SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ વીતરાગસંયમની વાત છે. વીતરાગસંયમના ત્રણ પ્રકાર છે. ૧) ઉપશમભાવનું, (૨) ક્ષાયિકભાવનું અને (૩) ક્ષાયોપથમિકભાવનું. જંબુસ્વામીના ભાઇ કહે છે ને કે હું વીતરાગસંયમ પાળું છું. તેથી તેમને કશું અડતું નથી. વીતરાગચારિત્રવાળાને રસબંધ અધિક થશે. તેમને ગુણસ્થાનક પ્રત્યયિક કષાય સિવાય બીજા કષાય નથી, યાને કે ગુણસ્થાનકને આશ્રયીને જે કપાય થતા હોય તે જ થાય, તેથી વધારે નહીં. ક્ષયોપશમભાવનું વીતરાગચારિત્ર પ્રાયઃ નિરપેક્ષ મુનિઓને હોય છે. સભા- ઉપશમભાવના સંયમમાં ફેરફાર થઈ શકે ? સાહેબજી:-હા, તેમાં ફેરફાર થઈ શકે. ક્ષપકશ્રેણીમાં ક્ષાયિકભાવનું ચારિત્ર હોય તો તેમાં કોઈ ફેરફાર નથી, માટે રસબંધની મહત્તા સમજો . અત્યારે તો તમારે પ્રશસ્તકષાય કરવા જ મુશ્કેલ છે, માટે તમારે તો અપ્રશસ્ત કષાયમાંથી પ્રશસ્ત કષાયમાં આવવાનું છે. પછી પ્રશસ્ત કષાયમાં વિશુદ્ધિકારક મંદતા લાવવાની છે. સામાન્ય જીવોને ઉપર ચડવા માટે આ જ રસ્તો છે. પ્રથમ પગથિયું, યાને અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં આવવું પણ અઘરું છે. પુણ્યાનુબંધી પુણ્ય પણ કષાયથી બંધાય છે. વિવેકપૂર્વકના પ્રશસ્ત કષાયોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. દર્શન-જ્ઞાન-ચારિત્રના ગુણો Develop કરતાં ખીલવતાં) આવડે તેનું કામ થઈ જાય. તે જીવ લેશ્યા શુદ્ધિ કરીને તીવ્ર રસબંધવાળી પુણ્યપ્રકૃતિઓ બાંધીને મોક્ષમાર્ગે આગળ પ્રગતિ કરી શકશે. પ્રશસ્ત રાગમાં આવેગ ઓછા કરતાં કરતાં શુદ્ધિ અધિક કરવાની. રત્નત્રયીના જે જે પરિણામો છે તે ભાવવાના છે. પણ તમારે Replacement(બદલી કરવા)માં (પ્રશસ્ત ભાવો છોડીને સીધા શુદ્ધ ભાવમાં જવાનો પ્રયત્ન કરવામાં) જોખમ છે. કારણકે તમે શુભ યાને કે પ્રશસ્ત ન સેવો, તો તેને સ્થાને તેનાથી ઉપરના યાને કે શુદ્ધ ભાવોમાં જશો? કે તેનાથી ઊતરતા અશુભ-અપ્રશસ્ત ભાવોમાં જવાના? માટે તમારી કક્ષામાં તમારે પ્રશસ્ત ભાવોને સેવવાના. ભૂમિકાભેદે નિયમ બદલાશે. જે શુદ્ધભાવમાં – ધ્યાનયોગમાં રમણતા કરી શકે તેવા જીવ માટે પ્રતિક્રમણની ક્રિયા પણ વિષકુંભ છે, જયારે નીચલા ગુણસ્થાનકમાં તો આ જ ક્રિયા અમૃતકુંભ છે; કારણ કે પ્રતિક્રમણમાં ઘણા પ્રશસ્તભાવો છે અને નિશ્ચયનય તો પ્રશસ્ત કષાયને પણ નકામો ગણે છે; પરંતુ આ વાક્ય કોને લાગુ પડે? કે જેઓ તે કક્ષામાં પહોચેલા હોય તેમને; તમને કે મને નહિ આપણા માટે તો પ્રતિક્રમણ એ અમૃતક્રિયા છે. તેનાથી જ આપણું કલ્યાણ છે. (૧) વીતરાગસંયમ : અપ્રશસ્ત કે પ્રશસ્ત કપાય વિનાનું ચારિત્ર. તે અગિયારમા અને બારમા ગુણસ્થાનકે હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy