SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ આશ્રવ અને અનુબંધ ચેષ્ટા સમિતિપૂર્વકની જોઇએ, નહિતર તે અચારિત્રમાં જાય. તીર્થંકરોએ સમિતિ-ગુપ્તિની અદ્ભુત વ્યાખ્યા કરી છે. આ બધું વિચારતાં થાય કે આપણો ધર્મ કેવો છે, આપણા તીર્થંકરો કેવા છે, કેવી અદ્ભુત વાતો કરી છે ! આમ યોગનું ચાંચલ્ય અચારિત્રમાં જાય અને તેથી કર્મનો Mass(જથ્થો) ઊભો થાય. હવે જેમ કષાયનો પરિણામ તીવ્ર, તેમ સ્થિતિબંધ અવિક, દીર્ઘકાળ સુધીની સ્થિતિ બંધાય. તેમ લેશ્યાશુદ્ધિને રસબંધમાં ગોઠવી છે અને લેશ્યા શુદ્ધ થવા માટે કષાયનો પરિણામ મંદ જોઇએ, પ્રશસ્ત કષાયનો પણ. આ શુદ્ધિ માટે તમારે જીવનમાં કોઇ પ્રયાસ ખરો? આ બાબતોને તમારે Practical Life(વ્યવહારિક જીવન)માં ગોઠવવાની છે. સભા:- પ્રશસ્ત કષાયના પરિણામ પણ મંદ જોઇએ ? સાહેબજી:- હા, શ્રેષ્ઠ લેશ્યા માટે પ્રશસ્ત કષાયો પણ મંદ જોઇએ. સાતમા અને તેથી ઉપરના ગુણસ્થાનકે શુક્લલેશ્યા હોય છે. શુદ્ધ ભાવના પરિણામો ત્યાં અધિક હોય છે, કષાયના પરિણામો મંદ હોય છે. શુદ્ધિ વધારે તેમ આત્માનો સહજભાવ વધારે. કારણ કે કાષાયિક ભાવોનું Replacement(બદલી) આત્માના સહજ સ્વભાવથી થાય છે. આઠમે અને નવમે ગુણસ્થાનકે જેવી ઊંચી પુણ્યપ્રકૃતિઓ જીવ બાંધે છે, તેવી નીચલા ગુણસ્થાનકે બાંધી શકતો નથી. માટે ઊંચા ગુણસ્થાનકે શુદ્ધિ વધારે તેમ રસબંધ તીવ્ર બંધાય છે. આ રસબંધનો આધાર લેશ્યા પર છે. આ બધી વાત પુણ્યબંધની છે, પાપબંધની વાત નથી. પાપબંધની તીવ્રતા માટે અશુદ્ધ લેશ્યા જવાબદાર છે. કેવળીને પરમ શુદ્ધિ છે. માટે તેમને ખાલી શાતાવેદનીય બંધાય. તેમાં ૨સબંધMaximum (ઉત્કૃષ્ટ) હોય છે, જ્યારે સ્થિતિબંધ Bare Minimum(જધન્ય) હોય છે. કારણ કેવળી છે તેમને Maximum(ઉત્કૃષ્ટ) શુદ્ધિ છે. તેઓ એક સમયે બાંધે, બીજે સમયે ભોગવે અને ત્રીજે સમયે ખરી જાય. આખા ભવચક્રમાં કયારેય ન કરેલ હોય, તેવો ઉત્કૃષ્ટ રસબંધ જીવ કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં કરે છે. આ જીવોની શુદ્ધિ પરાકાષ્ઠાની હોય છે, એટલે રસબંધ પણ પરાકાષ્ઠાનો હોય છે. સરાગસંયમીઓ કરતાં ક્ષયોપશમભાવના વીતરાગસંયમીઓને સબંધ અધિક હોય છે. આમ A to Z(અથથી ઇતિ સુધી) બધું બતાવવાનું કામ ભગવાનનું, પણ પછી અમલનું શું ? અમલ તો તમારે જ કરવાનો છે. ન સભાઃ- 'સરાગસંયમ બારમા ગુણસ્થાનકે હોય ? સાહેબજી:- ના, નીચલા ગુણસ્થાનકે હોય. અહીં યોપશમભાવના (૧) સરાગસંયમ : પ્રશસ્ત કપાયવાળું ચારિત્ર. તે છટ્ઠા ગુણસ્થાનકથી હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy