SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૧૦૧ મધમાં ત્રસ અને સંમૂચ્છિમ બન્ને જીવોની હિંસા છે. સંસારમાં હિંસા તો છે જ, પરંતુ તમારે જીવનમાં હિંસાને મર્યાદિત કરવાની છે. તમારે તમારી તંદુરસ્તી માટે બીજા ત્રસ-સંમૂચ્છિમ જીવોની આડેધડ અમર્યાદિત હિંસા તો નથી થતી ને ? તે જોવાનું. હળદર જો તમારા શરીરમાં ન જાય તો લોહીના ઘણા રોગો થાય, તેમ સૂંઠ પણ તમારા શરીરમાં ન જાય તો વાયુના ધણા રોગો થાય; જેથી મનુષ્ય ચાર પુરુષાર્થ માટે અયોગ્ય થઇ જાય, તો તેનો મનુષ્યભવ નિષ્ફળ જાય; માટે ઉત્સર્ગમાર્ગે છૂટ આપી. ખોરાકમાં જે તામસી નહિ તેની અપવાદમાર્ગે છૂટ આપી, તેનીRange(મર્યાદા) કે Border(મર્યાદા) overtake(ઉલ્લંઘન) નહીં કરવાની. સભાઃ- મરણપથારીએ હોય તો શું ? સાહેબજી:- અનિવાર્ય સંજોગો હોય, બીજો કોઇ વિકલ્પ ન હોય, પછી તે પ્રાયશ્ચિત્ત લેવાનો હોય, તો અપવાદ સેવવાનો આવે. પણ અપવાદ પણ સાત રીતે હોય છે. પહેલા સ્થાને પહેલો અપવાદ, બીજા સ્થાને બીજો અપવાદ. માટે પહેલા સ્થાને સાતમો અપવાદ સેવે તો ન ચાલે. માટે ત્યારે ગીતાર્થ ગુરુને પૂછવાનું. જીવ સમાધિમાં રહેશે તો લેશ્યા સુધરશે; તેથી સદ્ગતિમાં જશે તેમ લાગે તો, ગીતાર્થ ગુરુ બધા વિકલ્પથી વિચારે. નહીંતર જીવને ભ્રષ્ટ ન કરે. અંતે તો સમાધિપૂર્વક મરે તેની જ કિંમત છે. ખાલી જીવન Prolong થાય (લંબાય), તેની કાંઇ કિંમત નથી. પરંતુ અત્યારે તો તમારે ડોકટરને જ સોંપી દેવાનું ને? અત્યારે લીવ૨ની કેવી દવાઓ આવે છે ? આપણાથી તત્કાળ અડાય પણ નહીં તેવી ને ? તે ખપે ખરી ? પણ તમારે દવામાં તો કાંઇ વિચારવાનું જ નહિ ને ? અત્યારે તો ડોકટર જ તમારા ગુરુ ને ? તે ખવડાવે તે ખાવા તૈયાર ને ? દવામાં તેની Contents(મેળવણીનાં દ્રવ્યો) શું છે ? તેની Research (શોધ-સંશોધન)થી માંડીને Prodcut(દવા) સુધીની પ્રક્રિયા શું છે, તેનો કોઇ દિવસ વિચાર કરો છો ખરા ? સભા:- પાલક લેવાય ? સાહેબજીઃ- પાલકમાં ઘણા ગુણો છે પણ તેને વાપરવાની ના પાડી છે. મધની જેમ Physical(શારીરિક) ઘણા લાભ થાય છતાં તેની મહત્તા નથી ગણી. શાસ્ત્રકારોએPhysical (શારીરિક) લાભ કરતાં હિંસાને વધારે Consider (ગણના) કરી છે. ભક્ષાભક્ષ્ય, પેયાપેય, કૃત્યાકૃત્ય આ બધું ધર્મ દ્વારા વિચારવાનું અને શીખવાનું છે, નહીંતર Without Restriction(બેકાબૂ) અર્થ-કામ તમારાં હાડકાં ભાંગી નાખશે. Re Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy