SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૧૭ તેમ કહેવાય નહિ. ઉત્સર્ગથી ભૌતિકક્ષેત્રે અમે જો માથું મારીએ તો અમારા બુરા હાલ થાય. અપવાદથી વિશેષવ્યક્તિગત વાત છે. નહિતર તો આ વિષય વૈદ્યોનો છે, મુનિ જો એમાં પડશે તો તેના ઉત્તરગુણ તથા મૂળગુણોમાં ખામી આવશે. સભા:- ભક્ષ્યાભક્ષ્યનો વિવેક આપી શકે ? સાહેબજી:- હા, ધર્મના એંગલથી આપી શકાય, પણ ભૌતિક એંગલથી નહિ. માટે મુનિ બહુ જ ઉપયોગપૂર્વક બોલે. તેના બોલવામાં ક્યાંય સાવધ ભાષા ન હોય. અમારે તો તમારા ધર્મની અનુમોદનામાં પણ ઘણો ખ્યાલ રાખવાનો છે. અનુમોદનમાં પણ કેટલાં ધોરણો બાંધ્યાં છે ! લખ્યું છે કે સાધુ ગમે તેમાં અનુમોદન ક૨શે તો કુટાઇ જશે, અમારા વ્રતોના ભંગ થશે, અને જો આવું વારંવાર સેવીશું તો વ્રતો તૂટી જશે. અમારે કેટલાં વ્રતો છે ? કેટલી મર્યાદાઓ છે ? નિરવદ્ય જીવનની પરાકાષ્ઠારૂપ એવું અમારું જીવન છે. તમને અમારાં વ્રતો-મર્યાદાઓનો કાંઇ ખ્યાલ છે ખરો? અમારા માટે કરાવણ એટલે શું? તમારું આ કર્તવ્ય છે તે તમને બતાવવાનું, તેની સમજ આપવાની, નહીં કે ગોદા મારીને કરાવવાનું. તીર્થંકરોએ બતાવેલ ચારિત્રનો જગતમાં જોટો નથી, તે પૂર્ણ છે. બાકી સંસાર તો આખો સાવઘ છે. તેમાં મુનિ જો ક્યાંય કરણ-કરાવણ-અનુમોદનથી ઘૂસી ગયો તો મરી જ ગયો સમજજો. અમે અપવાદ સેવીએ તો પણ પૂછે કે તુ ગીતાર્થ છો ? ઉત્સર્ગથી કામ નહોતું થતું? આમ, બધું મને પૂછે. ગીતાર્થ પણ અપવાદ ધારાધોરણથી સેવે. અમારું Constitution (બંધારણ) ભણે તેને અમારા ધારા-ધોરણોની ખબર પડે. અહીં અમારે ચારિત્રના પરિણામો સાચવવાના છે, માટે સાવદ્ય ભાષા ચાલે જ નહિ. તમે પાંચમે ગુણસ્થાનકે આવો તો તમારા નિયમો પણ ફરી જાય છે, તો પછી અમારા માટે તો શું આવે ? ઘણા કહે કે આવાને તો ફાંસી આપી દેવી જોઇએ. તે અસત્યભાષા છે. કેમ ? તમે બધા તો બહુ કર્તવ્યનિષ્ઠ અને ઊંચા પ્રકારના માણસો છો ને ? માટે ગમે તે બોલો તે ચાલે ને ? જેટલાં સત્તાસ્થાનો છે તે બધાં જોખમી છે, દુર્ગતિનાં કારણો છે. જો વિવેક ન હોય તો, પ્રવૃત્તિ અને પરિણામ અલગ જાળવી ન શકે તો, “રાજેશ્વરી તે નરકેશ્વરી’’ તે સૂત્ર જ તેમને Apply થાય(લાગુ પડે). માટે યોગ્ય કાર્ય કરવાની શક્તિ હોય એટલા માત્રથી કામ ન ચાલે, તેમાં પરિણામ બરાબર જાળવવા પડે. ન સભાઃ- શ્રાવક સારી પૂજા કરતો હોય તો તેની અનુમોદના કરી શકો ? સાહેબજીઃ- તમારી ભક્તિ માટે વિશેષ કહીએ, કારણ ભક્તિ ભગવાનની કરે છે. પણ પૂજા શુભારંભ છે. શુભારંભની સાક્ષાત્ અનુમોદના પણ સાધુને માટે નિષેધ છે. માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy