SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ • આશ્રવ અને અનુબંધ હવે બંધ ચાર પ્રકારનો છે. (૧) પ્રદેશબંધ, (૨) પ્રકૃતિબંધ, (૩) સ્થિતિબંધ અને (૪) રસબંધ. તેમાં યોગનું ચાંચલ્ય વધારે હોય તો પ્રદેશબંધ અધિક થાય છે, કર્મનો Mass (જથ્થો) ભેગો થાય. તમારા વલણ અનુસાર પ્રકૃતિબંધ થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર પ્રત્યેનું તમારું વલણ શું છે? તેમ જ તેના વિપરીત ભાવો પ્રત્યેનું તમારું વલણ શું છે? તે જોવું પડે. ટૂંકમાં ગુણ પ્રત્યે કે દોષ પ્રત્યેનું તમારું વલણ કેવું છે? તે પ્રત્યે તમારોTrend(ઝોક) કેવો છે, તદનુસાર પ્રકૃતિબંધ છે. સ્થિતિબંધ કાષાયિક પરિણામ ઉપર આધાર રાખે છે, જયારે રસબંધ કષાય અંતર્ગત વેશ્યાના પરિણામ ઉપર આધાર રાખે છે. સભા- રુચિ અને વલણમાં ફેર? સાહેબજી:- સામાન્ય રીતે રુચિ પ્રમાણે જ વલણ હોય, પરંતુ અપવાદે તેના ભેદ પણ જોવા મળે. દાખલા તરીકે, દર્શનમોહનીયના ક્ષયોપશમથી તત્ત્વની રુચિ થઈ પણ હોય, પરંતુ જો ચારિત્રમોહનીય પ્રબળ હોય તો તે જીવનું વલણ અચારિત્ર પ્રત્યે રહ્યા કરે તેવું પણ બને. વલણમાં ક્રિયાની અભિમુખતા છે જ્યારે રુચિ વિવેક સાથે સંકળાયેલી છે. ઊંઘમાં પણ તેનું વલણ પડેલું હોય છે.ગુણ-દોષના સ્વરૂપના બોધથી ફલિત થયેલ તત્ત્વની કે ધર્મની રુચિથી અનુબંધમાં ફેરફાર થાય છે. ભાવસમકિતીને પ્રતીતિપૂર્વકની રુચિ હોય છે. હવે તમે જે કર્મ બાંધો છો તે કર્મમાં નવું કર્મ બાંધવાની જે શક્તિ છે તે જ અનુબંધ છે. સભા:- રુચિમાં વૈરાગ્ય માંગ્યો છે ? સાહેબજી:-તત્ત્વમાં રુચિ વૈરાગ્ય વગર હોય જ નહિ. કદચ વૈરાગ્ય હોય પણ સાથે તત્ત્વરુચિ હોય તેવું નક્કી નહિ, પરંતુ તત્ત્વરુચિ હોય તો સાથે વૈરાગ્ય નક્કી હોય. સમકિતી હોય તેને વૈરાગ્ય હોય જ, માટે જ અનુબંધ શુભ પડે. ધર્મ-અધર્મનો, તત્ત્વ-અતત્ત્વનો વિવેક અંશથી અપુનબંધકમાં પ્રગટે છે. જેટલે અંશે વિવેક પ્રગટે તેટલે અંશે શુભ અનુબંધ પડવાનું ચાલુ થાય અને વિવેકની પરાકાષ્ઠા સમકિતમાં આવે. બાકી જે જીવો સંસારના ગાઢ રસિક છે, તે તો ભલે ધર્મમાં પ્રવૃત્ત હોય, યાને કે દાન-શીલ-તપ કરતા હોય, ત્યારે બંધ પુણ્યનો પડતો હોય તો પણ અનુબંધ તેમને પાપનો જ પડતો હોય છે. સભાઃ- કષાયના ઉદય વખતે યોગની ચંચળતા હોય? સાહેબજી:- કષાયના પરિણામ જુદી વસ્તુ છે અને યોગનું ચાંચલ્ય જુદી વસ્તુ છે. ઘણાની પ્રકૃતિ જ એવી હોય કે તે કાયાથી સ્થિર રહી જ ના શકે, વચનથી પણ તેને કાંઇને કાંઇ બોલવા જોઈએ જ, મનથી પણ જરાય સ્થિર ન રહી શકે, જયારે ઘણા મજેથી કલાકો સુધી પણ એક જગ્યાએ બેઠા રહી શકે. માટે યોગની ચંચળતા જુદી વસ્તુ છે. છઠ્ઠા ગુણસ્થાનકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005184
Book TitleAshrav ane Anubandh
Original Sutra AuthorN/A
AuthorMohjitvijay
PublisherGitarth Ganga
Publication Year2002
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy