SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ આશ્રવ અને અનુબંધ છે. તે ચાલે તો સાડા ત્રણ હાથ નજર રાખીને ચાલે. માટે અકસ્માતથી કોઇ જીવ આવી તેના પગ નીચે નાશ થઇ જાય તો પણ તેને હિંસા નથી, કારણ ઉપયોગવાળો છે. માત્ર સ્વરૂપહિંસા તે હિંસા નથી. તમે તો ઉપયોગ વગર જ ચાલો ને? માથું-નજર ક્યાંય ફરતાં હોય અને ચાલતા ક્યાંય હો. તમે આવી રીતે ચાલો છો માટે, કદાચ સ્વરૂપથી હિંસા ન પણ થઇ હોય છતાં, અંદરથી તેમને જીવોને બચાવવાની વૃત્તિ પડી ન હોવાના કારણે, તમને હિંસાનું પાપ લાગવાનું. તેની સામે અમે ઇર્યાસમિતિપૂર્વક ચાલતા હોઇએ અને સ્વરૂપથી હિસા થઈ પણ જાય, તેમ છતાં અમને હિંસાનું પાપ નહીં. આમ બંનેના અધ્યવસાયમાં ઘણો ફરક છે. વ્યવહારનય તો કહેશે, જીવ મર્યો કે નહિ?, તે જુઓ. સ્વરૂપહિંસા-અહિંસાની ચર્ચા વ્યવહારનય કરશે, જ્યારે નિશ્ચયનય તો અધ્યવસાય જ માગશે. સભા- પ્રમત્તથી હિંસા નથી થતી ત્યારે તેને કયા જીવની હિંસાનું પાપ લાગે છે ? સાહેબજી:- પ્રમત્ત છે તે જ પાપ છે. અન્ય જીવની હિંસાનું પાપ વ્યવહારનય માને છે, નિશ્ચયનય તો કહેશે કે પ્રમત્ત છે માટે આશય મલિન છે, અંદરથી બીજાના પ્રાણવધની ઉપેક્ષાવાળો છે, માટે તે ઉપેક્ષાવાળો અધ્યવસાય જ પાપવાળો છે, હિંસાવાળો છે. સભા- આપણને કયો નય લાગુ પડે ? સાહેબજી:-બેઉ નય લાગુ પડે. જયણામાં અપ્રમત્ત રહેવાનું. જયણાને ધર્મની માતા કહી છે. જીવદયાના અધ્યવસાયપૂર્વક જયણાથી પ્રવૃત્તિ કરવાની છે. માટે અપ્રમત્ત મુનિ ખાવા છતાં ઉપવાસી છે, તેમ નિશ્ચયનય કહે છે. તેના મતે ઇર્યાસમિતિપૂર્વક ચાલતાં ચાલતાં કોઈ જીવ પગ નીચે નાશ થઇ જાય તો પણ પાપ નથી લાગતું, તે હિંસા નથી. જયારે વ્યવહારનય કહેશે, પગ નીચે જીવ મરે છે તો કર્મબંધ છે. આમ, નયો અત્યંતર અને બાહ્ય બંને રીતે તપાસ કરે છે. હવે વ્યવહારનય અને નિશ્ચયનય જો સામસામે આવે ત્યારે નિશ્ચયનયને પ્રધાનતા આપવી પડે, અને સામસામે ન આવે ત્યાં સુધી બેઉ નયનું પોતપોતાનું સ્થાન છે, જેમ કે અપ્રમત્ત મુનિને પગ નીચે જીવ આવી ગયો અને મરી ગયો, પણ અંદરથી તેઓ અપ્રમત્ત છે, માટે કર્મબંધ નથી. અપ્રમત્તમુનિને હિંસા ગમતી નથી, તેમને અહિંસાનો જ આગ્રહ છે, તે માટે તેઓ પૂર્ણ જાગ્રત હતા, છતાં હિંસા થઇ ગઈ તો તેમાં તેમનો પ્રમાદ કે પુરુષાર્થ જવાબદાર નથી. આપણે આગળ વિચારી ગયા તેમાં, જે મુગ્ધ છે તેને અસત્ પ્રવૃત્તિ કરવા છતાં, કોઇ સત્ય સમજાવે તો સ્વીકારવાના અધ્યવસાયવાળો છે, અસત્યથી નિવર્તન પામવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy