SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ વિચારો, શુક્લધ્યાનના પહેલા પાયામાં પ્રવેશ માટેના Minimum level(લઘુતમ કક્ષા)માં, સંસારના અનુકૂળ-પ્રતિકૂળ કોઇપણ સંયોગો-વિયોગો વિચલિત ન કરી શકે તેવી મનની પરિસ્થિતિ પેદા કરવાની છે, અને તેનીTraining (કેળવણી)અહીં જ લેવાની છે. વિચારવાનું કે આ તો બધા તુચ્છ ઉપસર્ગો છે, હજી તો પ્રારંભ છે, અંત તો શુક્લધ્યાનના છેલ્લા પાયામાં છે. અત્યારે તો તમને જે કાંઈ બને તેના નિમિત્તનો કષાયનો પરિણામ મગજમાં બરાબર Hit થઇ(ચોટી) જાય છે. પૂ. આ. શ્રી હીરસૂરીશ્વરજી મ.સા. અને સૂબાનો પ્રસંગ જુઓ. જે સૂબાએ અમદાવાદમાં જ ભરબજારે નગ્ન અવસ્થામાં તેમને ભગાડેલા, તેને અત્યારે પૂ. આચાર્ય ભગવંત જે કરવું હોય તે કરી શકે તેમ હતા, શક્તિ હતી, છતાં કંઇ જ નહીં, અને જવાબ કેવો આપે ! કે “તે વખતે પણ અમને તમારા માટે કંઈ જ નહોતું, તો અત્યારે શું હોય ?” આમ તમે પણ પ્રસંગે આત્માનું ધીરે ધીરે ઘડતર કરશો, તો તેની અવસ્થા બદલાતી જશે અને પછીનો કોઇક ભવ એવો આવશે કે તમે જન્મતાં જ મહાપુરુષ થશો, યુવાવસ્થામાં પણ નિર્વિકારી હશો. તમે જેટલા Develop થાઓ (આગળ વધો) તેટલું કામ થાય, પણ પ્રયત્ન જ ન કરો તો કાંઇ થાય નહીં. અપુનબંધક જીવ એકલો બેઠાં બેઠાં પણ સંસારના સ્વરૂપના જે વિચારો કરે છે, તે પણ તેના માટે પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે. જેટલો વિવેક ખીલશે તેટલો તે આગળ વધી શકશે. તમે પણ આ રીતનો અભ્યાસ રોજ કરો તો ૫-૧૦વર્ષેDevelopment થશે (આગળ વધશો). જરાક વેદના થાય ત્યાં તમે આકળવિકળ થઇ જાઓ અને ગમે તેવો ઉપચાર, ઘોર હિંસાત્મક કે જેનો ભગવાને નિષેધ કરેલો હોય, તે પણ કરવા તૈયાર હો, તે શું સૂચવે છે ? કે દુઃખ પ્રત્યે દ્વેષ કેટલો તીવ્ર છે? ભૌતિક અનુકૂળતા પ્રત્યે રાગ અને ભૌતિક પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ તે તમારું વલણ બની ગયું છે, અને તેમાં ઉપાદેયબુદ્ધિ એ જ મિથ્યાત્વની ગાંઠ-ગ્રંથિ છે, જે તમારે તોડવાની છે. તમારે દ્વેષ કરવા માટે કદાચ પદાર્થ કે વ્યક્તિ બદલાય, પણ અનુકૂળતા પ્રત્યે રાગ અને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ કદી બદલાયો છે? આની પર જ સંસારનું પરિભ્રમણ ચાલે છે. ભૂતકાળમાં અશાતાવેદનીય બાંધેલું હોય, તે નિમિત્ત મળવાના કારણે ઉદયમાં આવે ત્યારે પ્રસન્નતાપૂર્વક ભોગવવું જોઇએ. તમને “વેદના હું પ્રસન્નતાપૂર્વક વેઠું” તેવો વિકલ્પ આવે છે કે કાઢવાનો વિકલ્પ આવે છે? અશાતા કાઢવી તે જ દોષ છે, તેને કાઢવાની પણ છૂટ ક્યારે? સામે જો બહુ જ આર્તધ્યાન-રૌદ્રધ્યાન થતું હોય ત્યારે. In general(સામાન્ય રીતે) વેદના સહન કરવી તે ગુણ છે, પરિણામ ન જાળવી શકતા હો અને ઇલાજ કરવાનો આવે તો ભૂમિકા પ્રમાણે કરો. વર્તમાનમાં તો Treatment(ઉપચાર) પણ કેવી? જરાક કાંઈ થયું એટલે ગમે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy