SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ આશ્રવ અને અનુબંધ રીતે તેને કાઢો ! Pemissible(ચલાવી લેવાય તેવી) ન હોય તેવી પદ્ધતિઓ પણ અપનાવો. તમે તમારી મર્યાદામાં રહીને તેનું નિવારણ કરી શકો, પણ મર્યાદારહિતપણે તેનું નિવારણ ન કરાય. તમને તો તમારી જાતને નીરોગી કરવા બીજા કેટલાય જીવોનો ખાત્મો બોલી જાય તોય વાંધો નહીં ને? જેટલો દુઃખો પ્રત્યે દ્વેષ તીવ્ર, તેટલા જ પ્રકારે સામે દુઃખો મળે તેવો તીવ્ર કર્મબંધ થાય. આજે Synthetic (કુદરતી નહિ પણ કૃત્રિમ તત્ત્વોના સંયોજનથી બનાવેલ) દવાઓમાં પણ જે હિંસા છે તે વાંચતાં સંવાડા ખડાં થઈ જાય છે. તમારે આ Track (માર્ગ) ઉપરથી પાછા ફરવાની જરૂર છે. આયુર્વેદ પણ આપણને as a whole acceptable(આખે આખું સ્વીકાર્ય નથી. તેમાં જૈન ધર્મ Permit કરે(છૂટ આપે) તેટલું, તેના Parameters(માપદંડ)માં રહીને ઉપચાર કરવાનો, નહીં કે Out of the way(મર્યાદા બહાર) જઇને. જયારે આ Allopathy વિદેશી ચિકિત્સાપદ્ધતિ) ક્ષેત્ર તો મહાહિંસક છે. તેમાં Research શોધ-સંશોધન)થી Product(દવા) સુધી શું છે? તપાસો તો ખબર પડે કે પડદા પાછળ હિંસક ભાવો કેવા છે ! આ કાળમાં રોગ શાંતિથી વેઠી લો તો ઘણો લાભ છે. જૂનાં કર્મ ખપાવે અને બીજું આ બધા હિંસક પાપથી બચવાનો પણ લાભ થાય છે. આર્યાવર્ત પણ જેને મંજૂર ન કરે તેવી ભયંકર હિંસા જૈનધર્મ તો ક્યાંથી મંજૂર કરે? માટે બચી શકાય તેટલા તમે દૂર રહો. સરકારનાં Healthcare centre(દવાખાનાં)માં પણ દવા કઈ આપે? સભા - એક ગોળી લે તો પણ આટલો બધો દોષ લાગે? સાહેબજી:-હા, પાપ લાગે જ. એ દવા કાંઇ એમ ને એમ તમારા હાથમાં આવી છે? પણ અત્યારે તમને પાપ કોઠે પડી ગયાં છે. આયુર્વેદની Proven medicine (ખાતરીવાળી દવા) તરીકે મધ છે, મધમાં ઘણા ગુણો છે, છતાં જૈનધર્મે શું કહ્યું? કે આના સિવાય ચલાવો, નહીંતર Substitute(વિકલ્પ)થી ચલાવવાનું. ઓછા લાભથી ચલાવવાનું, પણ તે મધ વાપરવાનું નહીં. સભા- મધ નહીં તો સૂંઠ-હળદર કેમ વપરાય? સાહેબજી:- સૂંઠ-હળદરની કઈ અવસ્થા છે? અને શરીરમાં અનિવાર્ય છે, તેટલા માટે જ સૂંઠ-હળદર, જે મૂળથી અનંતકાય છે, પણ એ જયારે સચિત્ત અવસ્થામાં ન હોય ત્યારે જ, વાપરવાની વાત છે. અને આમ પણ તેનો કોઈ Alternative(વિકલ્પ) નથી, જયારે મધ તો વપરાય જ નહિ. અનુપાન સાથે દવા લેવાની આયુર્વેદમાં વાત છે. મધ માટે અનુપાન તરીકે substitute(વિકલ્પ)માં “જૂનો ગોળ” છે. તે તેના અમુક ટકા કામ કરે અને અમુક ટકા તમારે Compromise (સમાધાન)કરવાનું, ઓછા લાભથી ચલાવવાનું. St: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy