ તો પેલા કરતાં તેમાં ઓછી હિંસા છે; માટે છાણિયા ખાતરમાં કર્મબંધ ઓછો છે, જ્યારે કૃત્રિમ ખાતરમાં કર્મબંધ વધારે છે; એટલું કહીને અમારે નિવર્તન પામી જવું જોઇએ. તમને ભૌતિક દૃષ્ટિ આપી છોડાવું, જેથી તમને લાભ થાય, પણ મારો તો તેમાં દાટ વળી જાય. શુભારંભમાં પણ અમને સાવદ્ય બોલવાની છૂટ નથી, ઘણી મર્યાદાઓ છે, તો આમાં તો ક્યાંથી બોલાય ? નહિતર અમારાં વ્રતો મલિન થશે અને જો તેને વારંવાર સેવીશું તો વ્રતો તૂટી જશે. માટે અનુપયોગથી ક્યાંય બોલાઇ જાય નહિ તેની પૂરી સાવધાની રાખવાની છે. તમે લોકોએ Science(વિજ્ઞાન) અને Technology (ઔદ્યૌગિક કૌશલ્ય)ના રવાડે ચઢીEcology (પર્યાવરણ કે જીવવિજ્ઞાન) ની વિરુદ્ધ જઇને ઘણું બગાડ્યું છે, તો મારે શું હવે તે વિષય લઇને બેસી જવું? તેમાં તમે કેવી રીતે બચી શકો તેમ છો તેવું અમે ઘણું જાણતા હોઇએ, પણ અમારે તેમાં પડવાનું નથી. સભા:- સંસ્કૃતિ સુધર્યા વગર ધર્મની વાત... ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy