SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૧૫ તૈયાર છીએ. વિધિથી કરેલા ધર્મનું ફળ ઘણું જ છે. માટે ધર્મક્રિયામાં દરેક પ્રવૃત્તિ વિધિપૂર્વક કરવાનો આગ્રહ જોઇએ, તમારું પ્રણિધાન જોઇએ, પ્રણિધાનમાં ખામી તો પરિણામમાં ખામી. વ્યવહારનય પ્રવૃત્તિથી ધર્મ માને છે, પણ તેમાં જિનાજ્ઞા પ્રધાન છે; જ્યારે અવિધિમાં મોટેભાગે સ્વેચ્છાચાર જ પ્રધાન કારણ હોય છે. તમે થોડા ઉદાર થાઓ તો બધું શક્ય છે. સામા માણસને સમજાવો કે માણસો-રસોઇયા થોડા વધારે રાખો અને વિધિ સાચવો. સંઘજમણમાં તમારે સહાયક થવું જ જોઈએ. માર્ગ તો આ જ છે. માટે વિધિનો ઉચ્છેદ ના કરાય, પણ અવિધિ અટકાવવા પ્રયત્ન કરવો જોઇએ. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની શુદ્ધિ અપેક્ષિત છે. અહીં તેની પ્રધાનતા છે. ભાવ પણ દ્રવ્યક્ષેત્ર-કાળની શુદ્ધિ માંગે છે. નિશ્ચયનય સાધ્યને (ભાવને) મહત્તા આપે છે, જયારે વ્યવહારનય તેનાં સાધનો યાને દ્રવ્ય-ક્ષેત્રકાળને પણ મહત્તા આપે છે, માટે દ્રવ્ય-ક્ષેત્ર-કાળનું પણ સ્થાન છે. વ્યવહારનયથી તીર્થની સ્થાપના છે, તેથી જે વ્યવહારનયને લોપે છે તે તીર્થની આશાતના કરે છે. માટે દ્રવ્ય-ક્ષેત્રકાળ Maintain કરવા(જાળવવા) જોઇએ. અત્યારે સંઘજમણમાં લાખો રૂપિયા વાપરો છો, તો તેમાં બે-ચાર માણસ, રસોઇયા વધારે રાખી વિધિ સાચવવી મુશ્કેલ નથી. વિધિની ખામી હશે તો પરિણામની વૃદ્ધિ નહિ થાય. કોઇપણ ધર્મક્રિયામાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળને વ્યવહારનય પ્રધાનતા આપે છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ એ ચારેની શુદ્ધિનો આગ્રહ જોઇએ. તમે તેમાંથી કોઈ એકને જ પકડી લો, તો તે ન ચાલે. ચારેની શુદ્ધિ માટે પ્રયત્નશીલ રહેવાનું. વ્યવહારનય પણ ભાવને નથી જ માનતો તેમ નથી. થોડા પૈસા વધારે ખર્ચો તો બધું સચવાઈ શકે. દ્રવ્ય પણ ભક્ષ્યાભઢ્યના વિવેકપૂર્વકનું વિહિત હોય, મર્યાદાપૂર્વકનું હોય. સભા-ગેસનો ચૂલો વગેરેનો ઉપયોગ થાય? સાહેબજી:- એ ભૌતિક વસ્તુ છે. જો હિંસા-અહિંસાની દષ્ટિએ પૂછતા હો તો સૌથી શ્રેષ્ઠ છાણાં અને લાકડાં વગેરે છે. તેમાં પણ ભૌતિકશાસ્ત્રની (શરીરશાસ્ત્રની) દષ્ટિએ ઘણા લાભાલાભની વાત છે, પણ તેમાં અમારાથી પડાય નહિ. ધર્મની દષ્ટિએ, વિધિની દષ્ટિએ તમે ચોક્કસ હો તો આ બધી બાબતોમાં તમને વાંધો ન આવે. બાકી, ગુણની દષ્ટિએ ઘણી બાબતો આવે. પણ શરીરશાસ્ત્ર એ અમારો વિષય નથી. ધાર્મિક દૃષ્ટિએ ઓછી હિંસાની વાત છે. સંસારનું સ્વરૂપ જ એવું છે. આ બેઉ ભૌતિક બાબત છે. એકમાં અધિક હિંસા છે, બીજામાં અલ્પ હિંસા છે; માટે અલ્પ હિંસાવાળી જીવનવ્યવસ્થામાં ગોઠવાવા જોઇએ. અમે હિંસા-અહિંસાની દૃષ્ટિથી વાત કરીએ, નહિ કે ભૌતિક-શારીરિક લાભાલાભના દૃષ્ટિકોણથી. અમારી મર્યાદા હિંસા-અહિંસા, નીતિ-અનીતિ, ગુણ-દોષ સુધી છે. તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy