SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ આશ્રવ અને અનુબંધ માટે દૂરથી દેખાતો લાડવો એકદમ ખાઇ જવાતો નથી. Stepwise(ક્રમબદ્ધ) જવું પડે છે. ઉપલા ગુણસ્થાનક માટે તો ઔદાસિન્ય ભાવ લખ્યો છે. બધું ઊંધા ઠેકાણે લાગુ કરો તો આખી જિંદગી બરબાદ થઈ જાય, અપ્રશસ્ત કપાય સહેલાઇથી જીવમાં પ્રવેશી જાય. શુદ્ધભાવમાં રહેનારા નિરપેક્ષ મુનિઓ પ્રધાનતયા ઔદાસિન્યભાવમાં જ હોય છે. ક્યારેક તીર્થરક્ષા કે સંઘના કોઇ વિકટ પ્રશ્નો આવે ત્યારે, રક્ષા માટે તેમને જંગલમાંથી લઈ આવવા પડે, અને ત્યારે તેમને પ્રશસ્ત કપાયના પરિણામ કરવા પડે તો તેમને પણ પૂર્વની અપેક્ષાએ પુણ્યપ્રકૃતિમાં રસબંધ અલ્પ જ થાય. તે વખતે તેમને કષાય કરવા અનિવાર્ય છે. તેમને ન બોલાવો તો શાસનને વધુ નુકસાન થાય તેમ છે, કેમ કે વિદન દૂર કરવા માટે તેઓ જ સમર્થ છે; એટલે ગુરુલઘુચિંતા કરીને તેઓ કાર્ય ફરે. માટે અમારે બતાવવું તો બધું જ પડે. શુદ્ધ નિશ્ચયનયમાં તો પ્રતિક્રમણની ક્રિયા એ ચારિત્રની ક્રિયા નથી. માટે તેમને પ્રતિક્રમણ કરવાની ઇચ્છા થાય તો પણ તે તેમના માટે દોપ છે. પૂ.આ.હરિભદ્રસૂરિએ લખ્યું છે કે પ્રાયઃ કરીને નિરપેક્ષ મહાત્માઓને આ ચારિત્ર હોય છે. પહેલાં અશુભ આરંભ-સમારંભનો ત્યાગ, પછી શુભ આરંભ સમારંભનું સેવન કરવાનું છે અને પછી અંતે તો અનારંભી થવાનું છે. જીવ સીધો અનારંભમાં જઈ શકવાનો નથી અને જો શુભમાં પણ જશે નહિ તો તે પછી અશુભમાં જ રહેશે; માટે તે કક્ષાએ તેણે પ્રશસ્ત કષાય કરવાના છે. તમે પૂજા આદિ કરો છો તેમાં શું છે? પહેલાં અશુભારંભનો ત્યાગ પછી શુભારંભની પ્રવૃત્તિ અને અંતિમ લક્ષ્ય અનારંભથી મુક્તિ-મોક્ષ. સભા- વીતરાગને અનંત ઔદાસિન્ય હોય છે તેનું શું કારણ? સાહેબજી:-તેમને મનથી કોઇ પરભાવમાં પ્રવૃત્તિ જ નથી, ચારિત્રમોહનીયનો સંપૂર્ણ નાશ કર્યો છે. સંસારના ઔદયિક ભાવો(કર્મના ઉદયને કારણે થતાં ભાવો)ને તેઓ અંતરથી સ્પર્શતા નથી. ભગવાનની સ્તુતિ કરતાં “હે પરમાત્મા ! આપ દયાળુ છો, કૃપાળુ છો.” વગેરે વિશેષણો લગાડવામાં આવે છે, તે વ્યવહારનયની ઉપચરિત પરિભાષાથી છે. વાસ્તવમાં વીતરાગ-ભાવતીર્થકરોમાં અનંત ઔદાસિન્ય હોય છે. પરોપકાર કરવાની તેમને કોઇ ઇચ્છા હોતી નથી. તેઓ ધર્મતીર્થની સ્થાપના કરે છે તે કાંઈ પરોપકારની ઇચ્છાથી નહીં, પણ તેઓના તીર્થકર નામકર્મના પ્રભાવે કરે છે. ઉત્કૃષ્ટ શુભ કર્મની પ્રેરણાથી પ્રવૃત્તિ કરે છે, ઇચ્છાથી નહીં. અનુબંધને બરાબર સમજો . બંધાતા કર્મમાં નવું કર્મ બંધાવવાની જે તાકાત છે તે અનુબંધ છે. કર્મના બંધ વખતે ભૂતકાળમાં જેવો અનુબંધ પડ્યો હશે, તે પ્રમાણે તે કર્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy