SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૦૭ ગુણોનું સેવન કરીને પણ તેમને પાપનો અનુબંધ તીવ્ર પડશે. જેમ કે તે દયાળુ હોય, ઉદારતા ગુણ સેવતો હોય, બ્રહ્મચર્યનું પાલન કરતો હોય ત્યારે દેખીતો તમને ધર્મ કરતો લાગે; પણ શાસ્ત્રકાર લખે છે કે આ શુભ યોગ હોવા છતાં, ત્યાં આશય અશુદ્ધ છે, જે સંસારાનુબંધી છે, જેમાં ફળરૂપે સંસાર મળે છે. સામાન્ય રીતે ધર્મનું ફળ મોક્ષ છે પણ આવા જીવોના ધર્મનું ફળ સંસારવૃદ્ધિ. આવા જીવોને સંસારાનુબંધી શુભયોગવાળા જીવો કહ્યા છે. ખોટામાં અનભિનિવિષ્ટ અને ખોટામાં અભિનિવિષ્ટ જીવો ઃ હવે ચોથો પ્રકાર બતાવે છે કે પ્રધાનપણે ભૌતિક સુખની આકાંક્ષાવાળાને જો કોઇ એવા ગુરુ મળી જાય, અને તે બતાવે કે “આ ધર્મ કરીશ તો તું રાજા બનીશ, શેઠિયો, અધિકારી અથવા પરભવમાં દેવ બનીશ, જેનાથી તને આવાં આવાં સુખો મળશે,” માટે તે ધર્મ કરતો હોય; પણ તે જીવ જો સરળ હોય અને આગ્રહી ન હોય તો તેને સાચા ગુરુ મળી જાય અને સમજાવે કે “આ રીતના આશયથી ધર્મ ના કરાય” તો તે સાચું સમજીને કહે કે “તો મારો કાંઇ આગ્રહ નથી, હું આ આશય છોડી દઇશ,” તો તેવા જીવો મુગ્ધ છે, ભદ્રિક છે; ખોટામાં અભિનિવિષ્ટ નથી, માટે તેવા જીવો હજી બચી જશે. પણ જે જીવો ઊંધું કરતા હોય અને તેને જો કોઇ સાચું સમજાવે તો પણ તે સમજવા તૈયાર જ ન હોય, તો તેવા જીવો અપ્રશસ્ત કષાયને પરવશ થઈને કદાચ શુભયોગથી પુણ્ય બાંધશે, પણ પુણ્યની સ્થિતિ ઓછી બાંધશે અને પાપની સ્થિતિ વધારે બાંધશે; કારણ કે સ્થિતિબંધ કષાય પર નિર્ભર છે અને ખોટામાં આગ્રહ યાને કે કદાગ્રહ તે અપ્રશસ્ત કષાય છે. માટે અપ્રશસ્ત કપાય તીવ્ર હોય તો પાપબંધની સ્થિતિ અધિક થાય છે, તેથી આ વિકલ્પમાંથી પણ બહાર નીકળી જવા જેવું છે. હા, તમે જો ખોટામાં અભિનિવિષ્ટ ન હો તો અને સાચામાં અભિનિવિષ્ટ હો તો તે ગુણ છે. મુગ્ધ પ્રજ્ઞાપનીય જીવો: જે જીવો મુગ્ધ છે અને તેમને ગુરુએ Misguide કર્યા (ખોટી દોરવણી આપી) હોવાથી તેઓ ઊંધી રીતે પ્રવૃત્તિ કરતા હોય છે, પણ તેઓને અવિધિ કે અસત્યનો પક્ષપાત નથી, પરંતુ પક્ષપાત તો સત્યનો જ છે; અને જેવી ખબર પડે કે તરત જ સુધારવાની ઇચ્છા, તત્પરતા કે ખેવનાવાળા હોય છે, તો તેમના બચવાના Scope(અવકાશ) ઘણા સારા છે. તેઓ પ્રજ્ઞાપનીય છે, સુગુરુનો યોગ થતાં, સાચી સમજ મળતાં તે માર્ગ ઉપર ચડી જાય તેવા હોય છે. દા.ત. એક ભાઈને કોઇએ સલાહ આપેલી કે તારે તો મુનિઓ A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy