SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ આશ્રવ અને અનુબંધ અવિધિ હોવા છતાં હૈયામાં પક્ષપાત વિધિનો છે, પરિણામ અવિધિથી નિવર્તન પામવાનો છે, જેને Plus point(જમા પાસા તરીકે) ગણ્યો છે. પાછું તેને જે કહેવામાં આવે તે બધું તે તરત જ માની જ લે તેવું પણ જરૂરી નથી. પોતાના Intellectual level(બૌદ્ધિક કક્ષા) પ્રમાણે સમજવા માટે ઉચિત સ્થાને પ્રશ્ન પણ કરે. સાધુ સમજાવે ત્યારે તેણે આપેલ સમાધાન પર મુક્ત મનથી વિચારે. તેને થાય કે શુભ યોગ તે વળી કાંઇ સંસારાનુબંધી હોય ? શુભ યોગના વિપાકમાં કાંઇ સંસાર હોય ? સામાન્યથી આવું ના હોય છતાં કેમ આમ કહે છે ? માટે જરૂર અહીંયાં દાળમાં કાંઇક કાળું છે, તેમ થાય. આમ પ્રશ્નો પૂછી સમાધાન મેળવતો જાય, તેના પર ચિંતન કરતો જાય, તેમ તેને પોતાની ભૂલનો અહેસાસ થતો જાય. તમે વેપારમાં બધો વિચાર કરો ખરા ને ? કોઇ યોગ્ય માણસ ભૂલ બતાવે તો તરત સુધારી લ્યો ને ? ત્યાં તમે સરળ છો. હા, અહીંયાં જ તમારે બધું લોલંલોલ ચાલે છે. કારણ વેપારમાં અર્થનો લોભ છે, માટે ત્યાં સીધા ચાલો છો, તેમ અહીંયાં તમને તમારા કલ્યાણનો રસ હોવો જોઇએ. બસ, થાય કે આ ખોટું છે, તેનાથી મારું અકલ્યાણ છે, માટે મારે તેમ નથી કરવું, સાચું જ કરવું છે. અશુભ ક્રિયા કરતાં પણ અધ્યવસાય જો શુભ વિદ્યમાન હશે તો તે જીવ બચી જવાનો. પૂ.આ.શ્રીહરિભદ્રસૂરિજી લખે છે કે ધર્મથી વૈમાનિક દેવલોકનાં સુખો પણ મળી શકે, તેની સરખામણીમાં આ બીજાં સુખો તો તુચ્છ છે. સંસારનાં કોઇપણ ભૌતિક સુખો ધર્મના પ્રભાવે જ મળે છે, પણ ધર્મ તો નિરીહતાપૂર્વક(આશંસા રહિતપણે) કરવાનો છે, યાને કે કોઇ ભૌતિક સુખની ઇચ્છાથી કરવાનો નથી. ઇચ્છા કરવી હોય તો તે મોક્ષ માટે જ કરવાની છે. ભવિષ્યમાં આવા જીવોને કોઇ સારો યોગ થશે તો તે તરત પાછા વળી જશે. અંદર સાચાને સ્થાન છે માટે શાસ્ત્રકારોએ તેવા જીવોને પણ સ્થાન આપ્યું છે. સભા:- પ્રમત્તથી હિંસા કઇ રીતે ? સાહેબજી:- પ્રમત્ત હોય તેનાથી બીજા જીવોના પ્રાણોનો નાશ થાય તે હિંસા છે. પ્રવૃત્તિ હિંસાની થાય તો પાપ છે, તે સૂત્ર વ્યવહારનયથી છે. વ્યવહારનયથી તો અપ્રમત્ત હોય તેનાથી પણ કોઇ જીવની વિરાધના-હિંસા થાય તો તે પાપ છે; જ્યારે નિશ્ચયનય તો કહેશે કે પ્રમત્ત હોય ત્યારે, બીજા જીવોના પ્રાણનો નાશ ન થતો હોય તો પણ તે હિંસા છે. પાછું એ પણ કહેશે કે અપ્રમત્ત હોય ત્યારે બીજાના પ્રાણનો નાશ થતો હોય તો પણ હિંસા નથી. કારણ નિશ્ચયનય તો અધ્યવસાય કેવો છે?, અધ્યવસાય મલિન છે કેClear(ચોક્ખો) છે ? તે જ જોશે. અપ્રમત્તની અંદરની શુદ્ધિ પૂર્ણ છે, પ્રમત્તદશાવાળાનો અધ્યવસાય મલિન છે. પ્રમત્તઅધ્યવસાયવાળો ઉપયુક્ત નથી, જ્યારે અપ્રમત્તઅધ્યવસાયવાળો તો ઉપયુક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy