SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ આશ્રવ અને અનુબંધ મળે એટલે બસ, પાતરા ભરી આપવા; પણ તેને કાંઇ ખબર નહીં કે હું આ બધું વહોરાવું છું તે સકારણ છે કે નિષ્કારણ છે? આધાકર્મી ક્યારે વહોરાવાય અને ક્યારે ન વહોરાવાય? તેમાંનું તે કાંઇ જ જાણતો નહોતો. પણ બસ, ખાલી પાતરા ભરી દેવા તેટલું તેને બેસી ગયેલું. પણ જયારે મહાત્મા તેને સમજાવે કે, ભાઈ ! વહોરાવવામાં પણ તારે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ બધાથી વિચારવાનું. ઉત્સર્ગથી શું? અપવાદ ક્યારે ? વગેરે બધું સમજાવે તો તે ઝીલવા તૈયાર હોય, તો સમજવાનું કે તેને ખોટાનો આગ્રહ નથી, તે સાચા માર્ગ પર આવી શકે તેમ છે. અત્યારે તેનાથી જે અવિવેક થઈ રહ્યો છે તે અજ્ઞાનતાના કારણે છે, અપ્રશસ્ત કષાયના તીવ્ર પરિણામ નથી. ખોટાનો આગ્રહ તે જ ભારે અપ્રશસ્ત કષાયો છે, જયારે આને અંદરથી અસત્ય પ્રત્યે પક્ષપાત નથી; માટે પૂ. ઉમાસ્વાતિજી મહારાજ સાહેબે લખ્યું કે આવા જીવો પુણ્યબંધની સ્થિતિ અધિક બાંધે છે. સભા- કોઇ સાચું સમજાવનાર ન મળે તો ? સાહેબજી:- પ્રજ્ઞાપનીય હશે તો તે બચી જવાનો, પણ જો અભિનિવિષ્ટ હશે તો ઊડી જવાનો. કોઇના કહેવાથી અર્થ-કામ માટે ધર્મ થાય તેમ સમજીને સામાન્ય બુદ્ધિવાળો જીવ ધર્મ કરતો થઈ જાય, પણ અંદર તેને કેવો અધ્યવસાય છે ? Open-minded(ખુલ્લા મનવાળો) છે કે Prejudice(પૂર્વગ્રહ) થઈ ગયો છે? ઊંધું કરે છે તેનો તેને આગ્રહ છે? કે સાચું સમજાવવામાં આવે તો તરત જ તેને ઊંધે રવાડે ચઢ્યો છું તેવું Realise(ભાન) થાય. અને તરત જ પાટે ચઢવાની તૈયારી બતાવે, સાચું કરવાની તૈયારી બતાવે તેવો છે? જો તેમ હોય તો તે પ્રજ્ઞાપનીય છે, તે તો ઘણો સારો. તેને પક્ષપાત સત્યનો છે, માત્ર અજ્ઞાનતાથી પ્રવૃત્તિ અસત્યની છે, તે બચી જશે. જ્યારે અભિનિવિષ્ટને તો પ્રવૃત્તિ અસત્યની છે અને પક્ષપાત પણ અસત્યનો છે, માટે તેવા જીવો તો કુટાશે. અવળું સમજયા પછી ભલે તે અવળું ઘણા વર્ષો સુધી ચાલે, છતાં પણ જીવ જો પ્રજ્ઞાપનીય હોય તો તે બચી જવાનો છે, ઊંધી પ્રવૃત્તિ વખતે પણ સત્ય મળે તો ઝીલે તેવો પરિણામ છે, તે મુગ્ધ બચી જવાનો. સભા - સત્ય સમજાવવા Background (પશ્ચાદભૂમિકા) શું? સાહેબજી:-બધા શાસ્ત્રના પાઠ, દાખલા-દલીલોથી સમજાવે; જો, આ રીતે બંધ પડે, આ રીતે અનુબંધ પડે, આખો સંસાર અવિરતિ છે, અવિરતિ તે અધર્મ છે, માટે અર્થ-કામ અધર્મ છે, તો તેવા અધર્મને ભગવાન શું કામ કરવાનું બતાવે? આમ સમજાવે ત્યારે, અંદર તેની પરિસ્થિતિ એવી હોય કે તેને સાચું સમજવા મળે તો તે પ્રમાણે કરવા તૈયાર હોય. જેમ કે ક્યારેક શ્રાવકને પણ કાં તો અનુચિત સંયોગો મળવાના કારણે અથવા પ્રમાદથી કે અજ્ઞાનથી, ધર્મમાં નાની નાની અવિધિ થઇ જતી હોય, પણ જો તેને તેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy