SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ આશ્રવ અને અનુબંધ અશુભ અનુબંધને ફેરવી શકે છે. શુભાનુબંધ તો સુખ-દુઃખ વેળાએ જીવને સદ્ગદ્ધિ જ આપે. મહાત્માઓ પ્રતિકૂળ-અનુકૂળ પરિસ્થિતિમાં સબુદ્ધિના બળ વડે જ તેને સમજાવે સહી લે છે. મહાત્માઓ પુરુષાર્થ અને આત્મબળના આધારે, ભલે દ્રવ્યલેશ્યા અશુભ હોય કે જે ખરાબ પ્રેરણા આપે, છતાં ભાવલેશ્યા શુભ હોવાને કારણે તેને ગણકારે નહિ. જેમ સારા જીવો હરિજનકુળ જેવા હીનકુળમાં જન્મ લે ત્યારે, તેમને પુદ્ગલો એવા મળેલા હોય કે જે તેમને નીચગોત્રના કારણે હીનબુદ્ધિ કરાવે, પણ તેમનું આત્મબળ એવું ખીલેલું હોય કે (મેતારજમુનિની માફક) વિપરીત દ્રવ્યસંયોગોમાં પણ ઊંચા ભાવો કરી આગળ વધી શકે. મેતારજમુનિનો ઉછેર ભલે શેઠને ત્યાં થયેલ છે, પણ તેમને Genes- (દહની રચના માટે પાયામાં મળેલા પુદ્ગલ-શુક્રાણુઓ) કેવા મળેલ છે? ચંડાળકુળમાં જન્મવા છતાં જીવદળ વિકસિત થયેલ હોવાથી જીન્સની અસરને Overtake કરી(વટાવી) દીક્ષા લઈ શક્યા. વ્યવહારનય Probability (સંભાવના) બતાવે છે, જયારે નિશ્ચયનય Guarantee (ખાતરી), certainty (ચોક્કસતા)ની વાત કરે છે. સુદેવત્વ-સુમાનુષત્વ ધર્મથી પ્રાપ્ત થાય છે. અપુનબંધક આંશિક વિવેકી છે. સમકિતી પૂર્ણ વિવેકી છે, તે હંમેશાં અનુબંધ પુણ્યનો જ કરે. યોગની છઠ્ઠી દષ્ટિવાળા આત્માઓ અપ્રશસ્ત કષાયો નહીં કરે, જયારે યોગની પાંચમી દષ્ટિવાળા અપ્રશસ્ત કષાયો કરે છે. સમકિતી માટે લખ્યું કે કોઇપણ સંજોગોમાં તેને પરમતત્ત્વ સાથે અનુસંધાન ચાલુ હોય છે. પત્ની, પુત્ર અને પરિવારમાં મગ્ન હોય ત્યારે દેખાય તમારા જેવો, પણ તે વખતે પણ તેનું પરમતત્ત્વ સાથેનું અનુસંધાન ચાલુ જ હોય છે, માટે જ અનુબંધ શુભ પડે છે. સભા - પરમતત્ત્વનું અનુસંધાન એટલે શું? સાહેબજી:- દેવતત્ત્વ શું છે? ગુરુતત્ત્વ શું છે? ક્યાં હેયબુદ્ધિ? ક્યાં ઉપાદેયબુદ્ધિ? શુભભાવ શું અને અશુભભાવ શું? વગેરે વગેરેમાં તેની માન્યતા સ્પષ્ટ હોય છે. બળવાન ચારિત્રમોહનીયનો ઉદય જ તેને પુત્ર-કલત્રમાં વ્યસ્ત બનાવે છે. ત્યારે પણ ભલે તે કર્મના કારણે બંધ પાપનો કરે, પણ અનુબંધ તો પુણ્યનો જ કરે. માટે જ તેને કાયપાતી કહ્યો છે, પણ ચિત્તપાતી નથી કહ્યો. વ્યવહારનયથી તેને ત્રણ પુરુષાર્થ છે, જયારે નિશ્ચયનયથી તો તેને એક માત્ર ધર્મપુરુષાર્થ જ છે. ભાવથી સમકિત પામ્યા પછી જે સમકિત સતત ટકાવી શકે છે, તેને તો પછી થોડા જ ભવમાં મોક્ષ છે. આટલી જબરદસ્ત તાકાત તેમાં રહેલી છે. સભા- જીવને અપુનબંધક થયા પહેલાં શુભ અનુબંધ પડતો જ નથી? સાહેબજી:- ના, તે પહેલાં શુભ અનુબંધ પડી શકતો નથી, પણ તે પહેલાં જો તે ગુરુને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy