SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૯૫ ઉદય વખતે પ્રેરણા આપશે. તમે અત્યારે જે ધર્મ કરો છો તે સહજતાથી કરો છો કે ખેંચાઇ ખેંચાઇને કરો છો ? સભાઃ- ભૂતકાળના અશુભ અનુબંધને નિષ્ફળ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સાહેબજી:- હા, તે જ કરવાનું છે. સંસારમાં અવિરતિનો રસ જેટલો અધિક, અને તેમાં ઉપાદેયબુદ્ધિ જેટલી અધિક, તેટલો અશુભ અનુબંધ તીવ્ર પડશે. તેમાંય જો અભિનિવિષ્ટ (આગ્રહી) થઇ ગયો હોય તો તે મરેલો જ સમજો. તે જીવ સામગ્રી અને ઉપદેશને અયોગ્ય જ હોય. અમારે ત્યાં તેવાઓને અપ્રજ્ઞાપનીય તરીકે ઓળખાવ્યા છે. તેવાને સાચી બુદ્ધિ કોઇ આપી શકે નહિ અને જો આપે તો તે સ્વીકારે નહિ. તેવાઓને ઊંધા માર્ગેથી સીધા માર્ગે વાળી જ ન શકો. એના ઘણા ભેદ છે. પૂ.આ.શ્રી હરિભદ્રસૂરિએ લખ્યું કે ભગવાને દીક્ષા લેતાં પહેલાં ઉપયોગ મૂક્યો હતો કે ‘“હું અત્યારે દીક્ષા લઉં તો કુટુંબીઓને અનુબંધ કેવો પડે ?’’ તેમાં તેમણે જોયું કે રાગથી કુટુંબીઓને અનેક વખત તેમની દુર્ગતિનું કારણ બને તેવા અશુભ અનુબંધ પડે તેમ છે, જે મહા અનર્થકારી છે. માટે તેમણે નિર્ણય કર્યો કે વડીલ બંધુ નંદિવર્ધનની ઇચ્છા અનુસાર અલ્પદોષને સેવીને નિકાચિતકર્મ ન હોવા છતાં મારે બે વર્ષ વધુ સંસારવાસમાં રહેવું. માટે બંધ કરતાં અનુબંધમાં ધ્યાન રાખો, નહીંતર તમારો સંસાર અનંતકાળ ચાલ્યા જ કરશે. અશુભ અનુબંધ Vicious Circle(વિષચક્ર) ચલાવ્યા જ કરે. જો સારો અનુબંધ હશે તો ચારે બાજુ દુઃખમાં તે પણ તેને સદ્બુદ્ધિ જ આપશે, જેથી તે દુઃખને પણ ભોગવે જ એવી રીતે કે તે તેને પુણ્યબંધનું કારણ બને. માટે જ અનુબંધ ઉપર આટલો ભાર મૂક્યો છે. આમ તો વ્યુત્ક્રમ મહાદોષ છે, છતાં વિશેષ ધ્વનિત કરવા જ આમ કર્યું છે. શિષ્યને આંચકો આપી પછી આશય કથન કરે છે. અપુનબંધકથી શુભાનુબંધનો પ્રારંભ થાય છે અને સમકિતમાં તેની દૃઢતા હોય છે. તત્ત્વની-ધર્મની રુચિ પ્રમાણે અનુબંધ પડે છે. તત્ત્વની રુચિ પ્રમાણે અનુબંધ તે દ્રવ્યાનુયોગથી અને ધર્મની રુચિ પ્રમાણે અનુબંધ તે `ચરણકરણાનુયોગથી. અનુબંધમાં પણ તરતમતા યાને તીવ્રતા-મંદતાના આધારે તેના અસંખ્યાત ભેદો છે. મંદ અશુભ અનુબંધમાં સામગ્રી જો અનુકૂળ મળે તો તેને તમે overtake(ને વટાવી આગળ નીકળી જવું તે) કરી શકો છો, પણ જો અશુભ અનુબંધ તીવ્ર હોય તો સામગ્રી પણ એવી પ્રવૃત્તિ કરાવે કે જેનાથી નુકસાનીની પરંપરા જ ઊભી થાય. જીવ વિકસિત થયેલો હોય તો (૧) દ્રવ્યાનુયોગ માટે જુઓ પરિશિષ્ટ X-૧૫. (૨) ચરણરણાનુયોગ માટે જુઓ પરિશિષ્ટ X-૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy