SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૧૩ છે. આપણા તીર્થની રક્ષાનો પ્રશ્ન આવ્યો ત્યારે પ્રભાવક ધર્માચાર્યે વિચાર કર્યો કે અત્યારે શેની જરૂર છે ? લાગ્યું કે ધનની જરૂર છે, ધનથી જ આ તીર્થ બચી શકશે, નહિતર તીર્થનો નાશ થશે. આ લોકોની સામે થવાનું એમ સહેલું નથી તેવું લાગેલું ત્યારે, તેઓએ ઉત્સર્ગનો ત્યાગ કરીને અપવાદસૂત્રને હાથમાં લીધેલ. આમ તો પ્રભાવક ધર્માચાર્ય ગોચરી વહોરવા ન જાય, પણ ત્યારે તેઓ પોતે ગોચરી માટે ગયેલા. આટલા પ્રભાવક ધર્માચાર્ય ગોચરી માટે આવે એટલે લોકો તેમને આ..લો..આ..લો. . તેમ કહે. ત્યારે તેઓ ના કહેતા જાય અને પછી એ વખતે કહે સુવર્ણમુદ્રાનો ખપ છે. તેમ કરી રક્ષા માટે જેટલી આવશ્યકતા હોય તેટલી પૂરી કરી. આમ, રક્ષા માટેનું ધન અપવાદમાર્ગે આ રીતે ભેગું કરેલ. ભૂતકાળમાં આ રીતે પ્રભાવક આચાર્યે તીર્થની રક્ષા કરેલી. પરંતુ આ અપવાદસૂત્ર છે, જે પ્રભાવકચરિત્ર નામના ગ્રંથમાં બતાવેલ છે; પણ તે અત્યારે અપનાવવા જાઓ તો મરી જાઓ, મહા અનર્થ થઇ જાય. યાદ રાખજો, આ ઉત્સર્ગસૂત્ર નથી. માટે સ્થાને નયનો વિનિયોગ કરવાનો છે. આરાધના કરતાં રક્ષામાં અનેક ગણાં પુણ્ય અને નિર્જરા છે. ઉત્સર્ગથી તો સાધુ જીર્ણોદ્ધાર માટે પણ શ્રાવકનું ધ્યાન ન દોરે. પરંતુ અપવાદથી ગુરુએ વિમલમંત્રીનું દેલવાડાના જીર્ણોદ્ધાર માટે ધ્યાન દોર્યું હતું. ત્યારે વિમલમંત્રીએ કહ્યું, “મને અનુપયોગ થઇ ગયેલ, આપે ધ્યાન દોર્યું તે આપનો ખૂબ ખૂબ ઉપકાર છે.” પછી તેમણે બધું સંભાળી લીધું હતું. આરાધના કરતાં રક્ષામાં અનેક ગણાં પુણ્ય અને નિર્જરા બતાવ્યાં છે. આરાધના અને રક્ષાની કોઇ તુલના નથી. આરાધના વ્યક્તિગત બાબત છે, જ્યારે રક્ષા તો સમષ્ટિગત બાબત છે. રક્ષાના કેટલાક સંજોગોમાં અમારે અપવાદનું સેવન કરવું પડે. તમારા માટે અપવાદસૂત્રો છે, તેમ અમારા માટે પણ અપવાદસૂત્રો છે. ઉત્સર્ગ કરતાં અપવાદ વધારે બળવાન છે. અમારે ત્યાં એટલે સુધી કહ્યું છે કે, જ્યારે વિશિષ્ટ સંયોગો અર્થાત્ વિશિષ્ટ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ઊભા થયા હોય ત્યારે, જે ઉત્સર્ગને પકડી રાખી અપવાદને સેવતો નથી તે વિરાધક છે. માટે શક્ય હોય ત્યાં સુધી રક્ષા કરવી જ પડે. આ દર્શનાચાર છે. આરાધના કરતાં આનું ફળ અનેકગણું છે. તેના માટે જેટલા પૈસા વેરવા પડે, રાજકીય લાગવગો લગાવવી પડે તે બધું કરવાનું. અહીંયાં સમકિત ન પામે તેવો જીવ પણ તીર્થમાં સમકિત પામી જાય. કારણ ત્યાં પુદ્ગલો વિશુદ્ધિથી વાસિત હોય છે, તીર્થંકરો આદિનું અહીં આવાગમન પણ થયેલું હોય છે, તેમનાં કલ્યાણકોની ભૂમિ હોય છે. જે દેરાસર ૧૦૦ વર્ષ જૂનાં છે તે પણ તીર્થ ગણાય. છતાં જે તીર્થમાં તીર્થંકરો આદિનું આવાગમન હોય તેવાં તીર્થોમાં જે કરો તેનું વિશેષ ફળ. એટલે જ તમારા માટે તીર્થયાત્રા એક કર્તવ્ય તરીકે મૂકી છે. તે દર્શનશુદ્ધિનું પ્રબળ કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy