________________ 18 સાધુ સાવી. શ્રાવક-શ્રાવિકાને સંપૂર્ણ વિધિ કરાવવા અનુકૂળતા. ન હેય તે સંક્ષેપમાં નીચેની સુચના મુજબ કરાવવી. (1) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યના જે કાંઈ અતિચાર લાગ્યા હોય તેનું મિરછામિ દુક્કડમ દેવડાવે. (2) સર્વ જીવરાશિ અને સકલ શ્રીસંઘ સાથે ક્ષમાપન કરાવે. (3) તેણે સેવેલા 18 પાપ સ્થાનકેનું ભાવપૂર્વક પ્રતિક્રમણ કરાવે–મિચ્છામિ દુક્કડમ અપાવે. (4) ચાર શરણા અંગીકાર કરાવે. (5) શાસન, ચારિત્ર, મેક્ષ વગેરે માટે શુભ ભાવના (6) બને તેટલા નવા નવા પચ્ચખાણે કરાવે વ્રત નિયમ કરાવે જેથી છેલ્લે વખતે વિરતિયાળું જીવન થઈ જાય. વધારે યોગ્ય અને પરિણત શ્રાવક હોય તે ફરીથી સમક્ત ઉચ્ચશાવી શક્તિ મુજબ શ્રાવકના 1 થી 12 વ્રત, લેવડાવે. (7) જમીન મકાન–પરિગ્રહ, કુટુંબ સંબંધ આદિ વોસિર (8) છેલે ચૌદ પૂર્વના સાર રૂપ એવા નમસ્કાર મહામંત્રનું વારંવાર સ્મરણ અને શ્રવણ કરાવે. જેથી આરાધના યુક્તિ પંડિત મરણને પામી શકે. - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org