SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ આશ્રવ અને અનુબંધ striction (અંકુશ) સાથે પણ અર્થ-કામ હેય છે, તો અમર્યાદિત હશે તો શું થશે? વિચારજો, તે Most Dangerous (મહાભયંકર) બનશે. આપણે ૫૦-૧૦૦ વર્ષ જીવવું છે, પણ પ્રસંગે તમે ગમે તે દવાઓ લેવા તૈયાર ને ? આ તમારી પરિણતિ કેટલી ન્યૂન છે તે બતાવે છે. તમારા સુખ માટે તમે ગમે તેટલી નીચી પાયરી સુધી જવા તૈયાર છો. તમારે ખાવાની વાનગીમાં પ્રોટીન કેટલું ? વિટામિન્સ કેટલાં ? આયર્ન કેટલું ? કેલેરી કેટલી ? તે જ બધું જોવાનું ને ? કે ધર્મે શું કહ્યું છે તે વિચારો ? ધાર્મિક દૃષ્ટિએ Permissible(મંજૂ૨)છે કે Non-permissible(નિષિદ્ધ) છે, તે બધું વિચારો ખરા ? તમે શરીરશાસ્ત્રની રીતે જ લાભાલાભ વિચારો છો કે ધર્મશાસ્ત્રની રીતે વિચારો છો ? તમને કૃત્યાકૃત્ય, પેયાપેયના કોઇ વિવેક ખરા ? તમારું વલણ શું છે ? શરીરને શું નુકસાન થાય તે માટે બધું ડોકટરને પૂછી લેશો, પણ ધર્મ માટે કોઇ પ્રયાસ નહિ. તો વિચારજો કે તમે કેટલા નિષ્ઠુર છો ? સભા:- બિલાડીના ટોપ(Mushroom) ખવાય ? સાહેબજી:- ના, મશરૂમ અનંતકાય છે, ખવાય નહિ. દુનિયામાં ઘણા અનંતકાય છે, પણ ભગવાને તેને અભક્ષ્ય કહ્યા છે. અનંતકાય જેના ઘરમાં રંધાય તેનું ઘર સ્મશાન જેવું છે, તેવું કહ્યું છે. અનંતકાય ઔષધિ માટે અપવાદમાર્ગે પણ, મર્યાદા છે તે રીતે જ લેવાય. આ તો તમે ભૂલથી જૈનધર્મમાં આવી ગયા છો ને ? આવી જ ગયા છો તો, જેમ તમે જે દેશમાં જન્મ્યા હો તે દેશના કાયદા તમને લાગુ પડે, તેમ અહીં જન્મ્યા એટલે અહીંના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી બધા નિયમો તમને લાગુ પડે. તીર્થંકરોએ તમારી કેટલી ચિંતા કરી છે ! પણ તમને તમારી ચિંતા કરનારા સારા નથી લાગતા, તમને તો તે હેરાન કરનારા લાગે છે ને ? તમને અશુભ અનુબંધ કઇ રીતે હળવા બંધાય, શુભ અનુબંધ કેવી રીતે બંધાય, તમારું કલ્યાણ કઇ રીતે થાય, તે બધું Calculation (ગણતરી) કરી કરીને કેટકેટલું બતાવ્યું છે ! પણ તમને થવું જોઇએ કે તીર્થંકરની પ્રરૂપણામાં કાંઇ ખામી નથી, ખામી મારામાં જ છે; તેમને અનુસરવામાં જ મારું હિત છે. શરીરથી નીરોગી કે પુષ્ટ થાઓ એટલે કાંઇ તમારી દુર્ગતિ અટકી નથી જવાની. નીરોગી થવા, પુષ્ટ થવા જેટલાં પાપ સેવ્યાં હશે, તેની કિંમત દુર્ગતિમાં ચૂકવવાની આવશે. પૂ.આ.શ્રીહરિભદ્રસૂરિએ લખ્યું કે‘‘તત્ત્વજ્ઞાનાત્ મોક્ષઃ '' અર્થાત્ “તત્ત્વજ્ઞાનથી મોક્ષ છે.’’ તત્ત્વજ્ઞાન માટે અભ્યાસ કરવો પડે, ભણવું પડે. જે જાણે તે આમાંથી બહાર નીકળી શકે, નહિતર કરોળિયાની જેમ પોતે ઊભા કરેલા જાળામાં પોતે જ ફસાઇને મરવાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy