SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ આશ્રવ અને અનુબંધ આગ્રહ કે કદાગ્રહ ન હોય, બલકે મનમાં તેના માટે ખેદ હોય અને પશ્ચાત્તાપ થતો હોય, અને થતું હોય કે હું ક્યારે સારી વિધિસર ક્રિયા કરું ? તો તે પ્રજ્ઞાપનીય છે. તેથી તેની આવી અવિધિથી કરાતી ધર્મક્રિયા વખતે પણ અનુબંધ તો વિધિનો જ પડશે; કારણ કે તેને અવિધિનો પક્ષપાત નથી, પક્ષપાત તો વિધિનો જ છે. સભા- પ્રમાદપણે કરતો હોય તો પણ પક્ષપાત વિધિનો હોય? સાહેબજી:-હા, અપ્રમત્તપણે કરવું કાંઇ સહેલું છે? તેનાથી નાની નાની અવિધિથઈ જતી હોય, તેનો તેને મનમાં ખટકો હોય, પશ્ચાત્તાપ હોય, અવિધિ ઘટાડવા-અટકાવવા ઉદ્યમશીલ હોય, અવિધિ પ્રત્યે અરુચિ હોય; તેને થતું હોય કે “ક્યારે મારી આ અવિધિ દૂર થાય અને ક્યારે હું વિધિથી સારી રીતે ધર્મક્રિયા કરું?” સમકિતી કે દેશવિરતિધર પણ ક્યારેક ઉપયોગરહિતપણે ધર્મની ક્રિયા કરતો હોય, પણ અંદર વિધિનો પક્ષપાત પડ્યો જ હોય, આ જ કરવા જેવું છે તેવો ભાવ તેને પડેલો જ હોય. ઉપાદેયબુદ્ધિ પડેલી હોય તો દ્રવ્યક્રિયા પણ તેને ભાવક્રિયાનું કારણ બનશે. બધું વિધિ પ્રમાણે, અપ્રમત્તપણે કરવું કાંઈ રમત વાત નથી. એક પ્રતિક્રમણ પણ જો તમને વિધિ સહિત, જેમ કે આ રીતે સંડાસા, આ રીતે ખમાસમણાં, આ રીતે મુદ્રાઓ વગેરે બતાવી તે જ પ્રમાણે કરવાનું કહીએ તો તમે ભાગી જાઓ તેમ છે. તે રીતે કેટલા જણા કરી શકે ? માટે અપ્રમત્તપણે કરવું કાંઈ રમત વાત નથી. જેમાં અનુપયોગ હોય તે ક્રિયા સામાન્યથી તેની દ્રક્રિયા છે, પણ આ દ્રવ્યક્રિયાનું Groundwork(પ્રાથમિક ભૂમિકા-પાયો) તેને આગળ કામ લાગશે. કારણ અવિધિ કરવા છતાં તેને વિધિનો પક્ષપાત છે, અવિધિ તેને ખટકે છે, તેનો તેને ખેદ છે, તેનો પશ્ચાત્તાપ છે. માટે તેને અનુબંધ વિધિનો પડે છે. વર્તમાનની ક્રિયા તુટીવાળી છે, પણ તે તૂટી ભવિષ્યમાં તેને નીકળી જવાની છે. અંતરાયો તૂટી તૂટીને તેને વિધિની પ્રાપ્તિ થશે. આ બધું ધીમે ધીમે થશે, પણ કોને ? ક્ષતિ હોવા છતાં તે ક્ષતિનો જેને પક્ષપાત નથી તેને. 'ચતુર્ભગીમાં આ ભંગ નીચલી કક્ષામાં આવશે. કેમ કે ખોટામાંથી પાછા ફરવાની તૈયારી છે, હૃદયમાં સત્યનો પક્ષપાત પડેલો છે, પરંતુ સ્વરૂપથી અવિધિ છે; માટે અમે તેને પણ આદર્શ તરીકે નહીં મૂકી શકીએ. આવા જીવો ભલે ૨૫ વર્ષથી સ્વરૂપથી અવિધિથી ધર્મ કરતા હશે. ઘણા જીવો અજ્ઞાનતાના કારણે અવિધિ સેવતા હોય તો તેને સત્ય સમજાવનાર મળશે તો તે અવિધિ તરત છોડી દેશે, કારણ અંદર સત્યનો જ પક્ષપાત છે. સ્વરૂપથી (૧) ચતુર્ભણી ચાર ભાંગી. જેમ કે વિધિ અને પક્ષપાતના ચાર ભાંગા આ રીતે થાય. વિધિ છે તેનો પક્ષપાત છે, વિધિ નથી તેનો પક્ષપાત છે. વિધિ છે તેનો પક્ષપાત નથી, વિધિ નથી તેનો પક્ષપાત નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy