SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ આશ્રવ અને અનુબંધ છે. દર્શનાચારમાં તેને સ્થાન આપ્યું છે. તમારી શક્તિ પ્રમાણે કરવાનું છે. પહેલાં ઘરનાંને, પછી પરિવારને, ગામને, સંઘને તમારે યાત્રા કરાવવાની લખી છે. માટે તીર્થ એ કાંઈ ગમે તે વસ્તુ નથી. જયાં જે સૂત્ર લાગુ પડે તે ત્યાં લગાડવું જ પડે. સભા- સાહેબજી, દર વર્ષે વાહનમાં જાત્રા કરવી કે ત્રણ-ચાર વર્ષે 'છ'રી પાળતાં જાત્રા કરવી ? શેમાં લાભ વધારે ? સાહેબજી:-છ'રી પાળતાં યાત્રા કરવી તેમાં જ વધારે લાભ છે. છ'રી પાલિત યાત્રામાં તીર્થ સુધી પહોંચતાં પહોંચતાં અધ્યવસાયની ક્રમસર શુદ્ધિ સુંદર રીતે થતી જાય છે. છ'રીમાં ગોઠવણ જ એવી છે કે ત્યાં પહોંચો ત્યાં સુધી રોજ રોજ તમારું ઘડતર સારું થતું જાય. અહીંયાં છ'રી છે તે Groundwork (પાયો તૈયાર કરવાનું કામ) છે, જ્યારે પેલી યાત્રામાં આ કશાનો અવકાશ નથી. દવામાં પણ જેમ Course(વિધિસર ઉપચાર) કરે, તેને ધીરે ધીરે ફાયદો થાય, તેમ અહીંયાં પણ પ્રવૃત્તિ કરતાં કરતાં અધ્યવસાયની શુદ્ધિ ક્રમસર વધતી જાય, અને Peak (ટોચ) સુધી પહોંચે. ધર્મનું વાતાવરણ તૈયાર થાય તેમ મનથી તૈયાર થઈ જાઓ ને? હા, ઉપાદાન બરાબર ન હોય તો જુદી વાત. ક્યાં છ'રી પાલિત સંઘ સાથે યાત્રા અને ક્યાં આજની તમારી વાહનોમાં જઈ થતી યાત્રા? બેની તુલના થઈ શકે તેમ નથી. છ'રીમાં ઘણો લાભ છે. તેવી રીતે યાત્રા કરનાર, કરાવનાર અને તેની અનુમોદના કરનારને ઘણો વધારે લાભ છે. છ'રી પાળતો સંઘ કાઢીને યાત્રા કરાવવી જોઇએ. સંઘમાં જે બધા આરાધના કરે તેનો હિસ્સો સંઘપતિને મળે. આમ, ઘણા જ લાભ છે. વ્યવહારનયથી સૂત્ર છે કે દાનથી મોક્ષ છે. તેને થાય કે બધા મારા સયાત્રીઓ છે, તેમની ખૂબ ભક્તિ કરે, તેઓને અનુકૂળ સામગ્રી આપે, સાધનામાં સહાયક થાય; તેથી બધાની આરાધનાનો હિસ્સો તેને મળે છે. માટે આવી યાત્રા કરનાર, કરાવનાર અને અનુમોદના કરનાર બધાને ઘણો લાભ છે. સભા - સંઘજમણ વખતે ચાર વાગ્યામાં રસોઈ શરૂ કરે તેવા સંઘજમણમાં જવાય ખરું? સાહેબજી:- તમને અવિધિ બધે ઘુસાડવાની આદત પડી ગઈ છે. સંઘજમણ હોય તો તમારે જવાની ફરજ છે, જવું જોઈએ. અવિધિ થતી હોય તે અટકાવવા પ્રયત્નશીલ થવું. તમારે કહેવું કે, તમે આટઆટલું કરો છો, થોડી વિશેષ કાળજી લઈ આટલી અવિધિ દૂર કરશો અને વિધિ જાળવશો તો લાભ વધારે છે. ભલે ખર્ચ થોડો વધારે થાય, અમે આપવા (૧) છ'રી: (૧) સચિત્ત પરિહારી (૨) એકલ આહારી (૩) પાદચારી (૪) આવશ્યકકારી (૫) ભૂમિસંથારી (૬) બ્રહ્મચારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy