SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ આશ્રવ અને અનુબંધ પાછા ભૌતિક ગુણ-દોષની વાત એ અમારી મર્યાદા બહાર છે. એ વૈદ્યોનો વિય છે. શરીરની દષ્ટિએ પદાર્થના ગુણ-દોષનું વર્ણન અમારાથી ન કરાય. જે મુનિને સાવદ્યનિરવદ્યનો ઉપયોગ છે તે જ મુનિ બોલવાનો અધિકારી છે. માટે પેલામાં આયુર્વેદ આવે, તે અમે જાણતા હોઈએ તો પણ અમારાથી બોલાય નહિ, અમારે મૌન સેવવાનું. સભા - સંઘમાં જમણમાં શું વાપરવું તેમ શ્રાવક પૂછવા આવે તો? સાહેબજી:- ધાર્મિક અનુષ્ઠાનોમાં પણ તમે અમને પૂછવા આવો તે વખતે પદાર્થોના ઉપયોગની બાબતમાં સાવધ ભાષા અમારે વાપરવાની નથી. કહીએ કે સંઘમાં છ'રી પાળવાની. આવાં દ્રવ્ય, આવાં ક્ષેત્ર, આવા કાળ એ બધું બતાવાય, પણ કયું પાણી લાવશો? નદીનું કે કૂવાનું? એક એક દ્રવ્યના ગુણ કેટલા? જેમ શાકના ગુણ કેટલા? દોષ કેટલા? એ બધું અમારાથી બોલાય નહિ. નીતિ-અનીતિ, હિંસા-અહિંસા, વિધિ-અવિધિ વગેરે પૂછવાનું, બાકી પદાર્થના ગુણ-દોષની બાબતમાં સલાહની અપેક્ષા અમારા તરફથી રખાય જ નહિ. તે વૈદ્યોનો વિષય છે. તેમની પાસેથી મળે અમારી પાસેથી નહિ. પહેલાંની જીવનવ્યવસ્થા હતી તેના કરતાં અત્યારની જીવનવ્યવસ્થામાં અધિક હિંસા છે. ભૌતિકશાસ્ત્ર તો ઘણું વિસ્તૃત છે. તેનો અંત જ ન આવે, અને તમે તો પાછા એકની સાથે બીજાને સાંકળી સાંકળીને બધાને ધર્મમાં ખપાવો, પણ અમારાથી તેમાં ન પડાય. કહ્યું છે કે, શ્રાવકને ચાર પુરુષાર્થને યોગ્ય શરીર જોઇએ, પણ તેમાં અમારે કરણ-કરાવણ-અનુમોદન ત્રિવિધ ત્રિવિધ ન આવે તેવી ભાષા બોલવી જોઇએ. ૧૧ પ્રકારની ભાષા છે. અપવાદની વાત જુદી છે, તે પ્રસંગવિશેષે વાત છે. અપવાદમાં પાછી સાત અપવાદની વાત આવે છે. જ્યાં છઠ્ઠો અપવાદ લાગે ત્યાં સાતમો અપવાદ લગાડો તો વિરાધના છે. સાતમો અપવાદ લાગતો હોય ત્યાં તેને ન લગાડો તો પણ વિરાધના છે. જ્યાં જે અપવાદ લાગુ પડતો હોય તે જ ત્યાં લગાડવાનો, બીજો નહિ. ઉત્સર્ગથી વ્યવહારનય-નિશ્ચયનય બંને ભેગા હોય. બંનેને સાથે રાખીને ચાલવાનું છે. દ્રવ્યચારિત્ર અને ભાવચારિત્ર બેઉ સાથે હોય. બેઉ એકબીજાના પૂરક છે. ભગવાન પણ બેઉ સેવે છે. અમારે ત્યાં દ્વાદશાંગીના પારગામી મહાત્મા ભૌતિકક્ષેત્રે પણ બધું જ જાણતા હોય, તો પણ જાણવા-જોવા છતાં ભૌતિકોત્રે કાંઈ બોલે નહિ. અનર્થ થઇ રહ્યો હોય તો પણ આ માણસને આ ઔષધ આપવાથી લાભ થશે અને અમુક દ્રવ્ય આપવાથી નુકસાન થવાનું છે એવી જાણકારી હોય, છતાં પણ અમારાથી તે વાપરો અને ન વાપરો (૧) ચાર પુરુષાર્થ : ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ એટલે જુઓ પરિશિષ્ટ X-૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy