SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આશ્રવ અને અનુબંધ ૯૧ જીવને એક કોટાકોટી સાગરોપમથી થોડી ન્યૂન સ્થિતિ બંધાઈ શકે તેટલો કષાયનો પરિણામ હોઇ શકે. હા, પછી જીવ ઉપરની ભૂમિકામાં જશે ત્યારે પાછો તેમાં ફેરફાર થશે અથવા જો નીચે એકેંદ્રિયમાં જશે તો પણ તે સ્થિતિના બંધમાં તેને ફેર થશે. કારણ ત્યાં બંધની સામગ્રીને અભાવ છે, જયારે ઉપરના ગુણસ્થાનકે સામગ્રીનો અભાવ નથી. સભા- યોગની ચંચળતા કાઢવી જોઈએ ? પ્રકૃતિ બદલાય ખરી ? સાહેબજી:- કઈ પ્રકૃતિની વાત કરો છો? સહજ પ્રકૃતિ સિદ્ધસ્વરૂપ છે, બાકી બધી વિકૃતિ છે. ચંચળતા કર્મકૃત છે. વિકૃતિ બદલાઈ શકે છે. જેટલી વિકૃતિ વધારે તેટલી માથાફોડ વધારે, પણ તે અભ્યાસથી બદલી શકાય છે. અભ્યાસ અને વૈરાગ્યથી મોક્ષ છે, પણ તે કરવા પુરુષાર્થ કરવો પડે. ગ્રંથકાર આ બધું શું કામ સમજાવે છે? તમેControl(કાબૂ) કરી શકો માટે. ભગવાને જે કહ્યું છે તેનો અમલ કરવો પડે. તેમણે આપેલી Theory (તત્ત્વજ્ઞાન)ને તમારે Action (કાર્યોમાં Translate(રૂપાંતર) કર્યા જ કરવાની. તમે ચંચળતા ઉપર કાબૂ મેળવી શકો તો પ્રદેશબંધ ઓછો થવા માંડે. તમે ઊંધાં વલણ ચત્તાં કરો, જે હરેક ગુણ પ્રત્યે Anti(વિરુદ્ધ) ન હોય પણ Pro(તરફેણમાં) બની રહે. તેને લાભ એવો કે ભાવિમાં તે તેને ગુણની સામગ્રી ભેગી કરી આપશે. દા.ત. જ્ઞાનમાં સહાયભૂત થવાના વલણવાળા જીવને પુણ્યપ્રકૃતિ એવી બંધાય કે તેને ભવાંતરમાં જ્ઞાનની સુંદર સામગ્રી મળે, ત્યારે તેઓ તે સામગ્રી દ્વારા રુચિ થવાથી આગળ વધી શકવાના. જયાં સુધી જે ગુણ આત્મસાતું ન થાય ત્યાં સુધી મહેનત કરવી પડે, પછી સહજ થવાથી જીવને મહેનત કરવી પડતી નથી. કોઈ પણ વ્યક્તિ વગર પુરુષાર્થે પાર ન ઊતરી શકે. આપણે તો અત્યારે દોષોને જ આત્મસાત્ કર્યા છે. જરાક નિમિત્ત મળતાં શું થાય છે? દોષો તરત ઉદીરણા પામે છે. માટે પહેલાં તો તમારે શું કરવાનું છે કે, કર્મોને ઉદિત થવા દેવાનાં નથી અને કદાચ કર્મો ઉદિત થાય તો તેના ઉદયભાવોને નિષ્ફળ કરવાના છે. સભા- ચાંચલ્ય એ ચારિત્રમોહનીયની પ્રકૃતિ છે? સાહેબજી:- હા, ચાંચલ્ય ચારિત્રમોહનીયની પ્રકૃતિ છે. એટલે જ મુનિ માટે કહ્યું છે કે તે નિષ્કારણ તેનો પગ પણ હલાવે નહિ. વજુદવાનું કારણ હોય તો બરાબર, નહિતર એટલી તેના ચારિત્રની ક્ષતિ ગણાય. નિષ્કારણ બોલવાનું પણ નથી. ઉત્સર્ગથી ગુપ્તિ અને અપવાદથી સમિતિ સેવવાની આવે અને તેમાં પણ દ્વાદશાંગી આધારિત ધારાધોરણ મુજબ જ. વિશેષ કારણે બોલવાનું છે, માટે બોલવું એ અમારે અપવાદ છે. કોઇપણ (૧) ગુપ્તિ આત્મસંરક્ષણ એટલે કે મન-વચન-કાયાના યોગોને મુક્તિમાર્ગને અનુકૂળ રીતે પ્રવર્તાવવા કે કાબૂમાં રાખવા તે ગુપ્તિ. (૨) સમિતિ : ઉપયોગપૂર્વક કરાતો પ્રવૃત્તિરૂપ ધર્મ, પ્રશસ્ત ચેષ્ટા . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy